ગુરુવાર, 21 જાન્યુઆરી, 2021

ગુરુવારે જાણો શ્રી જલારામ બાપા નો દરેક પુત્ર ને સંદેશ જે તમે નહીં વાંચ્યો હોય ગુજરાતી લખાણ સાથે

 ગુરુવારે જાણો શ્રી જલારામ બાપા નો દરેક પુત્ર ને સંદેશ જે તમે નહીં વાંચ્યો હોય ગુજરાતી લખાણ સાથે

 


 

દરેક પુત્રને બાપા નો સંદેશ 
હયાત માતા-પિતાની છત્રછાયામાં
વ્હાલપણમાં બે બોલ બોલીને નીરખી લેજો
હોઠ અડધાબીડાય ગયા પછી
ગંગાજળ મુકીને શું કરશો...?
અંતરના આશીર્વાદ આપનારને
સાચા હ્રાદયની એક ક્ષણ ભેટી લેજો
હયાતી નહીં હોય ત્યારે નત મસ્તકે 
છબીને નમન કરી શું કરશો...?
માતા-પિતાનો ખજાનો ભાગ્યશાળી સંતાનને મળે
અડસઠ તીરથ તેના ચરણોમાં બીજા તીરથ ન કરશો
સ્નેહની ભરતી આવીને ચાલી જશે પલમાં
પછી કિનારે છીપલાં વીણી ને શું કરશો...?
 
હયાત હોય ત્યારે હૈયું તેનું ઠારજો
પાનખરમાં વસંત આવે એવો વ્યવહાર રાખજો
પંચ ભૂતમાં ભળી ગયા પછી આ દેહના
અસ્થિને ગંગાજળમાં પધરાવીને શું કરશો ...?
પૈસા ખર્ચતા સઘળું મળશે મા-બાપ નહીં મળે
ગયો સમય નહીં આવે લાખો કમાઈને શું કરશો..?
પ્રેમથી હાથ ફેરવીને બેટા કહેનાર નહીં મળે 
પછી પૂછી લો પ્રેમ લઈ શું કરશો... ?
કાળની થપાટ વાગશે અલવિદા એ થઈ જશે 
પ્રેમાળ હાથ તમારા પર પછી કદી નહીં કરે 
લાખો કરશો ઉપર તોય  વાત્સલ્ય લ્વાહો  નહીં મળે
 પછી દિવાન ખંડમાં તસ્વીર મૂકીને શું કરશો ...?
શ્રવણ બનીને ઘડપણની લાકડી તમે બનજો 
હેતથી હાથ પકડીને તીર્થ સાથે કરજો
માતૃદેવો ભવ પિતૃદેવો ભવ સનાતન સત્ય છે 
પછી રામનામ સત્ય છે બોલીને શું કરશો...?

 
  ગુરુવારે કરો ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે 👇👇👇

 

1 ટિપ્પણી: