ગુરુવાર, 13 એપ્રિલ, 2023

ચૈત્ર માસની વદ પક્ષની વરૂથિની એકાદશી 15 કે 16 એપ્રિલ? ઉપવાસ ક્યારે કરવો? | Varuthini Ekadashi 2023 Kayre Che | Okhaharan

ચૈત્ર માસની વદ પક્ષની વરૂથિની એકાદશી 15 કે 16 એપ્રિલ?  ઉપવાસ ક્યારે કરવો? | Varuthini Ekadashi 2023 Kayre Che | Okhaharan 

varuthini-ekadashi-2023-kayre-che
varuthini-ekadashi-2023-kayre-che

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીએ ચૈત્ર માસની વદ પક્ષની વરૂથિની એકાદશી 15 કે 16 એપ્રિલ?  ઉપવાસ ક્યારે કરવો? પારણા નો સમય શું છે અને કેમ આ એકાદશી ખાસ છે ? આ એકાદશી નું વ્રત કરવાથી શું ફળ મળે છે? 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ

 ૐ નમો ભગવતે વાસુદેવાય


સનાતન ધર્મમાં વેદ અને પુરાણનું એકદશી આગવું મહત્વ દર્શાવેલ છે. ગ્રંથોમાં વરૂથિની એકાદશીનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. ચૈત્ર માસની વદ પક્ષમાં આવતી વરૂથિની એકાદશી નું વ્રત કરવાથી સમસ્ત પાપ નષ્ટ થઈ જાય છે તથા કુયોનિ માંથી છુટી અને સ્વગૅ ની પ્રાપ્તિ કરાવનાર એકાદશી છે. ધાર્મિક માન્યતા અનુસાર આ એકાદશી ની તિથિ ના દિવસે ભગવાન વિષ્ણુને અપણૅ કરવાથી મનુષ્ય જાણે તપ, યજ્ઞ, દાન કર્યા છે તેમ માનવામાં આવે છે.    

શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે


હિન્દુ શાસ્ત્રોમાં શ્રી વિષ્ણું ભગવાનની કૃપા પ્રાપ્તિ માટે સૌથી ઉત્તમ વ્રત એકાદશી નું છે જે તિથિનું એક વિશેષ મહત્વ છે. એકાદશી તિથિ દર માસમાં બે વાર આવે છે એક તો વદ પક્ષ અને બીજી વદ પક્ષ. એકાદશી ની તિથિ જગત ના પાલનહાર ભગવાન વિષ્ણુને સમર્પિત છે. તેમાં પણ ચૈત્ર માસ ની આ વરૂથિની એકાદશીના દિવસે અશરણોને શરણ આપનાર જગત ના પાલનહાર શ્રી વિષ્ણુ ભગવાન ના ચતુર્ભુજ સ્વરૂપ નું પુજન કરવામાં આવે છે. અથવા તેમના દશ અવતાર માંથી વરાહ અવતારનું ખાસ પુજન કરવું અથવા કોઈ પણ અવતાર નું પુજન કરવામાં આવે છે આ દિવસે અને રાત્રિનું જાગરણ માં ભગવાન ના ભજન કીર્તન કરવાનું હોય છે  


ૐ નારાયણાય વિદ્મહે, વાસુદેવાય ધીમહી. તન્નો વિષ્ણુ પ્રચોદયાત્ ।


એકાદશીના ઉપવાસ કોણ કરી શકે કરી કેવી રીતે.

એકાદશી નું વ્રત ઉપવાસ વ્રત વૈષ્ણવ, શુદ્ધ, ક્ષત્રિય કે વેશ્ય પછી નાના મોટા કોઈ પણ આ વ્રત કરી શકે છે . એકાદશી જો કોઈ બીમાર વ્યક્તિ કોઈ રોગથી પીડાતો હોય , ઉમંરલાયક વ્યક્તિ વૃદ્ધાવસ્થા, નાના બાળક અથવા વ્યસ્ત વ્યક્તિ એટલે મજુરી વઘારે શ્રમ કરતા હોય તો એક જ વેળાનું વ્રત કરવું જોઈએ તેમાં ફળો ખાવા જોઈએ. જો આ પણ શક્ય ન હોય તો આ દિવસે ચોખા અને મીઠું ન ખાવા જોઈએ.

એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ 

 
એકાદશીના દિવસે બીજું કોનું પુજન કરવાથી પુણ્ય ફળ મળે છે.

એકાદશી ના દિવસે વિષ્ણુ ભગવાન ના પુજન સાથે સાથે કામધેનુ ગાયમાતા ના, વૃંદા એટલે તુલસી માતા પીપળા વૃક્ષ , શિવલિંગ નું પુજન કરવામાં આવે છે આમ કરવાથી ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાન ના કહેવા મુજબ કશું શેષ રહેતું નથી. ભગવાન વિષ્ણુ અથવા તમારા ઈષ્ટદેવની પૂજા કરો.

 

દર મારે બે એકાદશી અને ત્રણ વષે આવતા પુરુષોત્તમ માસની બે એમ 26 એકાદશી છે નો

ઉલ્લેખ આપણા હિન્દુ શાસ્ત્રો માં થયેલો છે. હવે આપણે જાણીએ ચૈત્ર માસની વદ પક્ષની વરૂથિની એકાદશી તિથિ માહિતી   


 આ વષે 2023 ની વરૂથિની એકાદશીની શરૂઆત

શરૂઆત 15 એપ્રિલ 2023 શનિવાર રાત્રે 8:44 મિનિટ

એકાદશી તિથિ સમાપ્તિ 16 એપ્રિલ 2023 રવિવાર સાંજે 6:13 મિનિટ

ઉપવાસ  સૂયૅદય શરૂ થતો કરવો જોઈએ માટે ઉપવાસ 16 એપ્રિલ 2023 રવિવાર કરવો

16 એપ્રિલ 2023 રવિવાર પુજન નો શુભ સમય સવારે 7:54 થી 12:39 સુધી છે

પારણા નો સમય 17 એપ્રિલ 2023 સોમવાર સવારે  5:54થી 8:29 સુધી નો છે.


ચૈત્ર માસની વદ પક્ષની વરૂથિની એકાદશીનું વ્રત પૂર્ણ શ્રદ્ધાથી કરવાથી વ્રત થી સમસ્ત પાપ નષ્ટ થાય છે. જો આ વ્રત એક દુ:ખી સ્ત્રી કરે છે તો તેને સૌભાગ્ય મળે છે. વિરૂથિની ના પ્રભાવથી રાજા માંધાતા સ્વર્ગ માં ગયા હતા. આ રીતે ધુન્ધુમાર આદિ પણ સ્વગૅ માં ગયા.

 

 એકાદશી ની શ્રી જગત ના પાલનહાર વિષ્ણુ ભગવાન પુજન વિધી

 

 વિરૂથિની એકાદશી વ્રત નું ફળ દસ સહસ્ત્ર વષૅ તપસ્યા કરવાના ફળ બરાબર હોય છે. કુરૂક્ષેત્ર માં સૂર્ય ગ્રહણ ના સમયે એકવાર સ્વણૅ દાન કરવાથી જે ફળ મલે છે તે ફળ વિરૂથિની એકાદશીના વ્રત ના પ્રભાવ થી મનુષ્ય આલોક અને પરલોક બંને માં સુખ પ્રાપ્ત કરે છે અને અંતમાં સ્વર્ગ માં જાય છે. 

 

ચૈત્ર મહિનાની કૃષ્ણ પક્ષની વરૂથિની એકાદશી ની કથા ગુજરાતીમાં  

 

 ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ.

 

એકાદશી ના દિવસે ગીતાજી નો આ સ્ત્રોત કરવાથી જ્ઞાન સિદ્ધિ મેળવી ને પરમ પદ પામે છે

શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય માહાત્મ્ય કથા | Geeta Adhyay   

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો