બુધવાર, 2 ફેબ્રુઆરી, 2022

વસંત પંચમી ક્યારે છે? જાણો તિથિ, શુભ સમય, મહત્વ અને પૂજાની રીત આ દિવસે શું કરવું ? શું ના કરવું ? | Vasant Panchmi 2024 Gujarati | Okhaharan

વસંત પંચમી ક્યારે છે? જાણો તિથિ, શુભ સમય, મહત્વ અને પૂજાની રીત આ દિવસે શું કરવું ? શું ના કરવું ? | Vasant Panchmi 2024 Gujarati | Okhaharan 

Vasant-Panchmi-2022-Gujarati
Vasant-Panchmi-2022-Gujarati

 

 શ્રી ગણેશાય નમઃ મિત્રો સ્વાગત છે તમારૂ આજે આપણે ગુજરાતી ભક્તિ લેખમાં જાણીશુંવસંત પંચમી ક્યારે છે? જાણો તિથિ, શુભ સમય, મહત્વ અને પૂજાની રીત આ દિવસે શું કરવું ? શું ના કરવું ? 


વસંત પંચમીનો તહેવાર દર વર્ષે મહા મહિનાના સુદ પક્ષની પાંચમી તિથિ આવે છે જે આ વષૅ 14 ફેબ્રુઆરી 2024  ના દિવસે ઉજવાસે. આ વસંત પંચમી તહેવાર શિક્ષણ, સંગીત અને કલાની દેવી સરસ્વતીને અપણૅ છે. હિન્દુ શાસ્ત્રોમાં આ તહેવારનું ઘણું મહત્વ છે. શાસ્ત્રો અનુસાર મા સરસ્વતીનો જન્મ વસંત પંચમીના તિથિ ના દિવસે થયો હતો. આ તહેવારને વસંત અથવા વસંત પંચમી કહેવામાં આવે છે, કારણ કે આ દિવસથી વસંત ઋતુ આગમનને પણ દર્શાવે છે.

આ વષૅ વસંત પચમી તિથિ તથા પુજન સમય 

વસંતપંચમી ના દિવસે આ પાઠ કરવાથી વિધા,જ્ઞાન,સુખ શાંતિ સમૃદ્ધિ ની પ્રાપ્તિ થાય 

વસંત પંચમી પૂજાનો શુભ સમય

વસંત પંચમી અથવા સરસ્વતી પૂજા સવારે 7.07 થી બપોરે 9.51 દરમિયાન કરવી જોઈએ.



વસંત પંચમીનું મહત્વ

વસંત પંચમીનો દિવસ અતિ શુભ હોય છે. આ દિવસે કોઈ નવું કામ કરવા કોઈ સમય, ચોઘડિયું કે મુહુત જોવાનું હોતુ નથી. નાના બાળકો પહેલીવાર ચોપડી વાંચાવી તથા પેન આપીને ભણવાં તથા લખવાનું શીખવડાવાનું શરઊ કરાય છે. વસંત પંચમીના દિવસે લોકો પીળા રંગના વસ્ત્રો પહેરે છે. પીળો ખોરાક તૈયાર કરે છે અને પીળા ફૂલોથી તેમના ઘરને શણગારે છે. ઘણા પ્રદેશોમાં, લોકો પતંગ ઉડાડીને વસંતની શરૂઆતની ઉજવણી કરે છે.


વસંત પંચમી ના દિવસે કરો માં સરસ્વતી નો બે મિનિટ નો આ પાઠ વાણી અને વિધા માં હકારાત્મક ઉર્જા મળે ગુજરાતીમાં લખાણ સાથે અહી ક્લિક કરો. 

વસંત પંચમી પૂજા પદ્ધતિ

વસંત પંચમીના દિવસે સવારે સૂયૅદય પહેલા ઊઠીને સ્નાન કરવું. પીળા વસ્ત્રો પહેરીને મા સરસ્વતીની મૂર્તિની કે છબી ની સ્થાપના કરો. ધૂપ-દીપ પ્રગટાવીને માતાને પીળા ફૂલ અર્પણ કરો. તે મંત્રનો 108 જાપ કરો (ઓમ હ્વિ ક્લીં મહાસરસ્વતી દેવાય નમઃ). ત્યારબાદ પ્રસાદ ઘરાવીને આરતી સ્તુતિ કરો.


શાસ્ત્ર અનુસાર આ દિવસે બાળકની જીભ પર મધ લગાવો. બાળક બુદ્ધિશાળી છે. શિક્ષણ લેવાનું શરૂ કરે છે. બાળકોને ઉચ્ચારણ શીખવવાની દ્રષ્ટિએ પણ આ દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે. જે બાળકોને છ મહિના પૂરા થઈ ગયા છે તેમને પણ આ દિવસે ભોજનનો પહેલો ટુકડો ખવડાવવામાં આવે છે. આ દિવસે શુભ કાયૅ જેમકે ગૃહપ્રવેશથી લઈને નવા કાર્યોની શરૂઆત સુધી પણ આ દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે. ખિર, દૂધમાંથી બનેલી મીઠાઈઓ પ્રસાદ તરીકે આપી શકાય છે.

 

સવૅ કુળદેવી મંત્ર  અહી ક્લિક કરો.

 
બસંત પંચમીના દિવસે દેવી સરસ્વતીની સાથે રાધા-કૃષ્ણની પૂજાનો પણ શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. શ્રી રાધે અને શ્રી કૃષ્ણ પ્રેમના પ્રતિક છે. આ દિવસે કામદેવનું પૃથ્વી પર આગમન માનવામાં આવે છે. આ સાથે પ્રેમમાં નિયંત્રણ અને સાદગી માટે રાધા-કૃષ્ણની પૂજાનો નિયમ સદીઓથી ચાલી આવે છે. વસંત પંચમીના દિવસે રાધા-કૃષ્ણએ પહેલીવાર એકબીજાને ગુલાલ લગાવ્યો હતો. વસંત પંચમી પર ગુલાલ ચઢાવવાની પરંપરા પણ ચાલી રહી છે.

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 


વસંત પંચમી ના દિવસે પર શું કરવું અને શું ન કરવું


1. બસંત પંચમીના દિવસે અપશબ્દો બોલવાથી બચવું જોઈએ.

2. આ દિવસે અપશબ્દો અને ઝઘડાઓથી પણ બચવું જોઈએ.

3. બસંત પંચમીના દિવસે માંસ અને શરાબના સેવનથી દૂર રહેવું જોઈએ.

4. પિતૃ તર્પણ પણ બસંત પંચમીના દિવસે કરવું જોઈએ.

5. આ દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

6. બસંત પંચમીના દિવસે સ્નાન કર્યા વિના ભોજન ન કરવું જોઈએ.

7. આ દિવસે રંગબેરંગી કપડાં ન પહેરવા જોઈએ. શક્ય હોય તો પીળા કપડા પહેરવા જોઈએ.


8. બસંત પંચમીના દિવસે વૃક્ષો અને છોડ ન કાપવા જોઈએ.

10. એવું માનવામાં આવે છે કે સવારની શરૂઆત હથેળીઓને જોઈને કરવી જોઈએ. હથેળી જોઈને મા સરસ્વતીનું ધ્યાન કરવું જોઈએ.

11. એવું કહેવાય છે કે વસંત પંચમીના દિવસે જે બાળકોને હડકવા અને ધ્રૂજવાની સમસ્યા હોય તેઓ વાંસળીના છિદ્રમાં મધ ભરીને વાંસળીને મીણથી બંધ કરે છે. આ પછી વાંસળીને જમીનમાં દાટી દો.

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 




 શ્રી ભગવતી સ્રોત ગુજરાતી અથૅ સહિત અહી ક્લિક કરો. 

 

સવૅ દેવી કૃપા પાઠ અહી ક્લકિ કરો

 

 "" શિવ અષ્ટક "" ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.   

 

 "" શ્રી શનિદેવ ચાલીસા "  ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.  

 

શ્રી ગણપતિના ""સિદ્રિદાયક મંત્રો"" એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો અહી ક્લિક કરો. 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ અહી ક્લિક કરો.  

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

 

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

 
Disclaimer: અહી ઉપરોક્ત કોઈપણ માહિતી અથવા આ કાયૅ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં Okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો