મંગળવાર, 13 જુલાઈ, 2021

મંગળવારે શ્રી ગણનાયકષ્ટઠમ પાઠ જે વ્યક્તિ કરે તે હંમેશા પુણ્યશાળી વિદ્યાવાન અને ધનવાન બને છે Sri Gananayaka Ashtakam Gujarati Lyrics Okhaharn

મંગળવારે શ્રી ગણનાયકષ્ટઠમ પાઠ જે વ્યક્તિ કરે તે હંમેશા પુણ્યશાળી વિદ્યાવાન અને ધનવાન બને છે  Sri Gananayaka Ashtakam Gujarati Lyrics Okhaharn

sri-gananayaka-ashtakam-gujarati-lyrics
sri-gananayaka-ashtakam-gujarati-lyrics


શ્રી ગણનાયકાષ્ટકમ

એકદન્તં મહાકાયં તપ્તકાંચન સંનિભમ્ ।

લમ્બોદરમં વિશાલક્ષં વન્દેઙહં ગણનાયકમ્ ।। 1


મૌંજીકૃષ્ણજીનઘરં નાગયજ્ઞોપવિત્રમ્।

બાલેન્દુંશકલંમૌલં  વન્દેઙહં ગણનાયકમ્. ।। 2


ganesh 12 name gujarati 

 ચિત્રરત્ન વિચિત્રાગં ચિત્રમલા વિભૂષિતમ્।

કામરૂપઘરં દેવં વન્દેઙહં ગણનાયકમ્. ।। 3


ગજવક્ત્રં સુરશ્રેષ્ટમ્ કર્ણચામરભૂષિતામ્।

પાશાંકુશધારં દેવં વન્દેઙહં ગણનાયકમ્. ।। 4



મુષકોત્તમમારૂઢાય દેવાસુર મહાબાહવે ।

યોદ્રકામં મહાવીર્યં વન્દેઙહં ગણનાયકમ્. ।। 5


યક્ષ કીન્નર ગન્ધર્વ સિદ્ધ વિદ્યા ધરૈસ્સદા।

સ્તુયમાનં મહાબાહું વન્દેઙહં ગણનાયકમ્. ।। 6

ganesh 21  name gujarati


અંબિકાહૃદયાનંદં માતૃભિઃ પરિવેષ્ટિતમ્।

ભક્તિપ્રિયં મદોન્મત્તં  વન્દેઙહં ગણનાયકમ્. ।। 7


સર્વવિઘ્નહરં  દેવં સર્વવિઘ્ન વિવર્જિતમ્।

સર્વસિદ્ધિ પ્રદાતારં વન્દેઙહં ગણનાયકમ્. ।। 8


ગણષ્ટકમિદં પુણ્યં ય પઠેત્સતતં નરઃ।

સિદ્રયન્તિ તસ્ય કાયાણિ વિઘાવાનં ધનવાનં ભવેત્ ।। 9

।। ઈતિ શ્રી ગણનાયકાષ્ટકં સમાપ્તમ્ ।।

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

"" શ્રી ગણેશ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.    

 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  


 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

શનિવાર, 10 જુલાઈ, 2021

7 જુલાઈ 2024 રથયાત્રા કેમ ? ભગવાન નગરચયૉ કરવા કેમ નીકળે ? કેમ જગન્નનાથ સ્વરૂપે નીકળે છે રથયાત્રા ? History of Rathyatra Gujarati Okhaharan

7 જુલાઈ 2024 રથયાત્રા કેમ ?  ભગવાન નગરચયૉ કરવા કેમ નીકળે ? કેમ જગન્નનાથ સ્વરૂપે નીકળે છે રથયાત્રા ? History of Rathyatra Gujarati Okhaharan 

About-Rathyatra-History-Gujarati





અષાઢ મહિનાની શરૂઆત રથયાત્રાથી થાય છે. કલિયુગમાં ભારતમાં ચાર દિશામાં ચાર ધામ અને પાવન તીર્થધામ તરીકે ઓળખાતા ધામોમાં જગન્નાથપૂરી પણ એક છે. નવ દિવસ સુધી ચાલનારા જગન્નાથપુરીની રથયાત્રામાં દર વર્ષે ત્રણ વિશાળ રથોમાં ભગવાન જગન્નાથજી,  દાઉ બલરામજી અને નાની બહેન સુભદ્રાજી રથમાં બિરાજીને નગરયાત્રાએ નીકળે છે, જેમાં દેવરાજ ઇન્દ્રએ ભગવાન જગન્નાથજીને આપેલ રથનું નામ *નંદીઘોષ,* દાઉજીનાં રથનું નામ *તાલધ્વજ* અને સુભદ્રાજીનાં રથનું નામ  *પદ્મધ્વજ* છે. 



આ ઉત્સવ અંગે વિવિધ કથાઓ પ્રચલિત છે. પ્રથમ કથા અનુસાર મહારાજ કંસનાં આમંત્રણથી કૃષ્ણ અને દાઉજી રથમાં બેસીને અક્રૂરજી સાથે મથુરા પધાર્યા હતાં તેથી તે દિવસે ભગવાન કૃષ્ણનું જગત કલ્યાણ અર્થે કાર્યની શરૂઆત હતી તેથી તે પ્રસંગને યાદ કરતાં રથયાત્રાનો ઉત્સવ ઉજવવામાં આવે છે.


 બીજી કથા અનુસાર દ્વારિકામાં એક દિવસ દાઉજી નાની બહેન સુભદ્રાને મથુરાની કથા સુણાવી રહ્યાં હતાં ત્યારે તેમણે કાકા અક્રૂરજી સાથે રથમાં બેસીને નગરચર્યા કરી હતી તે પ્રસંગ કહ્યો. દાઉજીની વાત સાંભળીને સુભદ્રાજીએ પણ પોતાના બંને મોટાભાઈઓ સાથે એજ રીતે રથમાં બેસી નગર જોવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે નાની બહેનની આકાંક્ષાને પૂર્ણ કરવા માટે કૃષ્ણ, દાઉજીએ રથયાત્રા કાઢી. જ્યારે ગર્ગપુરાણ અનુસાર એકવાર દ્વારિકામાં સર્વે રાણીઓ રાધાજી વિષે માતા રોહિણીને પૂછવા લાગી ત્યારે  માતા રોહિણીએ સુભદ્રાજીને કહ્યું કે પુત્રી આ કથા આપને માટે નથી માટે આપ દ્વાર ઉપર ઊભા રહી આપના બંને ભ્રાતૃઓ ખંડમાં ના પ્રવેશે તેનું ધ્યાન રાખો સુભદ્રાજી માતાની આજ્ઞાને ઉથાપી ના શક્યા તેથી બંધ દ્વારની પાછળ ઊભા રહી ચોકી કરવા લાગ્યા,

 

 તે જ સમયે દાઉજી અને કૃષ્ણ પધાર્યા ત્યારે સુભદ્રાજીએ માતાની આજ્ઞા કહી સંભળાવી ત્યારે કુતુહલતાને કારણે દાઉજી અને કૃષ્ણ દ્વાર પર કાન મૂકી માતાની વાત સાંભળવા લાગ્યા પોતાના બંને ભાઈઓએ આ રીતે કરતાં જોઈ સુભદ્રાજીએ પણ બંને દાદાભાઈઓનું અનુકરણ કરવા લાગ્યા. તે સમયે દ્વારની અંદરથી થતાં રાધા નામનાં ઉચ્ચારણ સાંભળીને દાઉજી, ભગવાન શ્રી કૃષ્ણ અને સુભદ્રાજીનાં હાથ, અને પગ સંકોચાઈ ગયાં અને આંખો ભક્તિની ઉત્તેજનાને કારણે વિશાળ થઈ ગઈ.


તે જ સમયે નારદ મુનિ ત્યાં પધાર્યા તેમણે શ્રી કૃષ્ણ ભગવાનને વિનંતી કરીને કહ્યું કે આપ આપના આ સ્વરૂપનાં દર્શન ભક્તજનોને કરાવો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે તેની આ વિનંતી માન્ય રાખી જ્યારે જગન્નાથપૂરી (ઓરિસ્સા)ની કથા અનુસાર ત્યાંનાં રાજાને એક વિશાળ લાકડું તેનાં ગામની નદીમાંથી મળેલું તે રાજા વિચારવા લાગ્યો કે આ વિશાળ લાકડાનું શું કરવું ? તે રાત્રીએ રાજાને ભગવાન કૃષ્ણએ સ્વપ્નમાં આવીને કહ્યું કે આ લાકડામાંથી મારી મૂર્તિ બનાવનાર એક શિલ્પકાર સામે ચાલીને તારી પાસે આવતીકાલે આવશે તેને તું આ લાકડું સોંપી દેજે. 

 Krishna-chalisa-gujarati

બીજે દિવસે સ્વપ્ન અનુસાર એક શિલ્પકારએ આવીને રાજા પાસે તે લાકડાની માંગણી કરી કહ્યું કે મહારાજ હું ૨૧ દિવસ એકાંતમાં રહી આ લાકડામાંથી મૂર્તિ બનાવીશ પણ જ્યાં સુધી આ લાકડામાંથી મુર્તિ ના બનાવી લઉં ત્યાં સુધી આપે મને એકાંતમાંથી બહાર આવવા ના કહેવું.રાજાએ તેની વાત માન્ય રાખી પણ સોળમાં દિવસે જ રાજાએ કુતૂહલતાવશ તે શિલ્પકારનો દરવાજો ખોલી કાઢ્યો ત્યારે ત્યાં ધડ અને મસ્તક સહિતનાં પણ હાથ, પગ વગરનાં દાઉજી, શ્રી કૃષ્ણ અને સુભદ્રાજીની મૂર્તિ પડેલી અને શિલ્પકાર અદ્રશ્ય થઇ ગયેલો. તે જોઈ રાજાને પસ્તાવો થયો પણ વચન તૂટી ગયું હતું તેથી તે રડવા લાગ્યો.


 ત્યારે ભગવાન કૃષ્ણએ કહ્યું તું અમારી આ જ સ્વરૂપમાં પૂજા કર. રાજાએ પોતાના પ્રભુની તે વાત માન્ય રાખી અને તેણે રથયાત્રા કાઢી પોતાના પ્રભુને પધરાવ્યાં, પછી ભક્તિ આનંદને વશ થઈ અશ્વ જોડવાને બદલે પોતે જ અશ્વ બનીને રથ ખેંચવા લાગ્યો ત્યારથી તે આજ સુધી નાતજાતનાં ભેદભાવ વગર દરેક ભક્ત સ્વહસ્તે ભગવાન જગન્નાથજીનો રથને ખેંચે છે.  


સારસ્વત-દ્વાપર યુગમાં આ દિવસે પ્રથમ વર્ષા થયા બાદ શ્રી ઠાકુરજીએ(કૃષ્ણ)રાધારાણી સાથે રથમાં બેસીને વ્રજ- વૃંદાવનની શોભા નિહાળી હતી. ત્યાર પછી પ્રભુ શ્રી કૃષ્ણ  વ્રજભકતોના ઘરેઘરે પધાર્યા અને તેમના સર્વે મનોરથો પૂર્ણ કર્યા. 


શુભ દિવસે પાઠ કરો ""  શ્રી જગન્નાથ અષ્ટકમ ""  


 "" શિવ અષ્ટક "" ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.   

 

 "" શ્રી શનિદેવ ચાલીસા "  ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.  

 

શ્રી ગણપતિના ""સિદ્રિદાયક મંત્રો"" એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો અહી ક્લિક કરો. 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ અહી ક્લિક કરો.  

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

 

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

 

Disclaimer: અહી ઉપરોક્ત કોઈપણ માહિતી અથવા આ કાયૅ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં Okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી. 

10 જુલાઈ 2021 શનિવાર અમાસ રાજા દશરથ કેમ શનિદેવ નો અંત કરવા ગયા પછી શું થયું? Raja dasharatha shanidev katha Gujarati

10 જુલાઈ 2021 શનિવાર અમાસ રાજા દશરથ કેમ શનિદેવ નો અંત કરવા ગયા પછી શું થયું? Raja dasharatha shanidev katha Gujarati

Raja-dasharatha-shanidev-katha-Gujarati
Raja-dasharatha-shanidev-katha-Gujarati

 

આજે જેઠ માસનો છેલ્લો દિવસ એટલે અમાસ ની તિથિ એમાં પણ શનિવાર એટલે અમાસ નું મહત્વ વધી જાય. આજે ગુજરાતી ભક્તિ લેખમાં જાણીશું કત્રેતા યુગમાં રાજા દશરથ કેમ શનિદેવનો અંત કરવા જાય છે અને પછી શું થાય છે તેની દંતકથા વાંચયે.

108-names-of-shani-deva-ashtottara-shatanamavali-lyrics-in-gujarati

 

બઘા જાણેજ છે શનિદેવ ન્યાય ના દેવતા બઘા ગ્રહો મા ક્રુર છે. શનિ ગ્રહની દૃષ્ટિ જીવલેણ હોવાનું કહેવામાં આવે છે અને કોઈપણ વ્યક્તિ જેની પાસે શનિદેવની ખરાબ દ્રષ્ટિ હોય છે, તેનો ખરાબ સમય શરૂ થાય છે. આ જ કારણ છે કે લોકો આ ગ્રહથી ડરતા હોય છે અને તેને શાંત રાખવા માટે શાસ્ત્રો મુજબ પગલાં લેતા રહે છે. શનિ ગ્રહને શાંત રાખવો ખૂબ જ સરળ છે અને શનિદેવની પ્રશંસા કરીને ફક્ત તેમને શાંત કરી શકાય છે. પુરાણોમાં શનિદેવ અને રાજા દશરથને લગતી એક વાર્તાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે કેવી રીતે રાજા દશરથે શનિદેવને પ્રસન્ન કર્યા હતા અને શનિદેવે રાજા દશરથને વરદાન આપ્યા હતા. તો ચાલો જાણીએ આ દંતકથા વિશે

 એવું કહેવામાં આવે છે કે એકવાર રાજા દશરથે જ્યોતિષીઓને તેમના મહેલમાં આમંત્રણ આપ્યું હતું. જ્યોતિષીઓએ રાજા દશરથને કહ્યું કે શનિદેવ કૃતિકા નક્ષત્રના અંતમાં છે અને રોહિણી નક્ષત્રને વીંધવા જઈ રહ્યા છે. તેના શુભ નહીં આવે અને આને કારણે દેવતાઓ, રાક્ષસો,પ્રાણી, પક્ષી બઘા ને ભોગવું પડશે. જો શનિદેવ રોહિણી નક્ષત્રને વીંધે છે, તો 12 વર્ષ સુધી પૃથ્વી પર દુષ્કાળ રહેશે. જ્યોતિષીઓની વાત સાંભળીને રાજા દશરથ ખૂબ જ નારાજ થયા અને તેમણે જ્યોતિષીઓ પાસેથી આ સમસ્યાનું સમાધાન શોધી આપવાનું કહ્યું જ્યોતિષીઓ હસી પડ્યા અને રાજા દશરથને કહ્યું કે શનિદેવને રોકવાનો કોઈ રસ્તો નથી. પરંતુ રાજા દશરથે હાર માની નહીં અને તે અન્ય મહર્ષિઓને મળ્યો. તેણે મહર્ષિઓને આખી વાત જણાવી. જેના પર મહર્ષિઓએ તેમને કહ્યું કે બ્રહ્માજી પાસે પણ ખુદ આ ગ્રહ ની ચાલ પર સમાધાન નથી.

Amavasiya-upay-2021-Gujarati

 

 


કોઈ સમાધાન ન મળતાં રાજા દશરથે વિચાર્યું કે તે જાતે કંઈક કરશે. રાજા દશરથે પોતાનો આકાશી રથ લીઘો અને તેના પર સવાર થઈને તે સૂર્ય વિશ્વની બહાર નક્ષત્રના વર્તુળમાં પહોંચી ગયો. અને રોહિણી નક્ષત્ર ની પાછળ જઈને ઊભા રહ્યાં.પછી તેમણે શનિદેવને જોવો જોઈએ. જેને જોઇને તેણે તરત જ પોતાનું દૈવી શસ્ત્ર બહાર કાઠ્યું. અને તેને ધનુષ્ય પર રાખીને ચલાવવાનો પ્રયાસ કર્યો. દિવ્યસ્ત્ર સાથે રાજા દશરથને જોઈને શનિદેવ ભય પામી ગયાં. અને કહ્યું, મારાથી આ સૃષ્ટિ બઘા ભય પામે છે અને તમે મારી સામે યુઘ્દ્ર માટે ઊભા છો? હુ તમારી લાગણી અને તપસ્યાથી પસન્ન થયો છું પછી રાજા દશરથે આખી કથા સંભળાવી. જે સાંભળીને શનિદેવ એમની તરફ હસી પડ્યાં અને કહ્યું કે રાજન! હું તમારી હિંમત જોઈને ખુશ છું. દરેક જણ મારો ભયભીત છે, પણ તમે હિંમતવાન છો. હું તમારી સાથે ખુશ છું. તેથી તમે મને વરદાન માગી શકો છો. ત્યારબાદ રાજા દશરથે કોઈ વિલંબ કર્યા વિના શનિદેવને કહ્યું કે જ્યાં સુધી સૂર્ય , ચંદ્ર નદી, સાગરમાં પાણી છે ત્યાં સુધી તમે રોહિણી નક્ષત્રમાં પ્રવેશ નહીં કરો. હું તમારી પાસેથી આ વરદાન માંગું છું. શનિદેવે આ વરદાન આપ્યું.


ત્યારબાદ રાજા દશરથે શનિદેવને પ્રણામ કરી અને શનિદેવની પ્રશંસા શરૂ કરી. જેને શનાશ્ચર દશમનામનો સ્તોત્રમ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રશંસા સાંભળીને શનિદેવ વધુ પ્રસન્ન થયા, તેમણે ફરી રાજાને બીજા વરદાન માંગવા કહ્યું. ત્યારે રાજાએ શનિદેવને કહ્યું કે તેણે ક્યારેય કોઈને દુઃખ ન પહોંચાડવું જોઈએ. આ સાંભળીને શનિદેવે કહ્યું કે તે આ વરદાન આપી શકશે નહીં. કારણ કે લોકોને તેમના ખરાબ કાર્યો બદલ શિક્ષા આપવાનું કામ તેમનું છે. જે લોકો સારા કાર્યો કરે છે, હું તેમને સારા પરિણામ આપીશ, જે લોકો ખરાબ કાર્યો કરે છે તેમને ભોગવવું પડશે. હું તમારી પ્રશંસાથી ખુશ છું. તેથી હું તમને આ વરદાન આપું છું કે જેઓ દશમનામનો સ્તોત્રમ પ્રશંસા વાંચે છે,હું તેમને કદી ઈજા પહોંચાડીશ નહીં. આ રીતે શનિદેવે રાજા દશરથને વરદાન આપ્યા. વરદાન મળ્યા બાદ રાજા દશરથ અયોધ્યા પરત ફર્યા.


તેથી, શનિદેવને પ્રસન્ન કરવા માટે, તમારે દર શનિવારે દશમનામનો સ્તોત્રમ વાંચવું જોઈએ. ખાસ કરીને આ સ્ત્રોત પીપળા વૃક્ષ નીચે વાંચવો જોઈએ. આ સ્તોત્રમ વાંચવાથી તમને શનિદેવનો કોઈ પ્રકારનો દુખાવો નહીં થાય.

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને  

 દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 

 

 

 

 

 

 

 



ગુરુવાર, 8 જુલાઈ, 2021

9 જુલાઈ 2021 દશૅ અમાસ ના દિવસે કરો આ કામ અને ખાસ ના કરો આ કામ Amash Gujarati upay Okhaharan

9 જુલાઈ 2021 દશૅ અમાસ ના દિવસે કરો આ કામ અને ખાસ ના કરો આ કામ Amash Gujarati upay Okhaharan

Amash-UPay-Gujarati-9-July-2021
Amash-UPay-Gujarati-9-July

 

અમાસ તિથિ એ કૃષ્ણ પક્ષ શરૂ થતાં જ ચંદ્ર, સૂર્યની તરફ આગળ વધતો જાય છે. પછી કૃષ્ણ પક્ષની છેલ્લી તિથિ પર સૂર્ય અને ચંદ્ર એક જ રાશિમાં આવી જાય છે અને આ બંને ગ્રહોની વચ્ચેનું અંતર 0 ડિગ્રી થઈ જાય છે.

108-Names-of-Lord-Shiva-Ashtottara-Shatanamavali-Lyrics-Gujarati

 


અમાસ તિથિ ના દિવસે જપ તપ વ્રત પુજન મંત્ર કરવા માટે અતિ ઉત્તમ તિથિ માનવામા આવે છે આ દિવસે શિવ પાવૅતી, લક્ષ્મીનારાયણ , પિતૃઓ તથા પીપળા ના વૃક્ષ પુજાન ખાસ કરવું જોઈએ. જો આમાંથી કોઈ પણ ની પુજા ના કરી શકો અમાસ ના દિવસે શિવજી માટે શિવ મહિમ્ન સ્તોત્ર વાંચો સાંભળો, શ્રી લક્ષ્મીનારાયણ દેવ માટે વિષ્ણુ સહસ્ત્રનામ સ્ત્રોત તથા શ્રી સુક્તમ્ નો પાઠ કરો અને પિતૃઓ માટે ગરીબ , બ્રાહ્મણ તથા પ્રાણી ઓનો ભોજન જરૂર કરવો.


એવું માનવામાં આવે છે કે અમાસ તિથિ એ પિતૃઓ ચંદ્ર પાસે અમૃતપાન માટે જાય છે અને વાયુ વેગે હવામાં ફર્યા કરે છે.આ દિવસે પુર્ણ શ્રદ્ધા થી શ્રાદ્ધ કરવાથી પિતૃઓ તૃપ્ત થાય છે અને પરિવાર લોકોની ઉંમર અને સુખ-સમૃદ્ધિ પણ વધે છે. આ દિવસે કરવામાં આવેલા વ્રતથી ઘણા પ્રકારના દોષ પણ દૂર થાય છે.


આ અમાસ ની તિથિ ના દિવસે કેટલાક કાર્યો ખાસ કરવા અને કેટલાક કાર્યો ના કરવા.


આ દિવસે સૂર્યોદય પહેલા ઉઠીને તીર્થ સ્થાન અથવા પવિત્ર નદીઓમાં સ્નાન કરવાની પરંપાર છે. પરંતુ અત્યાર ના સમય મુજબ એમ ના થાય તો  ઘરે જ પાણીમાં ગંગાજળના કેટલાક ટીપાં અથવા પવિત્ર નદીનું જળ નાખીને સ્નાન કરવાથી એટલું જ પુણ્ય મળશે.


આખામાં ઘરમાં સફાઈ કર્યા બાદ ગંગાજળ અથવા ગૌમૂત્રનો છંટકાવ કરવો.


આખો દિવસ વ્રત અથવા ઉપવાસની સાથે પૂજા-પાઠ અને શ્રદ્ધાનુસાર દાન કરવાનો સંકલ્પ લો. આ દિવસે તમારા કુળદેવી કુળદેવતા ની પુજન પછી શિવ પાવૅતી પુજન કરી ૐ નમઃ શિવાય મંત્રની એક માળા રૂદ્રાક્ષ ૧૦૮ મણકા ની એક માળા કરો. શ્રી લક્ષ્મીનારાયણ દેવનું પૂજન કરો ૐ નમો ભગવતે વાસુદેવાય ની બે માળા કરો અને માળા તુલસી ના મણકા ની હોય તો અતિ ઉત્તમ માનવામાં આવે છે.


Shiv Mantra Gujarati

આ દિવસે પીપળો, આસોપાલવ, તુલસી, બીલીપત્ર અને અન્ય છોડ-વૃક્ષ લગાવવાની પરંપરા છે. આવું અમાસના દિવસે લગાવવામાં આવેલા વૃક્ષો અને છોડથી પિતૃ અને દેવતા પ્રસન્ન થાય છે.


સવારે વહેલા ઉઠીને પીપળાના ઝાડ પર જળ ચઢાવવું. પીપળા અને વડના વૃક્ષની 108 પરિક્રમા કરવાથી ગરીબી દૂર થાય છે.


માનવામાં આવે છે કે અમાસના દિવસે મૌન રહેવાની સાથે સ્નાન અને દાન કરવાથી હજાર ગાયોના દાન કરવા જેટલું ફળ મળે છે.


શ્રદ્ધા મુજબ, દાન કરીને સંકલ્પ લેવો જોઈએ. પછી જરૂરિયાતમંદ લોકોને દાન આપવું જોઈએ. આ દિવસે તેલ, જૂતા-ચપ્પલ, લાકડીનો પલંગ, છત્રી, કાળા કપડા અને અડદની દાળનું દાન કરવાથી કુંડળીમાં રહેલો શનિ દોષ દૂર થઈ જાય છે. પ્રાણીઓ ને જેમ કે કાળા રંગની ગાય, કુતરા ને મીઠાઈ ખવડાવુ.


અમાસ ના દિવસે ખાસ કરીને સાત્વિક ભોજન કરો અને તામસી ભોજન કેમ કે લસણ-ડુંગળી અને માંસથી દૂર રહો.

કોઈપણ પ્રકારનો નશો ન કરવો અને પતિ-પત્નીએ એક જ પલંગ પર ન સૂવું જોઈએ. કોઈ પણ પરિસ્થિતિમાં બ્રહ્મચર્ય નું પાલન કરવું.

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને  

 દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 

 

 

 

 

8 જુલાઈ 2021 નો ગુજરાત ડીઝલ બજાર નો ભાવ | Today Diesel Price| Diesel Rate Today in Gujarat

8 જુલાઈ 2021 નો ગુજરાત ડીઝલ બજાર નો ભાવ | Today Diesel Price| Diesel Rate Today  in Gujarat

Diesel-Price-Today-Gujarati-Updae-diesel-Rate
Diesel-Price-Today-Gujarati-Updae-diesel-Rate

 

ગુજરાત એ ભારતનું એક વિશેષ રાજ્યો છે, જે ભારતના ભોગોલીક સ્થિતિ મુજબ પશ્ચિમ ભાગમાં આવેલું છે. રાજ્યની આશરે વસ્તી 6 કરોડથી વધુ છે. કુલ સ્થાનિક ઉત્પાદન અનુસાર એ ભારતના અર્થતંત્રમાં રૂ. ૧૭.૬૬ લાખ કરોડનું યોગદાન આપનાર તેથી તે ત્રીજુ સૌથી મોટું રાજ્ય છે.



આજનો 7 મહાનગરો નો ડીઝલ બજારનો ભાવ

અમદાવાદ    :-  ૯૬.૪૮/- રૂપિયા

વડોદરા  :-  ૯૬.૧૪/- રૂપિયા

ભાવનગર :- ૯૭.૭૨/- રૂપિયા

રાજકોટ:- ૯૬.૨૮ /- રૂપિયા

ગાઘીનગર :- ૯૬.૬૯ /- રૂપિયા

સુરત :- ૯૬.૭૩ /- રૂપિયા

જામનગર :- ૯૬.૧૦ /- રૂપિયા



સૌથી ઓછો ભાવ  :- જામનગર :- ૯૬.૧૦ /- રૂપિયા

સૌથી વઘારે ભાવ   :- ગીર સોમનથ:- ૯૮.૧૦ /- રૂપિયા

મિત્રો માહીતી સારી લાગી હોય તો મિત્રો સાથે શેર કરો.

Petrol-Price-Today-Gujarati-Updae-diesel-Rate

 

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો

દરરોજ આવા લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 

 
ganesh 12 name gujarati

 guruvar-ke-upay-gujarati