શનિવાર, 29 જુલાઈ, 2023

પુરુષોત્તમ માસ કથા અધ્યાય બારમો | Purushottam Maas Katha Adhyay 12 in Gujarati | Adhyay 12 | | Adhik Mass 2023 | Okhaharan |

પુરુષોત્તમ માસ કથા અધ્યાય બારમો |  Purushottam Maas Katha Adhyay 12 in Gujarati  | Adhyay 12 | | Adhik Mass 2023 | Okhaharan | 

purushottam-maas-katha-adhyay-12-in-gujarati
purushottam-maas-katha-adhyay-12-in-gujarati

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું પુરૂષોત્તમ માસની કથા અધ્યાય બારમો મેઘાવતી પુનર્જન્મમાં દ્રૌપદી થઈ અને અમૃત ધારા જે વાતૉ કહેવાય અદેખી ભાભીની વાર્તા.

પુરુષોત્તમ માસ કથા અધ્યાય અગિયારમો  


અધ્યાય બારમો : મેઘાવતી પુનર્જન્મમાં દ્રૌપદી થઈ


નારદે કહ્યું : “હે નાથ ! ભગવાન શંકર અંતરધ્યાન થઈ ગયા, તે પછી તે મુનિ કન્યાનું શું થયું તે મને વિગતે આપ કહો, કેમકે ધર્મની સિદ્ધિ માટે મને એ સાંભળવાની ઈચ્છા છે.”


શ્રી નારાયણ બોલ્યા : “આ જ પ્રમાણે પૂર્વે યુધિષ્ઠિર રાજાએ શ્રીકૃષ્ણને પૂછ્યું હતું. તે વખતે એમણે રાજા યુધિષ્ઠિરને જે કહ્યું હતું તે હું કહું છું. સાંભળો –


શ્રીકૃષ્ણેકહ્યું : “ હે રાજન ! ભગવાન શિવ વરદાન આપી અદ્રશ્ય થઈ ગયા પછી આવા વિચિત્ર વરદાનથી એ તપસ્વિની કુમારીના હૃદયમાં શોકરૂપીઅગ્નિની જ્વાળા ભભૂકી ઊઠી. તે ચિંતામાં અને નિરાશામાં ડૂબી ગઈ. ઉદાસીએ તેને ઘેરી લીધીઅને દિવસે દિવસે તે કૃશ થઈ કાળને વશ થઈ મૃત્યુ પામી.


તે સમયે પૃથ્વી પર ધર્મિષ્ઠ રાજા યજ્ઞસેને મોટી સામગ્રીઓથી ભરપુર ઉત્તમ યજ્ઞ શરૂ કર્યો હતો. ત્યારેયજ્ઞકુંડમાંથી સોના જેવી કાંતિવાળી સુંદર કુમારી જન્મી, જે દ્રુપદ રાજાની પુત્રી દ્રૌપદી નામે લોકમાં પ્રખ્યાત થઈ.


આ જ દ્રૌપદીને વિવાહ યોગ્ય થતાં દ્રુપદરાજાએ યોજેલ સ્વયંવરમાં અર્જુને, કર્ણાદી જેવા મહાપરાક્રમી રાજાઓનું માન-મર્દન કરી માછલીની આંખ વીંધી દ્રૌપદીને પ્રાપ્ત કરી. પણ માતા કુંતાનું વચન પાલન કરવા માટે તે પાંચે પાંદવોની પત્ની બની.


વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે



“હે રાજન ! એમ પૂર્વેઋષિકન્યા જે મેઘાવતી હતી તે હાલ બીજા જન્મમાં દ્રૌપદી નામે પ્રસિદ્ધ થઈ છે. તેણે પૂર્વજ્ન્મમાં પુરૂષોત્તમ માસનું અપમાન કર્યું હતું, તેના લીધે તેને દુષ્ટ દુ:શાસને વાળૅથી પકડિ તેનાં વસ્ત્રો ખેંચ્યા હતાં. દ્રૌપદી આ સાંભળી બોલી: “હે ઈન્દ્રિયોના નિયંતા ! મારે તો બધૂ6યે આપ જછો. દુ:શાસને દુ:ખી કરેલી મને શું આપ નથી જાણૅતા ? “
“પાપી દુ:શાસને દ્રૌપદીને ભરી સભામાં વસ્ત્રહીન કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણે મને કરુણ સ્વરે પોકાર કર્યો. એટલે હે રાજન ! તરત ગરુડ પર ચડી ત્યાં આવી બાજુ પર ઊભા રહી મેં જ આ દ્રૌપદીને અનેક વસ્ત્રો પૂર્યાં હતાં અને તેની લાજ રાખી હતી.


 હે રાજન! પુરૂષોત્તમ માસ સર્વ ફળ આપનારો છે. આ માસ અત્યંત  પવિત્ર અને સર્વકામનાઓ  પૂર્ણ કરનાર છે. સૂરસૂર-નાગ-મુનિ સર્વે આ માસને શ્રદ્ધા અને ભક્તિથી સેવે છે. માટે તમે હવે આવનારા પુરૂષોત્તમ માસનું આરાધન કરો. ચૌદ વર્ષ પૂરાંથતા6 તમારું સંપૂર્ણ કલ્યાણ થશે. તમારાં કષ્ટો નાશ પામશે અને તમારું ગયેલું રાજ પાછું મળશે અને તમે સર્વ પ્રકારે સુખ-સંપત્તિ પામી અંતે મોક્ષને પ્રાપ્ત કરશો.”


 “હે પાંડુપુત્ર રાજા ! દુ:શાસન, દુર્યોધન વગેરે સર્વ દુષ્ટોને હું યમલોકમાં પહોંચાડીશ.યમરાજા તેમને તેમની કરણીનું ફળ આપશે. હું તો તે દુષ્ટોને શિક્ષા કરવા માટે પણ તેની સામે જોતો નથી.”


“હે રાજા યુધિષ્ઠિર ! હવે હું દ્વારકા જઈશ. ત્યાં બધા મારા આવવાની રાહ જોતા હશે. મારાં દર્શન માટે બધા ખૂબ ઉત્સુક રહે છે.’


ભગવાન શ્રીકૃષ્ણે એમ કહ્યું ત્યારે પાંડવો ગળગળાં અવાજે માંડ બોલી શક્યા. હે પ્રભુ ! તમે જ અમારા તારણહાર છો. અમે તમારા શરણે આવેલા છીએ. તમે અમને માર્ગદર્શન આપજો અને અમારી રક્ષા કરજો.” પાંડવોને આશ્વાસન આપી ધીરજ બંધાવી શ્રીકૃષ્ણ દ્વારકા જવા નીકળ્યા.


 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે  


ભગવાન શ્રીકૃષ્ણ દ્વારકાજવા નીકળ્યા. તે પછી નાના ભાઈઓની સાથે રાજા યુધિષ્ઠિર પણ તેમના વિરહથી ઘણું દુ:ખ પામતાં તીર્થાટન કરવા લાગ્યા.હે નારદમુનિ ! એ પછી પાંદવોએ પુરૂષોત્તમ માસ આવતાં તેનું વિધિ-વિધાનથી પૂજા-જપ-તપ-દાન કર્યું. ભગવાન પુરૂશોત્તમ તેમના ઉપર પ્રસન્ન થયા. એ વ્રતની સમાપ્તિ થયા પછી ચૌદ વર્ષ પૂરાં થતાં જ તેઓએ ભગવાન શ્રીકૃષ્ણની કૃપાથી યુદ્ધમાં વિજય પ્રાપ્ત કર્યો અને નિષ્કંટક અતુલ રાજ્ય પ્રાપ્ત કર્યું.”


સુતજી બોલ્યા : “હે બ્રાહ્મણો ! મેં પુરૂષોત્તમ માસનું માહાત્મ્ય મહામુનિ શ્રી વ્યાસજીના મુખેથી જે સાંભળ્યું છે તે તમને કહ્યું છે. ગોલોકપતિ ભગવાન શ્રીકૃષ્ણે જેને પોતાનો કર્યો છે તે શ્રી પુરૂષોત્તમ માસનું માહાત્મ્ય દેવો પણ જાણી શકતા નથી તો આપણે પામર મનુષ્યો ક્યાંથી જાણી શકવાના? 


“ શ્રી બૃહન્નારદીય પુરાણ” ના પુરૂષોત્તમ માહાત્મ્યનો
“મેઘાવતી પુનર્જન્મમાં દ્રૌપદી થઈ” નામનો બારમો અધ્યાય સંપૂર્ણ.


 હવે પતિતપાવન પુરૂષોત્તમ માસની કથાનું રસપાન કરીએ.


અદેખી ભાભીની વાર્તા


ભક્તિપુર ગામમાં એક ગરીબ બ્રાહ્મણ-બ્રાહ્મણી રહે. બ્રાહ્મણીનું પિયર ગામમાં જ હતું. ભાઈ ઘણો ધનવાન પણ ભાભી ઘણી અદેખી. તેણે ધણીને એવો વશ કરેલો કે ભાઈ પોતાની બેનને કાંઈ મદદ ના કરે. બ્રાહ્મણીને સાત સાત દીકરા. પેટનો ખાડો માંડ પુરાય. ક્યારેક તો ભૂખ્યા સૂવું પડે પણ તોય બ્રાહ્મણી ઘણી ખાનદાન. ગામમાં ભાઈના વખાણ કરતી ફરે.


એવામાં પાવન પુરૂષોત્તમ માસ આવ્યો. બ્રાહ્મણીએ વ્રત લીધું.એની અદેખી ભાભીએ પણ વ્રત લીધું. એને સંપત્તિ અપાર હતી, પણ સંતતિ ન હતી. ભાભી તો સોળ શણગાર સજીને પૂજન કરવા જાય. એમ કરતાં વ્રત પૂર્ણ થયું. ઉજવણાનો દિવસ આવ્યો. ભાભીએ ગામના તમામ બ્રાહ્મણોને નોતરી દીધા. છેલ્લે નણંદના ઘેર આવી અને મોં બગાડીને કહેવાલાગી : “લોકલાજે આવવું પડે એટલે આવી છું. બધા જમી લે પછી હું બોલાવું ત્યારે આવજો, કાળમાંથી ઊઠ્યા હોય એમ ભુખાવળાની જેમ દોડી ન આવતા.”
નણંદને ભાભીના વેણ વસમાં તો બહુ લાગ્યાં પણ એ છાના ખૂણે આંસુ સારીને બેસી રહી. છોકરા તો રાજીના રેડ થઈ ગયા. વાહ ભાઈ વાહ ! મામાના ઘેર જમવા જવાનું, અને મેવા-મીઠાઈ ખાવા મળશે, મજા પડી જવાની.

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે    


બીજા દિવસે બધાય બ્રાહ્મણો જમી પરવાર્યા પણ ભાભી બોલાવવા ન આવી. છોકરા ધમપછાડા કરે છે. બ્રાહ્મણી “હમણાં આવશે, હમણાં આવશે.” એમ સમજાવીને શાંત પાડે છે. એમ કરતાં સાંજ પડી. દી’ આથમી ગયો. ખાઉં ખાઉં કરતાં બિચારા છોકરા ભૂખ્યા-તરસ્યા સૂઈ ગયા. પણ જમવાનું કહેવા ભાભી ન આવી તે ન જ આવી. દીધા નોતરે ભાણેજડા ભૂખ્યા રહ્યા. રાતે બ્રાહ્મણીએ વિચાર કર્યો કે સવારે છોકરા ઊઠીને ખાવા માંગશે ત્યારે શું આપીશ ? બચારા બાળકોને મામીના સ્વભાવની શું સમજ પડે ? અત્યારે તે માંડ માંડ ઝંપીને સૂઈ ગયા છે પણ સવારે વહેલા ઊઠીને પાછા ખાવાનું માંગશે ત્યારે મારે શું જવાબ દેવો ? છેવટે ન છૂટકે બ્રાહ્મણી તો ચૂપચાપ ગઈ ભાભીના ઘેર. ત્યાં તો રોશની ઝળહળે છે. મંગલગીત ગવાય છે. ઘરના ખૂણે એઠાં પતરાળાંનો ઢગલો પડ્યો છે. બ્રાહ્મણી તો આઠ-દસ પતરાળાં સાડલામાં છુપાવીને ઘેર આવી, એમાં જે એઠું-જૂઠું વધ્યું હતું એના લાડવા વાળીને પતરાળાં ઘરના ખૂણે ફેંકી દીધાં અને સૂઈ ગઈ. એણે વિચાર્યુંકે છોકરા સવારે ઊઠશે એટલે આ લાડવા આપીશ, તો બચારા ખુશ ખુશ થઈ જશે.


રોજની ટેવ પ્રમાણે બ્રાહ્મમુહૂર્તે ઊઠીને એણે દીવો કર્યો. ત્યાં ખૂણામાં કાંઈક ચળકતુ જોયું. જઈને જોયું તો બધાય પતરાળાં સોનાના થઈ ગયાં છે. એણે તો પતિને જગાડ્યો. પતિ-પત્ની વિચાર કરવા લાગ્યા કે આ તો ભાઈનાં પતરાળાં, ભલેને સોનાનાં રહ્યાં તોય આપણાથી ન લેવાય.


બ્રાહ્મણી તો તરત દોડતી ગઈ ને ભાઈને તેડી લાવી. સોનાનાં પતરાળાં બતાવીને બધી વાત કરી ત્યારે બહેનની ખાનદાની જોઈ ભાઈની આંખમાંથી ડબ ડબ કરતાં આંસુ સરી પડ્યાં. એણે એ પતરાળાં બહેનને કાપડામાં દઈ દીધાં. પુરૂષોત્તમ પ્રભુની દયાથી બ્રાહ્મણી પળવારમાં ધનવાન થઈ ગઈ. એણે તો આખા ગામને જમવા તેડ્યું. ભાભીને પણ નોંતરું દીધું. ભાઈ-ભાભી જમવા આવ્યા. ભાણેજ પીરસવા લાગ્યા. મામીના ભાણામાં સવા શેર સોનાનો લાડવો મૂક્યો.


મામી ભડકી ! “કેમ આમ સોનાનો લાડવો મૂકો છો ?”


“મામી!” ભાણેજડા બોલ્યા : “અમે ગરીબ હતા ત્યારે તમે અમને ધિક્કારતા હતા ને બોલાવતા નહોતા અને આજ અમે ધનવાન થયા તો તમે દોડતા આવ્યા. જે કાંઈ છે એ સોનાની કૃપા છે. તમને સોનું વહાલું છે એટલે જમવામાં પણ એ જ દીધું છે. જમો તમ તમારે નિરાંતે !”


મામીની આંખમાંથી પશ્ચાતાપના આંસુ વહેવા લાગ્યાં. એ ઊઠીને નણંદ પાસે આવી અને સાચા દિલથી માફી માંગવા લાગી. નણંદ તો દયાળુ જ હતી. તરત ભાભીને માફ કરી દીધી.


 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે  


બ્રાહ્મણીની પ્રાર્થનાથી ભાભીનો ખોળો ભરાયો અને સૌ સારા વાનાં થયાં.
 “શ્રદ્ધા થકી જે વ્રત કરે, નર હોય કે નાર;

ફળ તેને લાધશે, નિશ્ચે માનજો એ સાર.”


          હે પુરૂષોત્તમરાય ! તમે જેવા ભોળી બ્રાહ્મણીને ફળ્યા એવા સૈને ફળજો.






અઘિક માસની સુદ પક્ષની પદ્મિની એકાદશી માહાત્મ્ય વ્રત કથા | Padmini Ekadashi Vrat Katha Gujarati | Okhaharan

 અઘિક માસની સુદ પક્ષની પદ્મિની એકાદશી માહાત્મ્ય વ્રત કથા | Padmini Ekadashi Vrat Katha Gujarati | Okhaharan 

padmini-ekadashi-vrat-katha-gujarati
padmini-ekadashi-vrat-katha-gujarati


શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીએ અઘિક માસની વદ પક્ષની પદ્મિની એકાદશી માહાત્મ્ય વ્રત કથા 


એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ 


 ધર્મરાજા આગળ ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે હવે દર ત્રણ વર્ષે આવતા અધિક માસની બંને એકાદશીનાં માહાત્મ્યો કહી સંભળાવું છું. પવિત્ર અધિક માસની શુક્લ એકાદશીનું નામ પદ્મિની છે. આખો માસ વ્રત કરનારે આ એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ. આ એકાદશીનું સંપૂર્ણ ફળ કહેવાની બ્રહ્માજીમાં પણ શક્તિ નથી.


દશમને દિવસે કાંસાના પાત્રમાં ભોજન, અડદ, મસૂર, ચણા, મધ અને પારકા ભોજનનો ત્યાગ કરીને એકટાણું કરવું અને એકાદશીના દિવસે સ્નાનાદિથી નિવૃત થઈને ભગવાન વિષ્ણુનું જ પૂજન કરવું, સ્નાન કરતી વખતે આમળાનું ચૂર્ણ ચોળવું, ભગવાન વારાહથી પવિત્ર થયેલી પૃથ્વીની રજ તથા ગોમય આદિથી પણ સ્નાન કરીને પવિત્ર બનવું. પવિત્ર સ્વચ્છ વસ્ત્રો પહેરીને તાંબા અથવા  માટીના કુંભની સ્થાપના કરી તેમાં ભગવાન નારાયણનું પૂજનપ્રતિષ્ઠા આદિ કરવું. નૈવેદ્ય આદિથી ભગવાનને પ્રસન્ન કરવા આ દિવસે પાપી મનુષ્યો સાથે સંભાષણ, અસત્ય, અન્ન અને અધર્મથી બચવું, બની શકે તો દૂધનો આહાર લઈને કે ફલાહાર કરીને ઉપવાસ કરવો, રાત્રે હરિકીર્તન, ભજન આદિ વડે જાગરણ કરવું. 
બારસને દિવસે કુંભ પર પધરાવેલ ભગવાન નારાયણનું ઉત્તમ ભોજન કરીને બ્રાહ્મણભોજન કરાવીને પારણું કરવું.


વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે


આ વ્રતના પ્રભાવથી મહાબળવાન લંકાપતિ કાર્તવીર્યના હાથે પરાજિત થયો હતો. તેનું આખ્યાન આ પ્રમાણે છે –


ત્રેતાયુગની આ કથા છે. માહિષ્મતિ નામની નગરીમાં હૈહય નામે એક રાજા રાજ્ય કરતો હતો. તેના વંશમાં એક કૃતવીર્ય નામે પુત્ર જન્મ્યો હતો; તેને એક હજાર સ્ત્રીઓ હતી, પરંતુ કોઈના ઉદરથી પુત્ર જન્મ થયો ન હતો. રાજાએ એના માટે અનેક તપો, વ્રતો અને નિયમો લેવડાવ્યા, પરંતુ કોઈ ફળ મળ્યું નહીં, નિરાશ થયેલા કૃતવીર્યને આખરે વૈરાગ્ય આવી ગયો. મંત્રીઓને રાજ્ય સોંપીને તે જંગલમાં ચાલી નીકળ્યો.


એક હજાર રાણીઓમાં વધારે માનીતી હરિશ્ચંદ્રની પુત્રી પદ્મિની પોતાના પતિની પાછળ પાછળ ચાલી. રાજ્ય સુખ-સંપત્તિનો તેણે પોતાના પતિની ખાતર ત્યાગ કર્યો. ગંધમાદન પર્વત પર પોતાના પતિની પાછળ પાછળ ફરવા લાગી. રાજાએ એ પર્વત પર બેસીને દશ હજાર વર્ષ સુધી તપ કર્યું. આ તપથી રાજાનું શરીર હાડપિંજર જેવું બની ગયું.


એક વાર પદ્મિનીએ મહાસતી અનસૂયાને પ્રશ્ન કર્યો :”હે માતા ! મારા પતિદેવ હજારો વર્ષોથી પુત્રસુખ માટે તપ કરી રહ્યા છે, છતાં એ તપના ફળદાતા ભગવાન કેમ પ્રસન્ન થતા નથી !


અનસૂયાએ કહ્યું : “હે પરમસાધ્વી ! પુત્રનું વરદાન મેળવવા ભગવાનને પ્રસન્ન કરવા અને તપ કરવાની જરૂર નથી, અધિક માસની શુક્લ એકાદશીનું વ્રત કર.” માતા અનસૂયાના કહેવાથી પદ્મિનીએ આ વ્રત કર્યું. વિધિપૂર્વક પૂજન અને જાગરણ પણ કર્યું. આથી ભગવાન તેના પર પ્રસન્ન થયા અને તેને દશે દિશામાં વિજય મેળવે તેવા પુત્રનું વરદાન આપ્યું. રાજા પણ પત્નીના આ વ્રતથી પ્રસન્ન થયેલા ભગવાન વિષ્ણુનાંચરણોમાંપડી ગયો.


 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે


તપશ્ચર્યા પૂર્ણ કરીને રાજા અને રાણી પોતાના રાજ્યમાં ગયા. થોડા સમયમાં રાજા-રાણી બંને પહેલાની જેમ તેજસ્વી બની ગયા. ભગવાનનાં વરદાનથી એને ત્યાં દશમે મહિને એક મહાબળવાન પુત્ર જન્મ્યો. તેનું નામ કાર્તવીર્ય પડ્યું. એ કાર્તવીર્યે  મહાપરાક્રમશાળી રાવણને પણ કેદ કર્યો હતો. પદ્મિની એકાદશીના પ્રભાવથી એ પુત્રનો પ્રભાવ ત્રણે લોકમાં વૃદ્ધિ પામ્યો.


જેને ત્યાંસંતાનસુખ ન હોય તેવાઓએ, પુત્ર, ધન કે યશની ઈચ્છાવાળાઓએ આ એકાદશીનું વ્રત અવશ્ય કરવું.



કાંઠા ગોરમાં ની વાતૉ શ્રી પુરૂષોત્તમ કથા પ્રથમ અધ્યાય


 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે  

 

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે    

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે  

 

સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે     


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત 

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી 


 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

શુક્રવાર, 28 જુલાઈ, 2023

પુરુષોત્તમ માસ કથા અધ્યાય અગિયારમો | Purushottam Maas Katha Adhyay 11 in Gujarati | Adhyay 11 | | Adhik Mass 2023 | Okhaharan |

પુરુષોત્તમ માસ કથા અધ્યાય અગિયારમો |  Purushottam Maas Katha Adhyay 11 in Gujarati  | Adhyay 11 | | Adhik Mass 2023 | Okhaharan | 

purushottam-maas-katha-adhyay-11-in-gujarati
purushottam-maas-katha-adhyay-11-in-gujarati

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું પુરૂષોત્તમ માસની કથા અધ્યાય અગિયારમો મેઘાવતીને શિવનું વરદાન અને અમૃત ધારા જે વાતૉ કહેવાય વણિકની વાર્તા.

પુરુષોત્તમ માસ કથા અધ્યાય દસમો


અધ્યાય અગિયારમો : મેઘાવતીને શિવનું વરદાન


નારદે પૂછ્યું : “હે મહામુનિ ! એ કુમારીએ સર્વ મુનિઓને પણ કરવું ઘણું મુશ્કેલ થાય એવું જે મહાન કર્મ કર્યું હતું તે કહો.”


શ્રી નારાયણ બોલ્યા : “તે પછી તે ઋષિકન્યા મેઘાવતીએ ઘણી જ સખત તપશ્ચર્યા શરૂ કરી દીધી અને સનાતન દેવ શંકરનું તે ચિંતન કરવા લાગી. જેમનું લલાટ ચંદ્રની કળાથી શોભી રહ્યું છે અને જટાજૂટથી જે ઘણા જ શોભી રહ્યા છે.


“એ શંકર દેવનો આશ્રયકરી એ બાળા ઘણું આકરું તપ કરવા લાગી. ગ્રીષ્મ ઋતુના સૂર્યમાં તે પંચાગ્નિના મધ્યમાં બેસતી, હેમંત ઋતુમાં તે જળ મધ્યે બેસતી, ચોમાસામાં ઘાસની પથારી કરી ઓઢ્યા વગર સૂઈ રહેતી. આહારમાં ફક્ત ધુમાડો જ ગ્રહણ કરતી તે કન્યા તપ કરવા લાગી. સર્વ દેવોતેને તપથી રોકી શક્યા નહી અને સર્વ મહર્ષિઓમાં તે પ્રિય થઈ પડી. આ રીતે ઋષિકન્યા મેઘાવતીએ નવ હજાર વર્ષ સુધી તપ કર્યું.


મેઘાવતીના એ તપથી પાર્વતીપતિ ભગવાન શંકર પ્રસન્ન થયા અને તેમણે પોતાના અગોચર સ્વરૂપનું એ બાળાને દર્શન દીધું. તપ કરવાને લીધે શરીરે સાવ કૃશ થઈ ગયેલી તે કન્યા ભગવાન શંકરનાં દર્શનમાત્રથી ઉત્સાહિત બની ઊભી થઈ ગઈ જાણે દેહમાં પ્રાણ આવ્યા હોય ! ભગવાન શંકરની કૃપાદ્રષ્ટિથીસિંચાઈને ગૌરવશાળી બનેલી તે બાળાએનીચા વળી પાર્વતીપતિ શંકરને વંદન કર્યા. ભક્તિયુક્ત ચિત્ત વડે તે જગન્નાથની આ પ્રમાણે સ્તુતુ કરવા લાગી.


“હે પાર્વતીનાપ્રિય પ્રાણનાથ ! હે પ્રભો શંકર ! હે ભુતેશ ! હે ગૌરેશ ! હે શંભો ! ચંદ્ર, સૂર્ય, અગ્નિરૂપ દિવ્ય ત્રિનેત્રવાળા, ગળામાં સર્પોની માળા ધારણ કરનારા હે પ્રભુ ! આપને નમસ્કાર છે. મનુષ્ય અનેક સંતાપથી ઘેરાઈને શરીરે પીડાયો હોય, ઘોર સમુદ્રમાં ઘણા જ ડૂબકા ખાતો હોય અને દુષ્ટ સર્પ સરખા કાળની તીક્ષ્ણ દાઢોથી દંશાયેલો હોય તો પણ શરણે આવેલા પર કૃપા કરનાર આપને શરણે આવીને સર્વ દુ:ખોથી છૂટી જાય છે. હે જનમ-મરણને હરનારા આપને નમસ્કાર છે. હે પાપને હરનારા પ્રભુ ! હું આપના શરણે આવી છું. મારી રક્ષા કરો.”


શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે


એમ મન તથા વચનથી શંકરની સ્તુતિ કરીને એ તપસ્વિની મેઘાવી કન્યા શાંત થઈ. તેણીએ કરેલું એ સ્તોત્ર સાંભળી સદાશિવ ભગવાનનું મુખ કમળ પ્રસન્ન બન્યું. તેમણે એની ઘણી સખત તપશ્ચર્યાથી સંતુષ્ટ થઈને આ પ્રમાણે કહ્યું :         “હે તપસ્વિની !તારા મનમાં જેની ઈચ્છા હોય તે વર તું માંગ, હું તારા પર પ્રસન્ન થયો છું. “


શિવજીનું એ વચન સાંભળી કુમારી મેઘાવતી આનંદમાં મગ્ન બની, તેણીએ અતિશય પ્રસન્ન થયેલા સદાશિવને આ પ્રમાણે કહ્યું :


અઘિક માસની " પદ્મિની એકાદશી 2023 " ઉપવાસ ક્યારે કરવો?


બાળા બોલી : “હે દીનાનાથ ! જો આપ મારા પર પ્રસન્ન થયા હો તો મારા મનમાં જેની ઈચ્છા છે તે આપ આપો.મને પતિ આપો, પતિ આપો, પતિ આપો, પતિ આપો, પતિ આપો… પતિ સિવાય મારા હૃદયમાં બીજી કોઈ ઈચ્છા નથી.”


શંકરને એમ કહી ઋષિ કન્યા મેઘાવતી તે વખતે બોલતી બંધ થઈ. મહાદેવે તે મુનિ કન્યાને આ પ્રમાણે કહ્યું : “હે મુનિકન્યા ! તેં તારા મોઢે જે કહ્યું તે થાઓ. તેં પાંચ વાર પતિની માંગણી કરી તેથી હવે તારે પાંચ પતિ થશે.જે પોતાના ગુણોથી પ્રખ્યાત, શૂરવીર,દાનવીર, ધર્મનું આચરણ કરવાવાળા, જિતેન્દ્રીય, પરસ્ત્રીની સામે કદી ખરાબ દ્રષ્ટીથી ન જોનાર,રાજવંશી ક્ષત્રિયો અને ગુણોથી શોભનારા હશે.”


મહાદેવજીનું આવું વરદાન સાંભળી મેઘાવતી ડઘાઈ ગઈ અને બોલી : “હે પાર્વતીપતિ ! તમે આ કેવું વરદાન આપ્યું. એક પુરૂષને પાંચ પત્નીઓ હોય છે, પણ એક સ્ત્રીને પાંચ પતિ હોય તેવું મેં જોયુંય નથી કે સાંભળ્યુંય નથી. મારા સંબંધમાં આવું વચન બોલવું આપને યોગ્ય નથી. આપના આવા વરદાનથી જગત આખામાં મારી હાંસી થશે. હું આપની ભક્ત છું. આપ કૃપા કરી મને આવું અયોગ્ય વરદાન આપશો નહીં. આ તો મારી વર્ષોની તપસ્યા એળે ગઈ એવું મને લાગે છે.”  આમ બોલી તે અત્યંત દુ:ખી થઈ રુદન કરવા લાગી.


તેને આમ વિલાપ કરતી જોઈ ભગવાન શિવ બોલ્યા : “હે ભયભીત થયેલી બાળા ! આ જન્મમાં એમ નહિ થાય, પણ બીજા જન્મમાં એમ થશે. મહામુનિ દુર્વાસા મારી પ્રિય મૂર્તિ છે. તેમના શબ્દોનું તેં અપમાન કર્યું છે. એ જો કોપાયમાન થાય તો ત્રણે જગતને બાળી નાખવા સમર્થ છે અને સર્વ દેવોને જે પ્રિય છે એવો ગોલોકપતિ ભગવાન કૃષ્ણનો પુરૂષોત્તમ માસ તેં કર્યો નથી અને ઉપરથી તેનો તિરસ્કાર કરી તેની નિંદા કરી છે. એ કારણથી તારા પાંચ પતિ થશે. અમે બધા દેવો પણ પુરૂષોત્તમ માસને શ્રદ્ધાપૂર્વક સેવીએ છીએ. જો શ્રેષ્ઠ રીતે જપ, તપ, વ્રત, પૂજા કરવામાં આવે તો પુરૂષોત્તમ ભગવાન જલદી પ્રસન્ન થાય છે. પણ તેઓનું અપમાન તો કદી ન જ થાય. તેં એમનું અપમાન કર્યુંછે, તેનું ફળ તારે ભોગવવું જ પડશે.”
એમ બોલી ભગવાન નીલકંઠ શંકર તરત અદ્રશ્ય થઈ ગયા અને એ ઋષિકન્યા તો ટોળાથી વિખૂટી પડેલી મૃગલીની પેઠે ચકિત જ થઈ ગઈ.
સુત બોલ્યા : “હે મુનિશ્વરો ! જેમનો લલાટપ્રદેશ ચંદ્રની કળાની નિશાનીવાળો છે, એવા સદાશિવ શંકર ઈશાન દિશામાં જતા રહ્યા. મુનિરાજની કન્યા મેઘાવતીને જેમ બ્રહ્મ હત્યાએ ઈંદ્રને દુ:ખી કર્યો હતો તેમ ચિંતાએ દુ:ખી કરી નાખી.”


એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ 


“ શ્રી બૃહન્નારદીય પુરાણ” ના પુરૂષોત્તમ માહાત્મ્યનો
“મેઘાવતીને શિવનું વરદાન” નામનો અગિયારમો અધ્યાય સંપૂર્ણ.
 
હવે પતિતપાવન પુરૂષોત્તમ માસની કથાનું રસપાન કરીએ.


વણિકની વાર્તા


એક ગામમાં ગરીબ વિપ્ર દંપત્તિ રહે. સંતાનમાં સાત છોકરા, માંડ માંડ ગુજરાન ચાલે. એક સાંધે ત્યાં તેર તૂટે એવી ગરીબી. એક વાર ગામમાં એક મહાત્મા આવ્યા. બ્રાહ્મણની ગરીબી જોઈને તેમનું દિલ દ્રવી ઊઠ્યું અને તેના ઉપાય તરીકે તેને પૂર્ણ શ્રદ્ધાથી પુરૂષોત્તમ માસનું વ્રત કરવા કહ્યું.
પાવન પુરૂષોત્તમ માસ આવતાં બ્રાહ્મણ-બ્રાહ્મણીએ વ્રતનો સંકલ્પ કર્યો. પડોશમાં એક વણિક રહેતો હતો. ચમડી તૂટે પણ દમડી ન છૂટે. એવો મહાકંજૂસ. ક્યારેય દાન-ધરમ કરે નહીં. સંતાનમાં એને સાત દીકરી પણ દીકરો એકેય નહી. 


પુરૂષોત્તમ મહિનામાં લોકોને વ્રત કરતાં જોઈ વણિકે પણ વિચાર કર્યો કે મારી પત્ની ગર્ભવતી છે. લાવને હુંય આ વ્રત કરું. કદાચ પ્રભુ દયા કરીને આ વખતે દીકરો આપે. વણિકે પણ વ્રત શરૂ કર્યું. એ પણ બ્રાહ્મણ-બ્રાહ્મણી સાથે નદીએ નહાવા જવા લાગ્યો. ત્યાં સ્નાન કરે. વાર્તા સાંભળે પણ જ્યાં દાન-દક્ષિણા આપવાની વાત આવે ત્યાં આડું જોઈ જાય. કદી કોઈને કશું આપ્યું ન હતું, એટલે પાઈ-પૈસો આપતાં જીવ ન ચાલે.


એમ કરતાં કમલા એકાદશી આવી.રાતે શેઠને પુરૂષોત્તમ પ્રભુએ દર્શન દીધાં અને કહ્યું કે “હે વણિક ! જીવનમાં તે કોઈ પુણ્યનું કામ કર્યું નથી, તે કદી ભૂખ્યાને અન્ન અને તરસ્યાને પાણી આપ્યું નથી. તારી પાસે આટલી અઢળક સંપત્તિ હોવા છતાં તે કદી પાઈનું દાન કર્યું નથી. પછી ભગવાનની કૃપા તારા પર ક્યાંથી ઊતરે ? પણ હે શેઠ ! ભલે સ્વાર્થવશ પણ તેં મારું વ્રત કર્યું છે તેથી હું પ્રસન્ન થયો છું અને તને પુત્ર પ્રાપ્ત થશે.પરંતુ તારે મારી વાત માનવી પડશે. તારા એ પુત્રના ભારોભાર સુવર્ણદાન તારી પડોશમાં રહેતા દરિદ્ર બ્રાહ્મણને કરજે અને એના દારિદ્રયને ટાળજે. આ પ્રમાણે કરીશ તો મારી કૃપા તારા ઉપર સદાય રહેશે.”  સપનામાં દર્શન આપીને પ્રભુ અંતર્ધ્યાન થઈ ગયા. 
પ્રભુના દર્શનથી શેઠના સર્વે પાપ બળી ગયાં.


સૂર્યોદય થતાં જ દાયણે પુત્ર જન્મના સમાચાર આપ્યા. શેઠે એને મોં માગ્યું ઈનામ આપ્યું અને દિલ ખોલીને ગરીબ-ગુરબાને દાન દીધાં.


પ્રથમ પ્રહરે જ ગરીબ બ્રાહ્મણને બોલાવ્યો અને પુત્રના વજન જેટલી સોનામહોરનું દાન કર્યું. બ્રાહ્મણનું દારિદ્રય ટળ્યું. આખી જિંદગી બેઠાં બેઠાં ખાય તો પણ ન ખૂટે એટલું ધન બ્રાહ્મણને મળ્યું. બ્રાહ્મણ-બ્રાહ્મણીએ અને શેઠ-શેઠાણીએ આજીવન પુરૂષોત્તમ વ્રત કરવાનો સંકલ્પ કર્યો.


વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે


હે પૂર્ણ પુરૂષોત્તમ પ્રભુ ! તમે જેવા બ્રાહ્મણ-બ્રાહ્મણી અને શેઠ-શેઠાણીને ફળ્યા એવા વ્રત કરનાર સૌને ફળજો.


કાંઠા ગોરમાં ની વાતૉ શ્રી પુરૂષોત્તમ કથા પ્રથમ અધ્યાય



""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે  

 

સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે     

 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે  

 

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે    

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે  


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત 

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી 


 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

ગુરુવાર, 27 જુલાઈ, 2023

પુરુષોત્તમ માસ કથા અધ્યાય દસમો | Purushottam Maas Katha Adhyay 10 in Gujarati | Adhyay 10 | | Adhik Mass 2023 | Okhaharan |

પુરુષોત્તમ માસ કથા અધ્યાય દસમો |  Purushottam Maas Katha Adhyay 10 in Gujarati  | Adhyay 10 | | Adhik Mass 2023 | Okhaharan | 

purushottam-maas-katha-adhyay-10-in-gujarati
purushottam-maas-katha-adhyay-10-in-gujarati

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું પુરૂષોત્તમ માસની કથા અધ્યાય દસમો : દુર્વાસા- મેઘાવતી સંવાદ અને અમૃત ધારા જે વાતૉ કહેવાય દેડકાદેવની વાર્તા.


પુરુષોત્તમ માસ કથા અધ્યાય નવમો 


અધ્યાય દસમો : દુર્વાસા- મેઘાવતી સંવાદ 


નારદે ભગવાન નારાયણને પૂછ્યું : “ હે પ્રભુ ! મહા તેજસ્વી અને ઘણાં જ ક્રોધી મુનિ દુર્વાસાએ વિચાર કર્યા પછી એ ઋષિ કન્યાને શું કહ્યું હતું તે મને કહો ! ”


સુત બોલ્યા : “હે બ્રાહ્મણો ! નારદનું વચન સાંભળી બદરીપતિ શ્રી નારાયણ સર્વેને હિતકારી એવું દુર્વાસાનું ગુપ્ત વચન કહેવા લાગ્યા.”
શ્રી નારાયણ બોલ્યા : “ હે નારદ! મેઘાવી ઋષિની કન્યાનું દુ:ખ દૂર કરવા માટે કૃપાળુ મુનિ દુર્વાસાએ તે વખતે જે કહ્યું હતું તે તમને કહું છું.”
દુર્વાસા બોલ્યા : “ હે પુત્રી ! તારા સર્વે દુ:ખોના નિવારણ માટેનો તને જે ઉપાય કહું છું તે સાંભળ ! આ હું તને જે કહું છું તે ગુપ્ત કરતા પણ અતિશય મહાગુપ્ત છે. હું તને ટૂંકમાં કહું છું. આજથી જે ત્રીજો મહિનો આવશે તે પુરૂષોત્તમ માસ કહેવાય છે. આ માસમાં સ્નાન કરનારો મનુષ્ય બાળહત્યાના પાપથી છૂટી જાય છે. 

હે દીકરી ! કાર્તિક વગેરે મહિનાઓમાં પુરૂષોત્તમ માસ જેવો બીજો કોઈ મહિનો નથી. હે બાળા ! પુરૂષોત્તમ નામનો એ મહિનો શ્રીકૃષ્ણને ઘણો જ વહાલો છે. આ માસમાં સ્નાન, દાન, જપ, વગેરે કરવાથી સર્વ મનોવાંછિત ફળ પ્રાપ્ત થાય છે. એટલેતું આ પવિત્ર પુરૂષોત્તમ માસનું સેવન કરજે. હું પણ હર્ષથી પુરૂષોત્તમ માસને સેવું છું.”


“એક વખત મેં ક્રોધથી અંબરીષ રાજાને બાળી નાખવા (અગ્નિની તીવ્ર શક્તિ) કૃત્યા છોડી હતી. તે વખતે હે બાળા ! પોતાના ભક્તની રક્ષા કરવા માટે શ્રીહરિ વિષ્ણુએ સુદર્શન ચક્ર મારા તરફ છોડ્યું હતું. તે વેળા મેં સેવેલા પુરૂષોત્તમ માસના પ્રભાવથી જ તે ચક્ર પાછું ફર્યું હતું અને મારો બચાવ થયો હતો. માટે હે બાળા ! મારી તને સલાહ છે કે તું પુરૂષોત્તમ માસનું સેવન કર. જેથી તારાં તમામ દુ:ખોનું નિરાકારણ થશે.”


શ્રીકૃષ્ણે કહ્યું: “હે રાજા યુધિષ્ઠિર! દુર્વાસાનું વચન સાંભળી એ નાદાન બાળાના મનમાં ક્રોધ પેદા થયો અને મુનિશ્રેષ્ઠને કહેવા લાગી:


“હે મહામુનિ ! તમારી વાતને હું સ્વીકારી શકતી નથી. આપ અન્ય બીજા શ્રેષ્ઠ દેવોનો ત્યાગ કરી પુરૂષોત્તમ દેવને કેમ વખાણો છો ? આ પૃથ્વી ઉપર સૂર્ય, ચંદ્ર, શિવ, ભવાની, જગદંબા આદિ દેવ-દેવીઓ મનવાંછિત ફળ આપનારા અને મનોકામના પૂર્ણ કરનારા છે. એમાં પણ શિવ અને શ્રી રામ તો સૌથી ઉત્તમ અને શ્રેષ્ઠ દેવતાઓ છે, જેને ભજવાથી સંપૂર્ણ કષ્ટો  નાશ પામે  છે. હું સદાય સીતાપતિ રામ અને ભવાનીપતિ શિવનું જ સ્મરણ કરું છું. મને પૂર્ણ શ્રદ્ધા છે કે તે મારા સર્વ કષ્ટોનું નિવારણ કરશે. મારા દુ:ખોને દૂર કરશે. આપ જેવા જ્ઞાની અને વિદ્વાન મુનિ અન્ય મહિનાઓને ઓછા ફળ આપનારા અને મળમાસને શ્રેષ્ઠ ફળ આપનાર શા માટે કહો છો ? આપ જેને કોઈ જાણતું નથી તેવા પુરૂષોત્તમ માસના વખાણ શા માટે કરો છો ?”

ગાયને એક વસ્તુ ખવડાવવાથી 24 કલાક મા સવૅ મનોકામના પૂણૅ થાય  સાથે ઈચ્છાપૂર્તિ થાય


બ્રાહ્મણપુત્રી મેઘાવતીએ આવું કહ્યું ત્યારે ક્રોધી સ્વભાવના દુર્વાસા મુનિ સળગી ઊઠ્યા. ત્પ પણ પોતાના મિત્રની નિરાધાર શોકગ્રસ્ત પુત્રીને તેમણે શાપ ન આપ્યો. પુરૂષોત્તમ માસનું માહાત્મ્ય વિદ્વાનોને પણ સમજવું મુશ્કેલછ, તો આ તો દુનિયાદારીથી અજાણ મૂઢ બાળક જેવી છે, 


જે પોતાના હિતને સમજતી નથી, તેથી તે પાવન પુરૂષોત્તમ માસના પ્રભાવથી સાવ અજાણ છે. આમ સમજી દુર્વાસા મુનિએ મનમાં રહેલા ક્રોધને સંકેલી લીધો અને સ્વસ્થ થઈ અતિશય વિહવળ બનેલી તે બાળાને કહેવા માંડ્યું.


દુર્વાસા બોલ્યા : “ હે બાળા  ! તું મારા મિત્રની પુત્રી છે. તેથી તારા પર મને કોઈ જાતનો ક્રોધ નથી. તેં પુરૂષોત્તમ માસનો અનાદર કર્યો છે તેનું ફળ તને આ જન્મમાં કે બીજા જન્મમાં મળશે જ. શુભ કે અશુભ જે કંઈ થવાનું હોય છે તેને કોઈ પણ ટાળી શકતું નથી. હું તો બદરિકાશ્રમમાં જાઉં છું. તારું કલ્યાણ થાવ.”


એમ કહી તમોગુણી છતાં મહાતપસ્વી એ દુર્વાસા મુનિ તરત જજતા રહ્યા અને તે જ ક્ષણે એ મુનિકન્યા પુરૂષોત્તમ માસનું અપમાન કરવાથી ઝાંખી પડી ગઈ. ખૂબ મનોમંથનના અંતે તેણે વિચાર્યું: “હું તપશ્ચર્યા કરી દેવોના ઈશ્વર પાર્વતીપતિ શંકરની આરાધના કરું. કેમકે એ ભગવાન તત્કાળ ફળ આપનાર છે.”


પછી પોતાના આશ્રમમાં જ રહી તેણે ઘણું મોટું ફળ આપનારા લક્ષ્મીપતિ વિષ્ણુ અને એવું જ મહાન ફળ આપનારા સાવિત્રી પતિ બ્રહ્માજીનો ત્યાગ કરી માત્ર ભગવાન શંકરને પ્રસન્ન કરવા ઉગ્ર તપસ્યા આદરી.


“ શ્રી બૃહન્નારદીય પુરાણ” ના પુરૂષોત્તમ માહાત્મ્યનો
“દુર્વાસા- મેઘાવતી સંવાદ” નામનો દસમો અધ્યાય સંપૂર્ણ.
 
હવે પતિતપાવન પુરૂષોત્તમ માસની કથાનું રસપાન કરીએ.


દેડકાદેવની વાર્તા


અઘિક માસની " પદ્મિની એકાદશી 2023 " ઉપવાસ ક્યારે કરવો?


એક ગામમાં ડોશી રહે. દુનિયામાં એનું કોઈ આગળ નહિ અને કોઈ પાછળ નહિ. રેંટિયો કાંતે ને પેટ ભરે. પ્રભુ સ્મરણમાં દિવસ કાઢે. એવામાં પુરૂષોત્તમ માસ આવ્યો. ડોશી વલોપાત કરવા લાગ્યાં કે પ્રભુએ એકાદ દીકરો દીધો હોત તો વહુ લાવત. ઘરનું કામકાજ વહુને સોંપીને નિરાંતથી પ્રભુભક્તિ કરત. રાંધવા-ચીંધવાની કડાકૂટમાં પુરૂષોત્તમ પ્રભુને નિરાંત જીવે ભજાતા નથી. આવો વલોપાત કરતી ડોશી દાતણ કાપવા ગઈ. દાતણ કાપતાં કાંટો વાગ્યો. થોડા સમય પછી હથેળીમાં થયો ફોડલો. પીડાથી રહેવાય નહી. પાણી અડે ને ફોડલો મોટો થતો જાય. પીડા વધતી જાય. પુરૂષોત્તમ વ્રત લીધેલું એટલે નદીએ નહાવા તો જવું જ પડે.


એક દિવસ ફોડલો ફૂટ્યો અને એમાંથી નીકળ્યો દેડકો. ડ્રાંઉ ડ્રાંઉ કરતો આખા ઘરમાં  ફરવા લાગ્યો. ડોશીને તો મજા પડી ગઈ. સુખ-દુ:ખની વાત સાંભળનારું મળી ગયું. ડોશી તો દેડકાને રમાડે, જમાડે અને જ્યાં જાય ત્યાં સાથે લઈ જાય. આખું ગામ એને દેડકાવાળી ડોશી કહીને દાંત કાઢે પણ ડોશીને કોઈની પરવા નહીં. એ તો ભલા ને એનો દેડકો ભલો !


પુરૂષોત્તમ માસ પૂર્ણ થયો પણ દેડકો તો રોજ ડ્રાંઉ ડ્રાંઉ કરતો નદીએ પહોંચી જાય. ત્યાં દેડકાનું ખોળિયું ઉતારીને અસલ સ્વરૂપ ધારણ કરે. સ્નાન કરીને પાછું દેડકાનું ખોળિયું ધારણ કરી લે અને ઘેર આવે. એ દેડકો સ્વયં પુરૂષોત્તમ પ્રભુ હતા.


નદીના સામે કાંઠે રાજાનો મહેલ હતો. એક દિવસ પરોઢિયે રાજાની કુંવરીની ઊંઘ ઊડી ગઈ. કુંવરી તો ઝરૂખે આવીને ઊભી રહી. સામે જ નદી છે. નદીમાં એક દેવ પુરૂષ સ્નાન કરી રહ્યો છે. કુંવરી મોહિત થઈ ગઈ. થોડી વારે દેવ પુરૂષ નદીમાંથી નીકળ્યો અને દેડકાનું ખોળિયું ધારણ કરીને ચાલ્યો. કુંવરીએ સંકલ્પ કરી લીધો કે પરણું તો આ પુરૂષને જ પરણું. બીજા બધા મારે ભા‌ઈ-બાપ !


પછી તો રાજકુંવરી નિત્ય વહેલી ઊઠીને ઝરૂખે બેસે અને એ દિવ્ય પુરૂષનાં દર્શન કરે.


ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ


એવામાં કુંવરીના માંગાં આવ્યાં. પણ કુંવરીએ ચોખ્ખી ના પાડી દીધીઅને કહ્યું કે વરીશ તો દેડકાને જ વરીશ. કુંવરીની આવી મુર્ખામી ભરેલી વાત સાંભળી રાજા ક્રોધિત થયો. સામ-દામ-દંડ-ભેદ અજમાવ્યા. પણ કુંવરી એકની બે ન થઈ. એણે તો અન્નજળ છોડી દીધા. હારીને રાજાએ ડોશીને બોલાવી. વાત જાણતાંજ ડોશી તો હરખાવા લાગી. દેડકાને કુંવરી વરતી હોય એ તો ગોળ કરતાંય ગળ્યું.


ઘડિયા લગ્ન લેવાયાં. વાત ગામમાં ફેલાઈ. બધા દાંત કાઢવા લાગ્યા. જાતજાતની વાતો કરવા લાગ્યા. રાજા-રાણીની ભોંઠપનો પાર નથી પણ કુંવરી હરખાય છે. કુંવરી દેડકા સાથે ચાર ફેરા ફરી. ડોશી વરઘોડિયાને લઈને ઝૂંપડીએ આવી.


રાત પડતાં તો ડોશી ઊંઘી ગઈ. કુંવરી જાગે છે. દેડકો ટગર ટગર એની સામે તાકી રહ્યોછે. મધરાત થતાંકુંવરી બોલી : :દેવ ! હવે તમારા અસલ સ્વરૂપમાં આવો. મેં તમને નદીમાં સ્નાન કરતા જોયા છે.”


ત્યારે દેડકો બોલ્યો કે “તારા પિતા મહાયજ્ઞ કરી, સહસ્ત્ર ગાયોનું દાન કરે તો હું અસલ રૂપમાં આવું.”  કુંવરી તરત મહેલે ગઈ. પિતાને વાત કરી. રાજાએ બીજા જ દિવસે મહાયજ્ઞ કરી ગાયોનાં દાન દીધાં. શ્રીફળ હોમાતાં જ પ્રભુ પુરૂષોત્તમ અસલ રૂપમાં આવી ગયા. આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ. પ્રભુ કુંવરીને અને ડોશીને સદેહે વૈકુંઠમાં લઈ ગયા.


હે પુરૂષોત્તમરાય ! તમે જેવા ડોશીને અને કુંવરીને ફળ્યા એવા સૌને ફળજો.

કાંઠા ગોરમાં ની વાતૉ શ્રી પુરૂષોત્તમ કથા પ્રથમ અધ્યાય


""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે  

 

સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે     

 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે  

 

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે    

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે  


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત 

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી 


 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

બુધવાર, 26 જુલાઈ, 2023

પુરુષોત્તમ માસ કથા અધ્યાય નવમો | Purushottam Maas Katha Adhyay 9 in Gujarati | Adhyay 9 | | Adhik Mass 2023 | Okhaharan |

પુરુષોત્તમ માસ કથા અધ્યાય નવમો |  Purushottam Maas Katha Adhyay 9 in Gujarati  | Adhyay 9 | | Adhik Mass 2023 | Okhaharan | 

purushottam-maas-katha-adhyay-9-in-gujarati
purushottam-maas-katha-adhyay-9-in-gujarati


શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું પુરૂષોત્તમ માસની કથા અધ્યાય નવમો મુનિ દુર્વાસાનું આગમન અને અમૃત ધારા જે વાતૉ કહેવાય શ્રદ્ધાનું ફળ વાર્તા.


મુનિ દુર્વાસાનું આગમન 


સૂત બોલ્યા : “ હે મુનિઓ ! તે પછી નારદજીએ વિસ્મયથી વ્યાપ્ત થઈ શ્રેષ્ઠ બ્રાહ્મણ મેઘાવીની પુત્રીનું વૃતાંત શ્રી નારાયણને પૂછ્યું.”


નારદજી બોલ્યા : “હે શ્રી નારાયણમુનિ ! મેઘાવીના સ્વર્ગવાસ બાદ તેમની પુત્રીએ તપોવનમાં શું કર્યું ? ક્યા મુનિએ તેનું પાણિ ગ્રહણ કર્યું ?”


શ્રી નારાયણ બોલ્યા : “એ કન્યા વનમાં એકલી રહેતી હતી અને પોતાના પિતાને યાદ કરી શોક કર્યા કરતી હતી. પિતા વિનાના ઉજ્જડ ઘરમાં તે એકલી રહેતી હતી. તેનું હૃદયકમળ બળ્યા કરતું. પોતાના દુ:ખનો પાર તેને દેખાતો ન હતો. એ વખતે સંજોગોવસાત અત્યંત ક્રોધી મુનિ દુર્વાસા ભવિષ્યના બળથી પ્રેરાઈને એ પાતળા પેટવાળી કન્યા પાસે આવી ચડ્યા. જેમને જોતાંની સાથે સ્વર્ગાધિપતિ ઈંદ્ર પણ ભયભીત થઈ જાય છે, એ ઋષિ દૈવેચ્છાએ જ તે તપોવનમાં આવ્યા હતા.


ગાયને એક વસ્તુ ખવડાવવાથી 24 કલાક મા સવૅ મનોકામના પૂણૅ થાય  સાથે ઈચ્છાપૂર્તિ થાય

 

હે રાજેન્દ્ર યુધિષ્ઠિર ! આ એ જ દુર્વાસા છે જેમને તમારી માતા કુંતીએ બાળપણમાં સેવીને પ્રસન્ન કર્યા હતા, પૂજ્યા હતા અને દેવોનું આકર્ષણ કરનારી વિદ્યા મેળવી હતી. હે ધર્મરાજ ! દેવો પણ જેને નમસ્કાર કરે છે તેવા આ ઋષિનો કોપ મારા પણ ઊતર્યો હતો. આ દુર્વાસા મુનિએ મને એક વેળા રુકમણિના સાથે રથમાં જોડ્યો હતો. એ રથને અમે બંને માર્ગમાં ખેંચી રહ્યા હતા. રુકમણિને તરસ લાગવાથી તાળવું તથા હોઠ સુકાવા લાગ્યા હતા. રુકમણિએ દુર્વાસાની બીકથી પોતાની ખાંધ પર રથની ઘુંસરી તો ઉપાડી જ હતી. તે વખતે તરસથી તેના પ્રાણ કંઠે આવી ગયા હતા અને તે વિહવળ થઈ ગઈ હતી ત્યારે પ્રિયાના પ્રેમથી વ્યાપ્ત થઈ મેં રથને ખેંચી ચાલતાં ચાલતાં જ પગના આગલા ભાગથી જમીન દબાવી ભોગવતી નામની પાતાળગંગાને ત્યાં આણી અને રુકમણિની તરસને શાંત કરી હતી. આ જોઈ ક્રોધી મુનિએ પ્રલયકાળના અગ્નિની પેઠે જાણે સળગી રહ્યા હોય એમ એક્દમ ઊભા થઈ મને શ્રાપ આપ્યો હતો : 


“હે શ્રીકૃષ્ણ ! તમને રુકમણિ ઘણી વહાલી લાગે છે. પ્રિયાના પ્રેમથી વ્યાપ્ત બની તમે મારું અપમાન કરી તેણીને પાણી પાયું છે અને તમારું માહાત્મ્ય બતાવ્યું છે. માટે બંનેનો વિયોગ થાઓ.”  હે યુધિષ્ઠિર ! એ જ તે દુર્વાસા શ્રેષ્ઠમુનિ છે જે સાક્ષાત રુદ્રદેવના અંશથી ઉત્પન્ન થયા છે. અગ્નિઋષિના ઉગ્ર તપસ્વી કલ્પવૃક્ષનું મહાદિવ્ય ફળ છે અને પતિવ્રતાઓના મસ્તક પરના રત્ન જેવી સતી અનસુયાના ગર્ભમાંથી તે જન્મ્યા છે. તેમનું શ્રેષ્ઠ મસ્તક અનેક તીર્થોના જળથી ભીની રહેતી જટાઓથી સુશોભિત રહે છે.”


એ દુર્વાસા મુનિને આવતા જોઈ કુમારી મેઘાવતી શોક સાગરમાંથી એકદમ બહાર આવી તેમજ એ બાળાએ આદર સહિત તેમનું પૂજન કર્યું. વિનય સહિત એ મુનિકન્યા આ પ્રમાણે બોલી :


“હે મહાભાગ્યશાળી ! હે અત્રિગોત્રના સૂર્ય ! હે મુનિ ! આપને નમસ્કાર હો. આપના પધારવાથી મારા ભાગ્યનો ઉદય થયો છે, તમારા જેવા મહાત્માના તીર્થરૂપી ચરણોની રજ લેવાથી મારો જન્મ પણ સફળ થયો છે, મારાં ધનભાગ્ય કે આપ જેવા મહાપુણ્યશાળી પુરૂષના આજે મને દર્શન થયાં છે.”


દુર્વાસાએ કહ્યું : “ધન્ય છે, ઓ બ્રાહ્મણ પુત્રી ! તારો ધાર્મિક સ્વભાવ જાણી હું કૈલાસ પરથી તારા આશ્રમમાં આવ્યો છું. હવે હું સનાતન મુનિશ્વર શ્રી નારાયણ દેવના દર્શન કરવા જલદી બદરિકાશ્રમમાં જઈશ. ત્યાં એ ભગવાન લોકોના કલ્યાણ માટે એકાગ્ર થઈ અતિ ઉગ્ર તપશ્ચર્યા કરી રહ્યાં છે. હે દીકરી ! તારે કોઈ પણ જાતનું દુ:ખ હોય તે મને વિના સંકોચે જણાવ, હું તને યોગ્ય ઉપાય બતાવીશ.”


બાળા બોલી : “ હે ઋષિ ! આપનાં દર્શનથી જ મારો શોકરૂપી સમુદ્ર સુકાઈ ગયો છે. મારે માતા-પિતા કે ભાઈ નથી, જે મને ધીરજ આપે. દુ:ખના દરિયામાં પીડાઈ રહી છું. મારા દુ:ખને દૂર કરવાનો ઉપાય જલદી કરો. પરણવા માટે કોઈ પુરૂષ મને ઈચ્છતો નથી. મારો કન્યાકાળ વીતી રહ્યો છે અને એની ચિંતામાં હું કોઈ સુખ પામી શકતી નથી. નથી ભાવતાં ભોજન લઈ શકતી કે નથી ચેનથી નિંદ્રા લઈ શકતી. કોઈ યોગ્ય પુરૂષ મારું પાણિ ગ્રહણ કરે તેવી મારી ઈચ્છા છે. આપ મારા પર કૃપા કરી આ દુ:ખ દૂર કરવાનો કોઈ ઉપાય બતાવો.”

અઘિક માસની " પદ્મિની એકાદશી 2023 " ઉપવાસ ક્યારે કરવો?


એમ કહી આંસુવાળા મુખે એ બાળા તેમની આગળ બોલતી બંધ પડી. દુર્વાસા તેણીના દુ:ખને દૂર કરવા તે વેળા વિચારમાં પડ્યા.


શ્રી નારાયણ બોલ્યા : “મુનિ કન્યા મેઘાવતીનું આવું કરૂણ વચન સાંભળી મહા તપસ્વી મુનિશ્વર દુર્વાસાએ વેદોનોવિચાર કરી અતિશય કૃપાથી એ બાળા સામે જોયું અને પછી સારરૂપ કંઈક હિતકારી વચન તેને કહ્યું.


“ શ્રી બૃહન્નારદીય પુરાણ” ના પુરૂષોત્તમ માહાત્મ્યનો
“મુનિ દુર્વાસાનું આગમન” નામનો નવમો અધ્યાય સંપૂર્ણ.
 
હવે પતિતપાવન પુરૂષોત્તમ માસની કથાનું રસપાન કરીએ.


શ્રદ્ધાનું ફળ


સુંદરપુરી નગરીમાં એક સુથાર રહે. સંતાનમાં સાત દીકરી અને બે દીકરા. બિચારો સુથાર વહેલી સવારથી મોડી રાત સુધી મજુરી કરે ત્યારે માંડ ગુજરાન ચાલે. બિચારાને ધર્મ, ધ્યાન, વ્રત, તપનો કે ભક્તિનો સમય ન મળે. એક પછી એક દીકરીને પરણાવતાં સુથાર પચાસ વર્ષનો થઈ ગયો.


એક દિવસની વાત છે. સુથાર બપોરે રોંઢો કરીને કામે જવા નીકળ્યો. રસ્તામાં કથાનું સ્થળ આવ્યું. એક કથાકાર કથા કરે. સુથાર ત્યાંથી પસાર થયો ત્યારે કથાકારના અમૃત જેવા શબ્દ એના કાને અથડાયા: “જગતના પ્રાણીમાત્રના પાલપોષણની જવાબદારી ભગવાનની છે. તે કીડીને કણ અને હાથીને મણ આપે જ છે. એ ભૂખ્યા ઉઠાડે છે, પણ ભૂખ્યા સુવાડતો નથી. છતાં પણ મનુષ્યને ભગવાન પર ભરોસો નથી અને ચિંતામાંઅને ચિંતામાં પોતાનો અવતાર એળે કાઢે છે. જે ભગવાનમાં શ્રદ્ધા રાખે છે તે ભવપાર તરી જાય છે. માટે ભગવાન ઉપર ભરોસો રાખો.”


આ શબ્દ સુથારના દિલ પર કોતરાઈ ગયા. પળમાં પરિવર્તન થઈ ગયું. એનું હૃદય રડવા લાગ્યું. અરેરે, મારી આખી જિંદગી એળે ગઈ. મેં ભક્તિ તો ન કરી, પણ ભગવાન પર ભરોસોય ન કર્યો. સુથારે તો એ જ વખતે દ્રઢ સંકલ્પ કરી લીધો કે હવે થાય એટલું કરવું. મળે તો ખાવું, ના મળે તો ભૂખ્યા રહેવું પણ ભગવાનની ભક્તિ તો કરવી જ. સુથાર તો ભક્તિએ ચઢી ગયો. ઘરમાં ખાવાનાય સાંસા પડવા લાગ્યા.  પત્નીને કચવાટ તો ઘણો થાય પણ એ કશું બોલે નહિ.

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ


એમ કરતાં પવિત્ર પુરૂષોત્તમ માસ આવ્યો. સુથાર અને એની પત્નીએ વ્રત લીધાં. રોજ નદીએ નહાવા જાય, વ્રત કરે, દક્ષિણા આપે પછી ઘેર આવીને પૂજા-ભજન કરે. ઘરમાં ખાવા લોટ ન મળે પણ રોજ એક બ્રાહ્મણને સીધું અવશ્ય દે.


એમ કરતાં વ્રત પૂર્ણ થવા આવ્યું. ફક્ત બે દિવસ બાકી રહ્યા ત્યારે પત્ની બોલી કે “ હવે ઘરમાં અન્નનો દાણૉ નથી, વેચવા ઘરવખરી નથી રહી. હવે શું કરશો ? છેલ્લા દિવસે વ્રતનું ઉજવણું કરવું પડશે, બ્રાહ્મણોને જમાડી દાન-દક્ષિણા આપવી પડશે, તો જ વ્રત પૂર્ણ થશે.” સુથાર તો જરાય ચિંતા કર્યા વગર “કાલની વાત કાલે, ભગવાન પર ભરોસો રાખ.” એમ કહીને સૂઈ ગયો. સવારે વહેલા ઊઠી, લોટો લઈ દિશાએ જવા બેઠો. પડી ન જવાય એટલા માટે એક છોડનું મૂળિયું પકડી રાખ્યું. પકડતાં જ મૂળિયું ઊખડી ગયું. અંદર ચળકાટ દેખાયો. થોડીક ધૂળ હટાવતાં જ હીરા-માણેકથી ભરેલો ચરુ દેખાયો.


ઘડીક તો સુથાર આનંદમાંઆવી ગયો.પણ પછી વિચાર કર્યો કે “આ તો દાટેલું ધન કહેવાય, લઉં તો પાપમાં પડું.” એ તો ચરું પર માટી ઢાંકીને પાછો ફર્યો. ઘેર આવીને પત્નીને વાત કરી ત્યારે પત્ની લમણે હાથ દેતાં બોલી : “તમે તો સાવ ભગત જ રહ્યા. દાટેલું ધન જેના ભાગ્યનું હોય એને મળે. તમારે ક્યાં કોઈના ઘરમાં ચોરી કરવાની હતી ? સાવ મુરખના જામ છો તમે. ઘેર બેઠા ગંગા આવી અને તમે કોરા ને કોરા જ રહ્યા. ચાલો, મને જગ્યાબતાડો; હું એ ચરુ લઈ આવું.”


પણ સુથારે તો એક જ વાત પકડી રાખીકે પરધન પથ્થર સમાન ગણાય. હું એ અણહક્કનું લઉં તો મારો ભગવાન મારા ઉપર રુઠે. જો ભગવાનને આપવું હશે તો ઘેર બેઠાં છાપરું ફાડીને આપશે. પણ પત્નીને લાલચ વળગી હતી. એ તો ઊંચા અવાજે રકઝક કરવા લાગી. પણ કોઈ વાતે સુથાર તૈયાર ન થયો ત્યારે પત્ની જાતે ચરુ લેવા તૈયાર થઈ. સુથાર એને સમજાવવા લાગ્યોકે પ્રાત:કાળ છે. હવે સ્નાન કરવા જઈએ. વ્રત તૂટશે તો પ્રભુ કોપશે.


કાંઠા ગોરમાં ની વાતૉ શ્રી પુરૂષોત્તમ કથા પ્રથમ અધ્યાય

 
પત્ની કમને નદીએ જવા તૈયાર થઈ. પતિ-પત્ની બંને નદીએ ગયાં. હવે બન્યું એવું કે પતિ-પત્નીની આ રકઝક પડોશમાં રહીતા વાળંદે સાંભળી. તરત બૈરીને જગાડી અને બંને ચાદર લઈને પાદર તરફ દોડ્યા. બંનેના મોંમાથી લાલચની લાળ પડતી હતી. જગ્યા પણ તરત મળી ગઈ. તાજી માટી ખોદેલી હતી. વાળંદની બૈરી તો જલ્દી જલ્દી માટી હટાવવા લાગી. ચરું દેખાતાં જ એ ચીસ પાડીને હટી ગઈ. હીરા-માણેક અને સોનામહોરના બદલે પીળા પીળા વીંછી ! વાળંદે માન્યું કે સુથારે મને મારી નાખવા માટે જ આ ત્રાગડો રચ્યો છે. હવે તો એને પણ દેખાડી દેવું. વાળંદે ચરુનુ મુખ બાંધીને ચરુ ચાદરમાં વીંટાળી લીધો.


બંને ઘેર આવ્યા. વાળંદ છાપરે ચઢી ગયો. સુથારના છાપરે જઈ નળિયા ખસેડ્યા અને ચરુ લઈને ત્યાં જ બેસી ગયો. સુથાર અને તેની પત્ની નદીએથી આવ્યા. સુથાર પૂજા કરવા બેઠો. લાગ જોઈને વાળંદે ચરુ ઊંધો વાળી દીધો. પણ આ શું ? વીંછીના બદલે ખડીંગ… ખણણણ… કરતી સોનામહોરો વરસી. સુથાર તો આભો થઈ ગયો. સુથારની પત્ની ફાટી આંખે વરસતી સોનામહોરો જોઈ રહી. પ્રભુની કૃપા જોઈ સુથાર ભાવવિભોર થઈ ગયો. ભગવાને ઘેર બેઠાં છાપરું ફાડી ધન આપ્યું. હાથ જોડી બંને પતિ-પત્ની પ્રભુનો આભાર માનવા લાગ્યા.


આ બાજુ અદેખો વાળંદ અને તેની બૈરી વાટ જુએ છે કે હમણાં સુથાર રોકકળ કરતો કાળી ચીસો પાડતો બહાર આવશે. પણ ઘણી વાર થઈ છતાં કાંઈ ન બન્યું એટલે એણે અંદર ડોકિયું કરીને જોયું તો સુથાર અને તેની પત્ની ઊંચા અવાજે પ્રભુના ગુણગાન ગાય છે. વાળંદ દાંત પીસતો અને હાથ મસળતો રહી ગયો. મળેલું ધન સુથારે સદકાર્યમાં વાપર્યું. સદાવ્રત ખોલ્યા. ખૂબ દાન-પુણ્ય કર્યાં, નિત્ય પ્રભુ ભજન અને ધર્મ-ધ્યાન કરવા લાગ્યા.


હે પૂર્ણ પુરૂષોત્તમ પ્રભુ ! તમે જેવા સુથારને ફળ્યા, એવા તમારામાં શ્રદ્ધા રાખનાર સર્વને ફળજો.


""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે  

 

સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે     

 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે  

 

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે    

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે  


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત 

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી 


 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇