શનિવાર, 30 એપ્રિલ, 2022

શનિશ્ર્ચરી અમાવસ્યા ના દિવસે 5 નાના કમૅ કામવવાનો દિવસ અનેક ઘણું ફળ મલે છે | Shani Amavasya Upay Gujarati | Okhaharan

 શનિશ્ર્ચરી અમાવસ્યા ના દિવસે  5 નાના કમૅ કામવવાનો દિવસ અનેક ઘણું ફળ મલે છે | Shani Amavasya Upay GUjarati | Okhaharan 

Shani-Amavasya-Upay-Gujarati
Shani-Amavasya-Upay-Gujarati

 

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું 30 એપ્રિલે ચૈત્ર મહિનાની અમાસ શનિવાર ના રોજ આવે છે . શનિવાર નો વાર અને અમાસ નો શુભ સંયોગ એટલે કમૅ કામવવાનો દિવસ આજે આપણે જાણીશું શનિશ્ર્ચરી અમાવસ્યા ના દિવસે 5 નાના કમૅ કરવાથી અનેક ઘણું ફળ મલે છે. 

શનિદેવ નો આ પાઠ કરવાથી શનિદેવ ક્રુર પ્રભાવ ઓછો થાય ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


અમાસ તિથિ મહાદેવ, સૂયૅદેવ, નારાયણ અને પિતૃઓ તથા શનિવારી અમાસ હોવાથી હનુમાનજી અને શનિદેવને અપણૅ છે. તિથિ એ ચંદ્ર ની કળા પર આધારિત હોય છે જયારે પૂર્ણ ચંદ્ર કળા હોય એટલે પૂનમ કહેવાય અને જ્યારે ચંદ્ર શૂન્ય કળા હોય એને અમાસ કહેવાય.

અમાસ તિથિ ની

શરૂઆત 30 એપ્રિલ 2022 શનિવાર સવારે 1:00 મિનિટ

સમાપ્ત 1 મે 2022 રવિવાર સવારે 1:56 મિનિટ


આ ઘખધખતી ગરમીમાં આ શનિવારી અમાસના દિવસે શક્ય હોય તો કોઈ પાણી પી શકે એમ કરો એ પછી માણસ , પશુ કે પંખી કેમ ના હોય જળનું દાન પણ કરી શકો છો. આમ કરવાથી લોકોને ગરમીમાં શીતળતા મળી શકે.

આ શનિવારી અમાસ દિવસે સવારે સૂયૅદય પહેલાં જાગવું અને સ્નાન કર્યા પછી સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરો. તાંબાના લોટામાં જળ સાથે લાલ ફુલ, ચોખા, નો ઉપયોગ કરો. અર્ઘ્ય ચઢાવતી સમયે સૂયૅદેવ ના 12 નામ અને  ૐ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરવો. 

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

આ શનિવારી અમાસ ના દિવસે ગોળ, અનાજ કે સિઘા નું દાન કરો. અને ખાસ કરીને મહાદેવના મંદિરે કાળા તલનું દાન કરો.

શનિવારી અમાસ ના દિવસે જરૂરિયાત લોકોને ભોજન કરાવો પછી કેમ પશું માં ગાય , કુતરા , કીડી, ખિસકોલી કે પક્ષી ચકલી કેમ હોય 


શનિવારી અમાસના દિવસે મહાદેવ નું શિવલિંગ સ્વરૂપ નું પુજન કરો . શિવજી ને પ્રિય જળ , બીલીપાન, ધતૂરો, આંકડાના ફૂલ, જનોઈ, ચોખા વગેરે પૂજન સામગ્રી અર્પણ કરો અને સાથે સાથે મનમાં ૐ નમઃ શિવાય મંત્રનો નો જાપ જરૂર કરો.

શનિવારી અમાસના દિવસે સવારે તુલસીને જળ ચઢાવો ધૂપ-દીપ પ્રગટાવો. આરતી કરો. તેવીજ રીતે સૂર્યાસ્ત પછી તુલસી પાસે દીવો પ્રગટાવો. પૂજા કરો અને પરિક્રમા કરો. અને ભૂલથી પણ તુલસીનો સ્પર્શ ના કરો.

શનિ પનોતી થી બચવા શું દાન કરવું? સંપૂર્ણ માહિતી ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

શનિવારી અમાસના દિવસે તેલ અને સિઘુંર થી હનુમાનજી નો અભિષેક કરો. અને શનિદેવ સરસવના તેલથી તથા કાળા તલ શનિદેવના પથ્થર સ્વરૂપ નું પુજન કરો.

શનિવારી અમાસના દિવસે પિતૃદેવના આશીવૉદ માટે સવારે અને સઘ્યાં સમયે ગાયનો છાણા, ગોળ, ગુગળ, તલ વગેરે ઘરમાં ખૂણે ખૂણે ઘુપ કરો.

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

  શનિ જયંતિના દિવસે શ્રી શનિ કવચ પાઠ વાંચવા માત્રથી સૂયૅનંદન શ્રી શનિદેવ સવૅ પીડા દૂર કરી રક્ષણ આપે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

અમાવસ્યા દિવસે આ 5 મંત્ર માંથી એક મંત્રની કરીલો ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે અહી ક્લિક કરો. 

 શિવજીના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો