રવિવાર, 16 જુલાઈ, 2023

89 વષે શુભ સંયોગ અષાઢ સોમવતી અમાસ | શું કરવું શું ન કરવું | Ashad Amavasya 2023 | Somvati Amas 2023 | Okhaharan

89 વષે શુભ સંયોગ અષાઢ સોમવતી અમાસ | શું કરવું શું ન કરવું | Ashad Amavasya 2023 | Somvati Amas 2023 | Okhaharan 


ashad-amavasya-2023-somvati-amas-2023
ashad-amavasya-2023-somvati-amas-2023


શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીએ 89 વષે શુભ સંયોગ અષાઢ માસની અમાસ સોમવતી અમાસ ના દિવસે શુ કરવું ? શું ના કરવું ? તે બઘું જાણીશું.


અમાસ તિથિ એ ચંદ્ર ની શૂન્ય કળામાં હોય છે. અમાસ તિથિ ના દેવ શ્રી વિષ્ણું , મહાદેવ, હનુમાનજી , શનિદેવવ અને પિતૃઓ છે. આ અમાસ તિથિનાં દિવસે પિતૃ તૅપણ માટે ઉત્તમ દિવસ માનવામાં આવે છે.  અમાસ ના દિવસે પિતૃઓ માટે પિંડદાન કરવાથી તેમને તૃપ્તિ મળે છે અને તેઓ વૈકુંઠ તરફ પ્રસ્થાન કરે છે. અમાસ તિથિ ના દિવસે સ્નાન જપ તપ વ્રત કરવામાં આવે છે.   પિતૃઓનું મોક્ષ મેળવવા માટે આ દિવસે તેમના મંત્રો જેમકે પિતૃ મંત્ર કે પપછી પિતૃ ગાયત્રી મંત્ર જાપ કરવામાં આવે છે પિતૃ મંત્રનો જાપ કરવાથી પિતૃઓની આત્માઓને શાંતિ અને મોક્ષ ની પ્રાપ્તિ થાય છે અને તેમના પુણ્ય આશીર્વાદ પણ મળે છે. અને એમાં પણ અમાસ ની તિથિ તો પછી વાત શી કરવી આ તિથિ પિતૃઓ માટે સૌથી ઉત્તમ માનવામાં આવે છે.

 સવૅ પિતૃ અમાસ ની વ્રત કથા અહી ક્લિક કરો.  


આ વષૅ 2023 અષાઢ માસની અમાસ તિથિ માહિતી
તિથિ ની શરૂઆત 16 જુલાઈ 2023 રવિવાર રાત્રે 10:07 મિનિટ 
તિથિ ની સમાપ્તિ 17 જુલાઈ 2023 સોમવાર રાત્રે 12:04 મિનિટ


આમ અમાવસ્યા 17 જુલાઈ 2023 સોમવાર રહેશે જેને સોમવવતી અમાસ પણ કહેવાય અનેક ઘણું પપુણ્યય ફળ આપનારી છે આ દિવસે મહાદેવ માટે સોમવતી અમાસ વ્રત કરવામાં આવે છે.  ઉપવાસ, વ્રત, પિતૃ તપૅણ સસવૅ 17 જુલાઈ 200223 સોમવાર ના દિવસે રહેશે  અષાઢ માસની અમાસ 17 જુલાઈ 2023 સોમવાર ના રોજજ રહેશે 
 
ૐ નમો ભગવતે વાસુદેવાય


આગળ જાણાવ્યા મુજબ આ તિથિ પિતૃઓને અપણૅ છે આ દિવસે કરેલા દરેક કાયૅ પિતૃઓને અપણૅ થાય છે અને તેનું પુણ્ય ફળ મળે છે. 
અમાસ દિવસે શું કરવું 


અમાસ તિથિ સવારથી સૂયૅદય થાય ત્યારથી બઘા કાયૅ કરવામાં આવે છે.
1)  અમાસ તિથિ ના દિવસે સ્નાન મહિમા વઘારે છે. પવિત્ર નદી કે જળાશયમાં સ્નાન કરી  શકો છો અને જો નદીમાં સ્નાન ના થઈ શકે તો ઘરમાં સવૅ નદીઓનું મંત્રથી ધ્યાન કરીને સ્નાન કરવું જોઈએ.અને શક્ય હોય તો પાણીમાં ગંગાજળ ઉમેરીને પણ સ્નાન કરી શકો છો. 

3 વષૅ આવતા પુરૂષોતમ માસ નું માહાત્મ્ય


2)  ત્યાર પછી ઘરના દેવ સ્થાન એટલે મંદિરમાં સેવા પૂજા કરી પાનિયારે જ્યાં પીવાનું પાણી રાખીયે ત્યાં સવારે અને સાંજ એમ બંને સમય બે આડી વાટનો ધી દિવો કરી બે અગરબતી કરી પિતૃઓનું ધ્યાન ધરતા ૐ નમો ભગવતે વાસુદેવાય મંત્ર જાપ કરવો અગરબત્તી અડધી ના થાય ત્યાં સુધી જાપ કરવો.


અમાસ ના શ્રી કુબેર ભંડારી મહાદેવ 108 નામ જાપ ગુજરાતી લખાણ સાથે


3)  ત્યાર પછી સૂર્યદેવને જળ ચઢાવો. આ જળમાં તાબાના લોટામાં લાલ ચંદન અને લાલ ફુલ , ચોખા વડે સૂયૅદેવ ને અઘ્ય આપણૅ કરો અને ત્યારે સૂયૅ દેવનાં 12 જાપ કરો અથવા સૂયૅદેવ નો સરળ મંત્ર ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરો 


4)   આ અમાસ તિથિના દિવસે પિતૃઓ માટે કોઈ કાયૅ રહી ગયું હોય કે અઘુરૂ હોય તે કરવામાં ઉત્તમ દિવસ છે આ દિવસે પિતૃઓનું પુજન, તપણૅ વિઘિ, પિડંદાન, અંજલિ કરવાથી તોઓ તૃપ્ત થાય છે. તોઓ ના આશીવૉદ ઘરનાં બઘા સભ્ય ને ફળે છે.   


5)    ત્યાર બાદ પિતૃઓને યાદમાં દાન કરવું જોઈએ પછી જરૂરિયાતમંદ લોકોને અન્ન,વસ્ત્ર કે પછી ધન દાન હોય કે પછી બ્રહ્માણ ને ભોજન કરાવવું, હોય કે ગાયમાતા કે જેમનામાં 33 કરોડ દેવી દેવતા વાસ હોય છે આ એક સારી તિથિ એક સાથે બઘા દેવી-દેવતા પ્રસન્ન થઈ જાય માટે ગાય કે ગૌશાળામાં લીલું ઘાસ કે ખોળ ગાય ને ખડાવવું જોઈએ. કુતરા ધી ગોળ કે મીઠાઈ કે રોટલી રોટલો ખડાવવો, ,  કીડી ને લોટ સાથે મોરંસ ઉમેરીને કીડીયારૂ પુરવું, હવે વરસાદી સમયમાં તમારી ઘર ની આસપાસ કે રવેશીમાં પક્ષી માટે ચણ અને પાણી વવ્યવસ્થા કરવી આમ આટલા પ્રકાર ના અમાસ તિથિ ના દિવસે દાન કરી શકાય છે.  

અમાસ ના દિવસે કરો ભક્ત વલ્લભ ભટ્ટ રચિત આનંદ નો ગરબો ૧૧૮ છંદ 


6)   અમાસ તિથિ ના દિવસે ધૂપ-ધ્યાન કરો સવારે કરેલ ધૂપ-ધ્યાન એ ભગવાનને અપૅણ છે અને સંઘ્યા સમયે કરેલ પિતૃઓને અપણૅ છે તેમાં પણ બપોર અથવા સંઘ્યા સમયે ગાયના ગોબર ના છાણા કે કોલસા ઉપર ગુગળ મુકીને ઘુપ કરો બળતા છાણા અથવા કોલસા ઉપર ગોળ અને ઘીથી ધૂપ આપવું જોઈએ. આ તિથિના દિવસે પિતૃઓ પૃથ્વી પર વાયુ વેગે આવે છે આ દરમિયાન પિતૃઓનું ધ્યાન ઘરતા રહેવું મનમાં ઓમ પિતૃભ્યૌ નમઃ અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય જાપ કરવો.  

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત 


7)    આ દિવસે ઘરે ખીર અથવા કોઈ મીઠાઈ બનાવો અને પિતૃઓને પ્રસાદ તરીકે અપણૅ કરી અને ઘરનાં ભાઈ ભાડુંઓ સાથે મળીને ભોજન કરો આમ કરવાથી પણ પિતૃઓ તૃપ્ત થાય છે 


8)    અમાસ તિથિ ના દિવસે ભગવાન શિવને કોઈ શિવાલયમાં જઈને આ સોમવતી દિવસે શિવલિંગ ઉપર તાંબાના લોટાથી જળ તથા ચાંદીના લોટાથી કાચુ દૂધ ચઢાવો અને સાથે સાથે શિવ પંચઅક્ષર મંત્ર ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરતા રહો. તે પછી શુદ્ધ જળ ચઢાવો. શિવલિંગનો ચંદન ચોખા, બીલીપાન, ધતૂરો, ફળ-ફૂલ ચઢાવો. ભગવાનને મીઠાઈનો ભોગ ધરાવો. ધૂપ-દીપ પ્રગટાવીને આરતી કરો. પછી પ્રદક્ષિણા કરીને એક માળા ઓમ નમઃ શિવાય ની કરો.


9)    આ સોમવતી અમાવસ્યા ના દિવસે સવારે પીપળા વૃક્ષ પર દૂધ જળ ને મિશ્ર કરીને ચડાવું સાથે ૐ નમો ભગવતે વાસુદેવાય મંત્ર જાપ કરવા. અને સંધ્યા સમયે સરસવ ના તેલ નો ચૌમુખ વાળો દિવો કરવો. આ સમયે ઓમ પિતૃભ્યૌ નમઃ મંત્ર જાપ પણ કરી શકો છો. 


       શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ 


અમાસ ના દિવસે શું ના કરવું?
1)    અમાસ તિથિ ના દિવસે તમે વ્રત કરો કે ના કરો પણ કંઈ પણ નશીલા પદાર્થો સેવન કે  કોઈ વસ્તુ નશો ના કરો.
2)    અમાસ ના દિવસે બ્રહ્મચર્ય નું પાલન કરો.
3)    અમાસ ના દિવસે ધરમાં કે બહાર નાના મોટા ની ઉપર કોધ ના કરવો
4)    અમાસ ના દિવસે માંસ મદિર નું સેવન ના કરવું
5)    અમાસ ના દિવસે પારકા એટલે બીજા નું અન્ન ના ખાવ. ધરે બનાવીને જમો.


અધિક માસ એટલે પુરૂષોત્તમ ભગવાન ના મહિના મા શું કરવું અને શું ના કરવું?



"" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે


ગાયને એક વસ્તુ ખવડાવવાથી 24 કલાક મા સવૅ મનોકામના પૂણૅ થાય  સાથે ઈચ્છાપૂર્તિ થાય

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે  

 

સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે     

 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે  

 

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે    

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે  


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત 

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી 


 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો