રવિવાર, 16 જુલાઈ, 2023

અધિક માસ એટલે પુરૂષોત્તમ ભગવાન ના મહિના મા શું કરવું અને શું ના કરવું? | Purushottam Mass 2023 | Su Karvu Su Na Karvu | Okhaharan |

અધિક માસ એટલે પુરૂષોત્તમ ભગવાન ના મહિના મા શું કરવું અને શું ના કરવું? | Purushottam Mass 2023 | Su Karvu Su Na Karvu | Okhaharan |

purushottam-mass-2023-su-karvu-su-na-karvu-Gujarati
purushottam-mass-2023-su-karvu-su-na-karvu-Gujarati

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું અધિક માસ એટલે પુરૂષોત્તમ ભગવાન ના મહિના મા શું કરવું અને શું ના કરવું? તે બધું આજે આ લેખમાં જાણીશું. 


બધા મહિનામાં સૌથી ઉત્તમ મહિનો 3 વષૅ આવતા પુરૂષોત્તમ મહિનો કે જે અધિક માસ પણ કહે છે. આ મહિના મા ભગવાન વિષ્ણુ ની પૂજા કરવામાં આવે છે. સૌપ્રથમ એ જાણીએ તેની તિથિ માહિતી આ વષૅ 2023 મા 18 જુલાઈ 2023 મંગળવાર થી 16 ઓગસ્ટ 2023 બુધવાર ના દિવસે સમાપ્તિ થાય છે. આ મહિના મા કોઈ પણ શુભ કાર્યો કરવામાં આવતા નથી.  જે કોઈ વ્યક્તિ નિત્ય આ માસમાં ભગવાન વિષ્ણુ ની પૂજા કરે છે. તો તેના તમામ પાપ નાશ પામે છે. પ્રભુ ના આશીર્વાદ મળે છે તથા પુણ્ય ફળ ની પ્રાપ્તિ થાય છે. 


3 વષૅ આવતા પુરૂષોતમ માસ નું માહાત્મ્ય


જાણો અધિક માસમાં શું કરવુ શું નહી ? 


1. અધિક માસ ધર્મ અને કર્મ માટે ખૂબ જ મહત્વનો મહિનો છે. અધિક મહિનાના ભગવાન વિષ્ણુનું મહત્વ વધારે છે. આ મહિનાની કથા ભગવાન વિષ્ણુના અવતાર ભગવાન નૃસિંહ અને ભગવાન શ્રી કૃષ્ણ સાથે સંકળાયેલી છે. તેથી આ મહિનાને પુરુષોત્તમ માસ પણ કહેવામાં આવે છે. આ મહિનામાં ભગવાન વિષ્ણુ, નૃસિંહ અને કૃષ્ણની પૂજા કરવી જોઈએ.
 
2. અધિક મહિનામાં શ્રીમદ્દભાગવત ગીતા, શ્રીરામ કથા, વિષ્ણુ સહસ્રનામ સ્તોત્ર અને ગીતાના પુરુષોત્તમ નામના14 માં અધ્યાયનું વાંચન કરવું જોઇએ. જો તમે આ બધુ વાંચી શકતા નથી, તો તમારે દિવસમાં 108 વખત ‘ૐ નમો ભગવતે વાસુદેવાય’ મંત્રનો જાપ કરવો જોઈએ..


3. અધિક મહિનામાં જપ અને તપ ઉપરાંત વ્રત રાખવાનું પણ મહત્વ છે. આ વ્રતમાં આખા મહિમાં દિવસમાં એક જ વખત ખાવું જોઈએ, આ વ્રત આધ્યાત્મિક અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સારું છે. આ મહિનામાં ભોજનમાં ઘઉં, ચોખા, જવ, મગ, તલ, વટાણા, ચોળી, કાકડી, કેળા, આમળા, દૂધ, દહીં, ઘી, કેરી, હળદર, જીરું, સુંઠ, સિંધવ મીઠું, આમલી, પાન-સોપારી, મેથી વગેરે ખાઈ શકાય છે.


4. અધિક મહિનામાં દીવા પ્રગટાવવાનો અને ધજા ચડાવવાનો ખુબ જ મહિમા છે. આ મહિનામાં દાન-દક્ષિણા કરવાથી પુણ્ય ફળ મળે છે. પુરુષોત્તમ માસમાં સ્નાન, પૂજા, વિધિ અને દાન કરવાથી વિશેષ ફળ મળે છે અને તમામ પ્રકારની મુશ્કેલીઓ દૂર થાય છે.


ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ


 
5. આ મહિનામાં, ખાસ કરીને રોગ નિવૃત્તિનું કાર્ય, ઋણ ચુકવણીનું કાર્ય, શસ્ત્રક્રિયા, બાળકના જન્મ સંબંધિત કર્મો, ગર્ભાધારણ, ધાર્મિક વિધિઓ વગેરે કર્યો કરી શકાય છે.
 
6. અધિક મહિનામાં મુસાફરી કરવી, ભાગીદારીના કર્યો કરવા, દાવો કરવો, ખેતરમાં બીજ વાવવા, ઝાડ રોપવું, દાન આપવું, લોકહિત કાર્ય કરવા, સેવા કાર્ય કરવા વગેરે કર્યો કરવામાં કોઈ દોષ આવતો નથી.
 
અધિક મહિનામાં શું ન કરવું જોઈએ :-
 
1. પુરુષોત્તમ માસમાં કોઈ પણ પ્રકારનું વ્યસન ન કરવું, દારૂ જેવા માદક પીણાઓ ન પીવા જોઈએ અને માંસાહારી ખોરાક ખાવો જોઈએ નહીં. માંસ, મધ, ભાત, અડદ, રાઈ, મૈસુર દાળ, મૂળો, ડુંગળી, લસણ અને વાસી રોટલી વગેરે ખોરાક ખાવા જોઈએ નહીં.


2. અધિક મહિનામાં લગ્ન, નામકરણ, અષ્ટકાદિ શ્રાદ્ધ, તિલક, મુંડન, યજ્ઞોપવીત, કર્ણાચન, ગૃહપ્રવેશ, દેવ પ્રતિષ્ઠા, સંન્યાસ લેવો, શિષ્ય દીક્ષા લેવી, યજ્ઞ વગેરે શુભ અને માંગલિક કાર્યો કરવા જોઈએ નહીં.
 
 3. આ મહિનામાં વસ્ત્રો, આભૂષણો, ઘર, દુકાન, વાહન વગેરે ખરીદવા જોઈએ નહીં, પરંતુ જો આ મહિનામાં કોઈ શુભ સમય હોય તો જ્યોતિષની સલાહ લઈ ઘરેણાંની ખરીદી કરી શકાય છે.
 
4. અધિક મહિનામાં અપમાનજનક ભાષા, ઘરમાં ઝઘડાઓ, ક્રોધ, અસત્ય બોલવું વગેરે દુષ્કર્મો કરવા જોઈએ નહીં .

 કાંઠા ગોરમાં ની વાતૉ શ્રી પુરૂષોત્તમ કથા પ્રથમ અધ્યાય 
 
5.  આ મહિનામાં કુંવા, બોરિંગ (ડાર), તળાવનું ખોદકામ વગેરે કર્યો કરવા જોઈએ નહીં.

"" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે


ગાયને એક વસ્તુ ખવડાવવાથી 24 કલાક મા સવૅ મનોકામના પૂણૅ થાય  સાથે ઈચ્છાપૂર્તિ થાય

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે  

 

સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે     

 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે  

 

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે    

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે  


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત 

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી 


 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો