મંગળવાર, 1 ઑગસ્ટ, 2023

પુરુષોત્તમ માસ કથા અધ્યાય પંદરમો | Purushottam Maas Katha Adhyay 15 in Gujarati | Adhyay 15 | | Adhik Mass 2026 | Okhaharan |

પુરુષોત્તમ માસ કથા અધ્યાય પંદરમો |  Purushottam Maas Katha Adhyay 15 in Gujarati  | Adhyay 15 | | Adhik Mass 2026 | Okhaharan | 


purushottam-maas-katha-adhyay-15-in-gujarati
purushottam-maas-katha-adhyay-15-in-gujarati


શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું પુરૂષોત્તમ માસની કથા અધ્યાય પંદરમો સુદેવને વરદાન કથા અને અમૃત ધારા જે વાતૉ કહેવાય દોઢિયાની દક્ષિણા ની વાર્તા. 

પુરુષોત્તમ માસ કથા અધ્યાય ચૌદમો


અધ્યાય પંદરમો સુદેવને વરદાન કથા 


ભગવાન શ્રી નારાયણે કહ્યું : “ હે મહર્ષિ નારદ ! તે પછી સુદેવ બે હાથ જોડી ગળગળા અવાજે ભક્તવત્સલ શ્રી વિષ્ણુ ભગવાનની આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યો :


“હે દેવ ! હે દેવોના ઈશ્વર ! આપને નમસ્કાર હો. હું આપના શરણે આવ્યો છું. આપ મારું રક્ષણ કરો. આપ સર્વ કર્મ ફળના બીજ રૂપ, તેજ સ્વરૂપ તેજ આપનાર અને સર્વ તેજસ્વીઓમાં શ્રેષ્ઠ છો. હે પ્રભો ! હું અત્યંત દુ:ખી છું. આપનો ભક્ત છું, છતાં આપ મારાદુ:ખને દૂર કરવા કશું કરતાં કેમ નથી, તો લોકમાં આપને લોકબંધુ કહે છે તે એળે જશે ?”


તે સાંભળીને શ્રીહરિ મેઘ જેવા ગંભીર અવાજે બોલ્યા : “હે પુત્ર! તેં ઘોર તપ કર્યું છે, તું શું ઈચ્છે છે ? તારા તપથી હું સંતુષ્ટ થયો છું. આવું મહાન કર્મ પહેલા કોઈએ પણ કર્યું નથી.”


સુદેવ બોલ્યો : “હે વિષ્ણો ! આપ પ્રસન્ન થયા હો તો મને શ્રેષ્ઠ પુત્ર આપો. પુત્ર વગરનું મારું જીવન નિરસ થઈ ગયું છે. મને જીવવાનો આધાર આપો.” બ્રાહ્મણનું આ વચન સાંભળી ઈશ્વર શ્રીહરિ બોલ્યા :


“હે બ્રાહ્મણ ! પુત્ર વિના બાકી બધું જે ન આપવા જેવું છે તે પણ હું તને આપીશ. તારા લલાટમાં જે અક્ષરો છે, તે બધા મેં જોઈ લીધાંછે; તેમાં સાતે જન્મમાં તને પુત્રસુખ નથી.”


શ્રીહરિનું વ્રજના કડાકા જેવું કઠોર વાક્ય સાંભળી બ્રાહ્મણ સુદેવ કપાયેલા મુખવાળા વૃક્ષની પેઠે પૃથ્વી પર પછડાઈ પદ્યો. પોતાના સ્વામીને પુત્રની ઈચ્છાથી બેભાન પડેલો જોઈ પત્ની દુ:ખી થઈ રડવા લાગી. પછી ધૈર્ય ધરી તે સ્ત્રી પોતાના પતિને કહેવા લાગી.


ગૌતમી બોલી : “હે નાથ ઊઠો ! મારું વચન તમે કેમ યાદ કરતા નથી ? વિધિના લેખને ટાળી શકાતા નથી. ભાગ્ય આગળ કોઈનું ચાલતું નથી.જેને દૈવ અનુકૂળ હોતું નથી તેનું બધુંય વ્યર્થ થાય છે તો હે બ્રાહ્મણ ! બધા પર વિશ્વાસ છોડી કેવળ પ્રભુની ભક્તિ જ કરો. સર્વ પ્રકારના શોકને છોડી માત્ર શ્રી હરિની સેવા કરો.

પુનમ દિવસે વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  


તીવ્ર શોકવાળાં ગૌતમીનાં એ વચન સાંભળી ગરુડજીને ઘણું દુ:ખ થયું ને તે ક્રોધથી કાંપવા લાગ્યા. તેમણે વિષ્ણુ ભગવાનને પ્રાર્થના કરતાં કહ્યું.
ગરુડજી બોલ્યા : “હે શ્રીહરિ ! આ બ્રાહ્મણી શોકસાગરમાં ડૂબી રહી છે અને આ બ્રાહ્મણ પણ આંખમાંથી આંસુ સારતાં બેભાન થઈ પડ્યો છે.લોકો આપને દયાના સાગર, દુ:ખીઓના દીનબંધુ કહે છે. કારણકે તમે ભક્તોનાં દુ:ખ સહન કરી શકતા નથી. તો આપની દયા આજે ક્યાં ગઈ છે ? આપ આને જો પુત્ર નહી આપો તો હવે પછી આપનાં ચરણકમળને કોઈ સેવશે નહી. આ બંને સ્ત્રી-પુરુષ પુત્ર્ની ઈચ્છાથી આપને શરણે આવ્યા છે.”
ગરુડજીના આવાં વચનો સાંભળી શ્રી વિષ્ણુ ભગવાનના ચહેરા ઉપર મંદ મંદ હાસ્ય પથરાઈ ગયું. તેમણે ગરુડજીને અમૃત જેવી વાણીમાં કહ્યું : “હે ગરુડજી ! તમને આ બ્રાહ્મણ દંપતિ પ્રત્યે આટલો સ્નેહ હોય તો ભલે આ બ્રાહ્મણને તમે જ એક મનગમતો શ્રેષ્ઠ પુત્ર આપો અને તેની ઈચ્છા પૂર્ણ કરો.તમને મારા આશીર્વાદ છે.”


શ્રીહરિનું પોતાને અનુકૂળ આવું વચન સાંભળી ગરુડજી મનમાં અતિ પ્રસન્નતા પામ્યા અને ગરુડજીએ શ્રી કેશવ ભગવાનના આદેશથી મનમાં અતિશય ખેદ પામેલા બ્રાહ્મણ શ્રેષ્ઠ સુદેવને આ પ્રમાણે કહ્યું : “હે શ્રેષ્ઠ બ્રાહ્મણ ! સાત જન્મોમાં પણ તારે પુત્રસુખ નથી, પરંતુ મારા સ્વામીની આજ્ઞાથી અને તેમના આશીર્વાદથી હું તને એક સુંદર અને સુયોગ્ય પુત્ર થાય તેવું વરદાન આપું છું. હે શ્રેષ્ઠ બ્રાહ્મણ ! તું ધન્યવાદને પાત્ર છે. શ્રીહરિની કૃપાથી જ તને પુત્ર પ્રાપ્તિ થશે. પુત્રપ્રાપ્તિથી તારો સંસાર સુખમય બનશે. માટે હવે બધો શોક છોડી દે અને કોઈ જાતની આસક્તિ રાખ્યા વગર આ સંસારને ભોગવ.”


આવી રીતે ઉત્તમ વરદાન આપીને ગરુડજી પોતાના સ્વામી શ્રીહરિ વિષ્ણુને પોતાની પીઠ ઉપર બેસાડી પોતાના ધામ વૈકુંઠલોકમાં ગયા.


“ શ્રી બૃહન્નારદીય પુરાણ” ના પુરૂષોત્તમ માહાત્મ્યનો
“સુદેવને વરદાન” નામનો પંદરમો અધ્યાય સંપૂર્ણ.
 
હવે પતિતપાવન પુરૂષોત્તમ માસની કથાનું રસપાન કરીએ.


દોઢિયાની દક્ષિણા 


ત્રંબાવટી નગરીનો રાજા ધર્મસેન ઘણો ધર્મિષ્ઠ હતો. બારે માસ વ્રત-તપ કરી દાન-પુણ્ય કરે. રાણી પણ ધર્મનું આચરણ કરવાવાળી. રાજાને બધી વાતે સુખ, પણ શેર માટીની ખોટ. પાછળ કોઈ વારસદાર નહીં. એવામાં પાવન પુરૂષોત્તમ માસ આવ્યો. રાજા-રાણીએ વ્રત શરૂ કર્યું. રોજ નદીએ નહાવા જાય, કથા-વાર્તા સાંભળે અને નિત્ય બ્રાહ્મણોને દાન-દક્ષિણા આપે. બધા બ્રાહ્મણો દક્ષિણા સ્વીકારે, પરંતુ એક બ્રાહ્મણ દક્ષિણા ન લે. રાજા બહુ આગ્રહ કરે તો કહે કે છેલ્લા દિવસ્સે લઈશ. બ્રાહ્મણ સાવ કંગાળ હતો. ખાવાનાય સાંસા હોય એવી એની કાયા કૃશ હતી. રાજાએ નક્કી કર્યું કે છેલ્લા દિવસે આ બ્રાહ્મણને પાંચ સોનામહોર આપવી.

પુનમ દિવસે વાંચો  આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત 


નક્કી કર્યા પ્રમાણે રાજાએ પાંચ સોનામહોર આપી, પણ બ્રાહ્મણે ન લીધી. એટલે રાજાએ પચાસ આપી ત્યારે બ્રાહ્મણ બોલ્યો કે “આ તો ખજાનાનું ધન છે, મને એ ના ખપે. મારે તો પરસેવાની કમાણી જોઈએ.” રાજાએ થોડો વિચાર કરી એને બીજા દિવસે બોલાવ્યો.


આ બાજુ બ્રાહ્મણી કાગના ડોળે પતિની રાહ જુએ છે. પતિએ ઘેર જઈને વાત કરી કે રાજા કાલે દક્ષિણા આપશે ત્યારે બ્રાહ્મણી હરખાવા લાગી કે રાજા ખાતા ન ખૂટે એટલું ધન તો અવશ્ય આપશે.


રાજા સાંજે ફાટ્યાં-તૂટ્યાં વસ્ત્રો પહેરી મજુરનો વેશ ધરી મહેલના બારણેથી નીકળ્યો અને કામ શોધવા લાગ્યો. પણ એને કાંઈ કામ આવડતું ન હતું. એને રાખે કોણ ? ફરતો ફરતો એ લુહારની કોઢે આવ્યો. બહુ કરગર્યો ત્યારે લુહારે એને ધમણ ફુંકવા અને ધણના ઘા મારવા રાખ્યો. આખી રાતની મજુરી ચાર આના નક્કી થઈ, પણ રાજાએ જિંદગીમાં કદી મહેનત કરી ન હતી, તેથી એક ઘડીમાં તો હાંફીગયો. પરસેવે રેબઝેબ થઈ ગયો. હાથમાં છાલા પડી ગયા. હથોડો ઉંચકવાના પણ હોંશ ન રહ્યા. લુહારે ખીજાઈને એને દોઢિયું (બે પૈસા) આપીને કાઢી મૂક્યો. રાજા લથડિયા ખાતો મહેલે આવ્યો. પરસેવો પાડીને પૈસો કમાવો કેટલો દોહ્યલો છે એનું એને ભાન થયું. પલંગમાં પડતાવેંત ઊંઘ આવી ગઈ.


સવારે બ્રાહ્મણ આવ્યો. રાજાએ પ્રણામ કરીને દક્ષિણામાં દોઢિયું આપ્યું. બ્રાહ્મણે પ્રેમથી દક્ષિણા સ્વીકારી અને રાજાને આશીર્વાદ આપ્યા કે “ ધન્ય છે રાજા તમને ! તમે મને તમારા પરસેવાની કમાણી આપી. ભગવાન તમારી સર્વ કામના પૂરી કરશે. ભગવાન પુરૂષોત્તમની કૃપાથી ટૂંક સમયમાં જ તમારે ત્યાં રાજનો વારસદાર જન્મશે.” રાહ જોતી બ્રાહ્મણીના હાથમાં દોઢિયું મૂક્યું. બ્રાહ્મણી તો દોઢિયું જોતાં જ ભડકી ઊઠી અને રોષે ભરાઇ દોઢિયાનો ઘા કરીને પતિને ભાંડવા લાગી. મૂરખ, વેદિયો કહીને ઘર ગજાવી મૂક્યું, પણ બ્રાહ્મણનું રૂંવાડુંય ન ફરક્યું.


બન્યું એવું કે એ દોઢિયું જઈને તુલસીક્યારામાં પડ્યું. બીજા દિવસે ત્યાં છોડ ઊગ્યો. થોડા સમય પછી છોડને શીંગો આવી. વિચિત્ર છોડને જોઈને બ્રાહ્મણીને નવાઈ લાગી. તેણે શીંગ તોડી જોયું તો અંદર દાણાને બદલે સાચા મોતી હતા ! બ્રાહ્મણી તો હરખાતી હરખાતી પતિ પાસે દોડી ગઈ. બ્રાહ્મણ સમજી ગયો કે આ તો રાજાના પરસેવાની કમાણી ઊગી છે. તે પુરૂષોત્તમ પ્રભુની કૃપા માનીને સ્તુતિ કરવા લાગ્યો.

હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ


          બ્રાહ્મણ એક મોતી લઈને બજારમાં વેચી આવ્યો. રોકડા બે હજાર રૂપિયા મળ્યા. પછી તો જોતજોતામાં બ્રાહ્મણ ધનવાન થઈ ગયો. જેના ઘરમાં ધનનું ઝાડ હોય એને શું મણા ? બ્રાહ્મણે સદાવ્રત બાંધ્યું. અન્નદાન-વસ્ત્રદાન કરવા લાગ્યો. જેમ જેમ લોકોને ખબર પડી તેમ તેમ બધા ધનનો છોડ જોવા આવવા લાગ્યા.


વાત રાજાના પ્રધાને સાંભળી. પ્રધાન પાકો બદમાશ હતો. તેણે આ છોડને પચાવી પાડવાનો દ્રઢ નિર્ધાર કર્યો અને એ દસ માણસોને લઈને આવ્યો બ્રાહ્મણના ઘેર ! આવીને બોલ્યો : “હે બ્રાહ્મણ ! અમે સાંભળ્યું છે કે તારે ત્યાંરોજ મોતી ઊગે તેવો છોડ છે, સાચી વાત છે ?” બ્રાહ્મણ તો સાચો જીવા હતો. તેણે સાચી વાત જણાવી દીધી કે આ તો રાજાએ દક્ષિણામાં આપેલા દોઢિયાનો છોડ છે. પ્રધાનની મુરાદ મેલી હતી. એ છોડ પોતાના ઘેર લઈ જવા ઈચ્છતો હતો. બોલ્યો કે, “આ છોડના મૂળિયા તપાસવા પડશે. જો દોઢિયું નીકળે તો છોડ તારો, નહિતર રાજની માલિકીનો.”


પ્રધાને તો માણસોને હુકમ કર્યો કે છોડના મૂળિયા ખોદી નાખો.માણસો કામે લાગી ગયા. નાનકડા છોડના મૂળિયા ખોદતાં વાર કેટલી ? પણ આ તો ધર્મનો છોડ હતો. એના મૂળ તો છેક પાતાળે પહોંચે. દસે માણસો થાકીને લોથ થઈ ગયા, પણ મૂળ ન મળ્યા.


કોઈએ જઈને આ વાત રાજાને કરી. રાજા તો દોડતો આવ્યો. પહેલાં તો પ્રધાનને બરાબરનો ધમકાવી તેની ખબર લઈ નાખી. પછી બંને હાથ જોડીને બ્રાહ્મણ-બ્રાહ્મણીની માફી માંગી. બ્રાહ્મણે રાજાને સાચાં મોતી ભેટ ધર્યાં.


બ્રાહ્મણના આશીર્વાદના પ્રતાપે રાજાના ઘેર પારણું બંધાયું ને સૌ સારાં વાનાં થયાં.


હે પૂર્ણ પુરૂષોત્તમ પ્રભુ ! તમે જેવા બ્રાહ્મણ-બ્રાહ્મણીને ફળ્યા એવા સૌને ફળજો.

પુરુષોત્તમ માસ સ્પેશિયલ ભજન | આંબુડું જાંબુડું ગીત ગુજરાતીમાં

                                  Gujarati Bhakti Lekh on Whatsapp


 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.    


નારાયણ નો આ કવચ નો પાઠ કરવાથી તમામ પ્રકારના ભય માંથી મુક્તિ મળે છે અહી ક્લિક કરો.   






દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી 


 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

સોમવાર, 31 જુલાઈ, 2023

પુરુષોત્તમ માસ કથા અધ્યાય ચૌદમો | Purushottam Maas Katha Adhyay 14 in Gujarati | Adhyay 14| | Adhik Mass 2026 | Okhaharan |

 પુરુષોત્તમ માસ કથા અધ્યાય ચૌદમો |  Purushottam Maas Katha Adhyay 14 in Gujarati  | Adhyay 14 | | Adhik Mass 2026 | Okhaharan | 


purushottam-maas-katha-adhyay-14-in-gujarati
purushottam-maas-katha-adhyay-14-in-gujarati


શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું પુરૂષોત્તમ માસની કથા અધ્યાય ચૌદમો  દ્દઢધન્વાના પુનર્જન્મની કથા અને અમૃત ધારા જે વાતૉ કહેવાય તાવડી તપેલીની વાર્તા. 

પુરુષોત્તમ માસ કથા અધ્યાય તેરમો 


દ્દઢધન્વાના પુનર્જન્મની કથા 


શ્રી નારાયણ બોલ્યા : “ નારદ ! એ રાજા એમ ચિંતાતુર બની ઉદાસીમાં ડૂબી ગયો હતો. એક વખત તેને ઘેર વાલ્મીકિ ઋષિ પધાર્યા. રાજા ભક્તિ સહિત તેમનાં ચરણોમાં નમી પડ્યો. તેણે ઋષિને પ્રણામ કર્યાં, તેમના ચરણકમળ ધોઈ પૂજા કરી, તેમને ઉચ્ચ આસને બેસાડ્યા અને સ્નેહાળ વાણીથી કહેવા માંડ્યું.

પુરુષોત્તમ માસ સ્પેશિયલ ભજન | આંબુડું જાંબુડું ગીત ગુજરાતીમાં 


દ્રઢધન્વા બોલ્યો :  “હે ભગવન ! આજે આપના દર્શનથી  મારો જન્મ સફળ થયો છે. ખરેખર, મારાં ભાગ્ય મોટાં છે કે આપ જેવા મુનિનો સત્સંગ મને પ્રાપ્ત થયો.”


શ્રી નારાયણ બોલ્યા : “ મુનિશ્રેષ્ઠ વાલ્મીકિને એમ કહી રાજા બોલતો બંધ થયો. પ્રસન્ન થયેલા મુનિ વાલ્મીકિ પણ તેની આગતા-સ્વાગતાથી ખૂબ પ્રસન્ન થયા. પણ રાજાને ચિંતામગ્ન જોઈને તે બોલ્યા : “હે શ્રેષ્ઠ રાજા ! ધન્ય છે. તારાં વાણી, વિવેકથી હું પ્રસન્ન થયો છું. પણ મને લાગે છે કે તું કોઈ મોટી ચિંતામાં છે. તારા મનમાં જે કાંઈ હોય તો હે મહાબુદ્ધિમાન ! તે તું મને વિના સંકોચે કહે.”


દ્રઢધન્વા બોલ્યો :  “આપનાં ચરણકમળની કૃપાથી મને હંમેશા સુખ જ છે. રાજપાટ, હાથી, ઘોડા, સેના, ચાર પરાઅક્રમી પુત્રો, સર્વ લક્ષણા સુંદર પત્ની બધું જ છે. પરંતુ એક જંગલી પોપટના મુખેથી નીકળેલા વચનો મને સાલ્યાં કરે છે. તે વિષેનો સંશય આપ દૂર કરો. એ પક્ષી પર જેટલામાં મારી નજર ઠરી તેટલામાં એ મારી સામે મોઢું કરી, એક શ્ર્લોક બોલ્યો.


 “વિદ્યમાનતુલ સુખ મા ભોક્યાતીવ ભૂષમલેન I
ચિનાયસિ તત્યં ત્વં તન કથાં પારમેશ્યસિ II


                 હે મુનિ ! મને જોઈને એ પોપટે આવી શ્ર્લોકવાણી શા માટે કરી ? તે હું એ સમજી શકતો નથી. એ પોપટની વાણીથી મારું મન બેચેન બની ગયું છે અને એ જ ચિંતા મને કોરી ખાય છે. વળી, મને  એ વાતનું પણ આશ્ચર્ય થાય છે કે મારા એવા ક્ય પુણ્યબળનાલીધે હું આ સુખ-વૈભવ પામ્યો છું. આપ મારો સંશય દૂર કરવા શક્તિ માન છો, તો મને બધું જણાવો.”

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે


રાજાનું એ વાક્ય સાંભળી મુનિશ્રેષ્ઠ વાલ્મીકિએ ધ્યાનમગ્ન બની ભૂત, ભવિષ્ય, વર્તમાન જે કંઈ છે એ બધું હાથમાં રહેલા આમળાની પેઠે સ્પષ્ટ જોઈ લીધું ને પછી હૃદયમાં નિશ્ચય કરી રાજાને કહ્યું :” હે શ્રેષ્ઠ રાજા ! તારા પૂર્વજન્મનું ચરિત્ર સાંભળ. હે રાજેન્દ્ર ! પૂર્વજન્મમાં તું દ્રવિડ દેશમાં ઉત્પન્ન થયેલો સુદેવ નામે બ્રાહ્મણ હતો.ને તામ્રવર્ણી નદીના કિનારે રહેતો હતો. તું ધાર્મિક, સત્યવાદી અને ધાર્મિક વૃતિવાળો વેદપારંગત અને જે મળે તેમાં જ સંતુષ્ટ રહેનારો હતો. તેં અગ્નિહોત્ર આદિ યજ્ઞોથી શ્રીહરિ વિષ્ણુને પણ સંતુષ્ટ કર્યા હતા.


તારી પત્ની પણ ઉત્તમગુણોવાળી અને સુંદર હતી. તે ગૌતમ બ્રાહ્મણની પુત્રી હતી. તેનું નામ ગૌતમી હતું. ગૌતમી પ્રેમથી પતિ સેવા કરતી હતી. તે જ પ્રમાણે ધર્મપૂર્વક તું વર્તતો હતો. એ રીતે ઘણો લાંબો કાળ વીતી ગયો છતાં તને કંઈ સંતાન થયું નહિ.


એક વખતે તું આસન પર બેઠો હતો. તારી પત્ની સેવા કરી રહી હતી. ત્યારે તેં પત્ની પ્રત્યે આ વચન કહ્યું : “ઓ સુંદરી ! સંસારમાં પુત્રથી અધિકબીજું કોઈ સુખ નથી. તપ-દાનથી ઉત્પન્ન થયેલ પુત્ર જ પરલોકમાં સુખ આપે છે. સંતાન વગરનોસંસાર સ્મશાનવત છે. પણ હું સંતાન પ્રાપ્ત ન કરી શક્યો એટલેમને હવે જીવવાનું નકામું લાગે છે. એટલે હવે હું મૃત્યુંની ઈચ્છા રાખું છું.”


પતિનાં આવાં નિરાશાજનક વચનો સાંભળી ગૌતમીને ઘણું દુ:ખ થયું. તે ઘણી જ જ્ઞાનીઅને પતિ ઉપરના પ્રેમથી તરબોળ હતી. તે ધીરજવાળી હતી તેથી પતિને આશ્વાસન આપવા માટે આવું શાંતિજનક વચન બોલી.
ગૌતમીએ કહ્યું : “હે પ્રાણેશ્વર ! આવા તુચ્છ વાક્યો તમે ન બોલો. તમે જ્ઞાની અને વિદ્વાનછો. તમારા જેવા વૈષ્ણવ શૂરવીરના મુખમાં આવાં વચનો શોભતાં નથી. તમે હંમેશા સત્યધર્મમાં તત્પર રહી, એના બળે સ્વર્ગ જીત્યા છો, જો તમને પુત્રની ઈચ્છા હોય તો શ્રી જગન્નાથની ભક્તિપૂર્વક આરાધના કરો. તે તમારા કષ્ટોને દૂર કરશે. જે ભગવાનનું આરાધન કરી પૂર્વે કર્દમઋષિએ સાંખ્ય શાસ્ત્રના આચાર્ય યોગીઓમાં શ્રેષ્ઠ તેવા પ્રખ્યાત કપિલદેવને પુત્ર તરીકે પ્રાપ્ત કર્યા હતા.”


ધર્મપત્નીનું એવું વચન સાંભળી બ્રાહ્મણોના શિરોમણિ સુદેવે એ પ્રમાણે કરવા નિશ્ચય કર્યો અને પછી પોતાની એ પત્ની સાથે તામ્રવર્ણી નદીના કિનારા પર તે ગયો. ત્યાં જઈ તેણે સૂકાં પાંદડાં અને જળૅનો આશરો લઈ મહાભયંકર તપ આદર્યું. આરીતે તપ કરતાં તેને ચાર હજાર વર્ષ વીતી ગયાં.
તપના ભંડાર એ સુદેવના તપથી ત્રણે લોક કંપવા લાગ્યા. ત્યારે ભક્તવત્સલ ભગવાન તેનું એ ઉગ્ર તપ જોઈ તરત જ ગરુડ પર બેસી ત્યં પ્રગટ થયા.
નવા મેઘ જેવા શ્યામ, પ્રસન્ન મુખવાળા અને જગતનું રક્ષણ કરવામાં સમર્થ એવી ચાર ભુજાઓથી યુક્ત જણાતા એ મુરારિના દર્શન કરી સુદેવ બ્રાહ્મણે હર્ષથી તેમને સાષ્ટાંગ પ્રણામ કર્યાં.


“ શ્રી બૃહન્નારદીય પુરાણ” ના પુરૂષોત્તમ માહાત્મ્યનો
“દ્દઢધન્વાના પુનર્જન્મની કથા” નામનો ચૌદમો અધ્યાય સંપૂર્ણ.
 
હવે પતિતપાવન પુરૂષોત્તમ માસની કથાનું રસપાન કરીએ.


 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે  


તાવડી તપેલીની વાર્તા


એક નગરમાં બ્રાહ્મણ-બ્રાહ્મણી વસે. બંને ઘણાં ધર્મિષ્ઠ અને સંતોષી જીવ. સંતાનમાં ચાર દીકરી અને બે દીકરા. દીકરીઓતો પરણીને સાસરે ચાલી ગઈ. દીકરા નાના હતા. બ્રાહ્મણીની ઉંમર થઈ ગયેલી તેથી કામ કરતાં થાક લાગે. રાંધવા-છંધવાની કડાકુટમાં કથા-વાર્તામાં જવાય નહી.


એવામાં પુરૂષોત્તમ માસ આવ્યો. બ્રાહ્મણી વિચારવા લાગી કે પ્રભુએ રાંધવાની ચિંતા નઆપી હોત તો નિરાંતે પ્રભુભક્તિ કરત. આ રાંધવાની લપમાં અર્ધો દિ’ બગડે છે. દેવ-દર્શને જવાતું નથી. પ્રભુ દયા કરે અને તૈયાર રસોઈ મળે તો ભક્તિનું ભાથું બાંધી લઈએ.


બ્રાહ્મણીની પ્રાર્થના પ્રભુએ સાંભળી. રાતે સપનામાં દર્શન દઈને કહ્યું કે “સવારે તને દેવતાઈ તાવડી-તપેલી મળશે. તાવડીમાં તાવેથો ફેરવીશએટલે ઉના ઉના રોટલા મળશે અને તપેલીમાં કડછી હલાવીશ એટલે મેવા-મીઠાઈ મળશે, પણ આ વાત તું કોઈને ન કહેતી.”


સવારે દેવતાઈ તાવડી-તપેલી મળતાં બ્રાહ્મણી તો રાજી રાજી થઈ ગઈ. રાંધવાની લપ ગઈ. પ્રાત:કાળે ઊઠીને નદીએ નહાવા જાય. વાર્તા સાંભળે, દેવદર્શન કરે, કથા સાંભળેને છેક બપોરે ઘેર આવે. તાવડીમાં તાવેથો ફેરવે, એટલે ઉના ઉના રોટલા મળે અને તપેલીમાં કડછી ફેરવે એટલે મેવા મીઠાઈ મળે.


બ્રાહ્મણ-બ્રાહ્મણી નિરાંત જીવે પ્રભુભજન કરે છે, પણ છોકરાઓને નવાઈ લાગી કે મા આટલી જલદી રસોઈ કેવી રીતે બનાવી નાંખે છે ?  નથી એ ચૂલો સળગાવતી કે નથી એ લોટ બાંધતી અને રોજ રોજ મેવા-મીઠાઈ મળે છે. આનું રહસ્ય શું હશે ? એ જાણવા એક દિવસ છોકરાઓએ તિરાડમાંથી જોઈને બધું જાણી લીધું.છોકરા તો ભોળા જીવ. એમણે એમના મિત્રોને વાત કરી. એકે બીજાને, બીજાએ ત્રીજાને એમ કરતાં આખા નગરમાં વાત ફેલાઈ ગઈ. ઊડતી ઊડતી વાત રાજાના મહેલે આવી. રાણીએ જાણ્યું એટલે રાજા આગળ હઠ પકડી. કહે : “આવાં દેવતાઈ તાવડી-તપેલી તો મહેલમાં જ શોભે. મને એ લાવી આપો.”


રાજાએ પ્રધાનને સો સોનામહોર આપીને તાવડી-તપેલી લેવા મોકલ્યા. પ્રધાને બ્રાહ્મણ પાસે જઈને સોનામહોરો ધરી અને તાવડી-તપેલી માંગ્યાં. પણ બ્રાહ્મણે તાવડી-તપેલી આપવાની ના પાડી દીધી. બ્રાહ્મણ હાથ જોડી બોલ્યો : “મંત્રીશ્રી ! આ તાવડી-તપેલી તો મારા પુરૂષોત્તમ પ્રભુની પ્રસાદી છે. તેમણે મારા ઉપર પ્રસન્ન થઈને આપી છે, તે હું કેવી રીતે આપી શકું ?”
પ્રધાને જઈને રાજાને વાત કરી કે બ્રાહ્મણ તો તાવડી-તપેલી આપવાની ના પાડે છે. આથી રાજાએ વધારે ધનની લાલચ આપી, પણ બ્રાહ્મણે તો ચોખ્ખી ના પાડી દીધી કે લેવું હોય તો મારું માથું લઈ લો, પણ તાવડી-તપેલી તો કોઈ કાળે નહીં મળે.


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત 


આથી રાજા રોષે ભરાયો અને સેનાપતિને હુકમ કર્યો કે “જાઓ, જઈને એ બ્રાહ્મણના ઘરેથી તાવડી-તપેલી લઈ આવો. બ્રાહ્મણ ન માનેતો ઝૂંટવીને લઈ આવો.” સેનાપ્તિ તો આવ્યો બ્રાહ્મણના ઘરે. બ્રાહ્મણે બહુ વિનંતી કરી, પણ સેનાપતિ તો ઉઘાડી તલવારે ગયો રસોડામાં. જ્યાં તપેલીને હાથ લગાવ્યો ત્યાં તો એના હાથ તપેલી સાથે અને પગ જમીન સાથે ચોંટી ગયા. તેણે હાથ ઉખાડવાની અને પગ હલાવી જમીનથી છૂટવાની ઘણી કોશિશ કરી પણ ન હલી શકે ન ચાલી શકે.


સિપાહીઓએ જઈને રાજાને સમાચાર આપ્યા. ક્રોધથી ધુંઆપુંવા થતો રાજા જાતે આવ્યો. સેનાપતિને છોડાવવા ગયો તો એ પણ ચોંટી ગયો.
તમાશાને તેડું ન હોય. લોકો ભેગા થવા લાગ્યા. રાજાની ભોંઠપનો પાર નથી. રાણી સમજી ગઈ કે પ્રભુ કોપ્યા છે. એ તો બ્રાહ્મણ-બ્રાહ્મણીને હાથ જોડીને માફી માંગવા લાગી.


તત્કાળ આકાશવાણી થઈ : “હે રાજા ! તું તારો ધર્મ ચૂક્યો. પ્રજાનું પાલન કરવાના બદલે લૂંટવા તૈયાર થયો. જો તારે મુક્ત થવું હોય તો બ્રાહ્મણ-બ્રાહ્મણીને હજાર સોનામહોર આપ. આ પવિત્ર માસમાં જે સુવર્ણદાન કરે છે એ સર્વ પાપમાંથી મુક્ત બને છે.” આકાશવાણી સાંભળીને રાણીએ તરત મહેલમાંથી સોનામહોર મંગાવીને દાન કર્યું. રાજા અને સેનાપતિ મુક્ત થયા. સર્વત્ર પુરૂષોત્તમ પ્રભુનો જય જયકાર થવા લાગ્યો.


હે પૂર્ણ પુરૂષોત્તમ પ્રભુ ! તમે જેવા બ્રાહ્મણ-બ્રાહ્મણીને ફળ્યા એવા સૌને ફળજો.

શ્રી પુરૂષોતમ સ્ત્રોત ગુજરાતી 

                                        Gujarati Bhakti Lekh on Whatsapp


આજે સોમવારે કરો શિવજીના 108 નામ જાપ ગુજરાતી લખાણ સાથે


 આજે સોમવારે શિવ કૃપા માટે  " શ્રી શિવ સ્તુતિ " ગુજરાતી લખાણ સાથે






દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી 


 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

શનિવાર, 29 જુલાઈ, 2023

પુરુષોત્તમ માસ કથા અધ્યાય તેરમો | Purushottam Maas Katha Adhyay 13 in Gujarati | Adhyay 13 | | Adhik Mass 2026 | Okhaharan |

પુરુષોત્તમ માસ કથા અધ્યાય તેરમો |  Purushottam Maas Katha Adhyay 13 in Gujarati  | Adhyay 13 | | Adhik Mass 2026 | Okhaharan | 


purushottam-maas-katha-adhyay-13-in-gujarati
purushottam-maas-katha-adhyay-13-in-gujarati
શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું પુરૂષોત્તમ માસની કથા અધ્યાય તેરમો : દ્દઢધન્વાની કથા અને અમૃત ધારા જે વાતૉ કહેવાય મૌન મહિમાની વાર્તા. 

પુરુષોત્તમ માસ કથા અધ્યાય બારમો 


અધ્યાય તેરમો : દ્દઢધન્વાની કથા


શૌનકાદિ ઋષિઓએ પૂછ્યું : “હે મહાભાગ્યશાળી સુત ! જેમ અમૃત પીતાં તૃપ્તિ થાય નહી તેમ અમને તૃપ્તિ જ થતી નથી. હવે અમને પૂર્વે સૂર્યવંશમાં ઉત્પન્ન થયેલા દ્રઢધન્વા રાજાને પુરૂષોત્તમ માસના સેવનથી પુત્ર-પૌત્ર અને પતિવ્રતા પત્ની કેવી રીતે મળી અને યોગીઓને પણ દુર્લભ એવા ભગવાનના લોકને કેવી રીતે પામ્યો તે કથા અમને વિસ્તારથી કહો.”
સુત બોલ્યા : “હે બ્રાહ્મણો ! હે મુનિઓ ! રાજા દ્રઢધન્વાનું ચરિત્ર પાપોનો નાશ ક્કરનાર છે. રાજા દ્રઢધન્વાની કથા ગંગાની પેઠે પવિત્ર કરનારી છે, તેથી ગુરુના મુખેથી હું જે પ્રમાણે ભણ્યો છું તે પ્રમાણે તમને કહું છું.”
હૈહય દેશનું રક્ષણ કરનાર ચિત્રધર્મા નામે પ્રખ્યાત રાજા હતો. તેને દ્રઢધન્વા નામે પ્રખ્યાત પુત્ર થયો હતો. તે સર્વ ગુણોથી યુક્ત, સત્ય બોલનારો, ધર્મને જાણનારો અને શૂરવીર હતો. વેદ-પુરાણો શાસ્ત્રોનો અભ્યાસ કરી વિદ્યાભ્યાસ પૂર્ણ થતાંતે ગુરુને દક્ષિણા આપી પોતાના નગરમાં પાછો આવ્યો. ચિત્રધર્મા પણ પોતાનાપુત્રને જોઈ પરમ હર્ષ પામ્યો.

તે પછી પોતાના એ યુવાન પુત્રને સર્વ ધર્મનો જાણકાર અને પ્રજાનું પાલન કરવા સમર્થ છે એમ જાણી ચિત્રધર્માના મનમાં સંસારપ્રત્યે વૈરાગ્ય ઊપજ્યો અને તેણે મનમાં વિચાર્યું કે “હવે આ સંસારમાં મારે શું કામ છે ? હવે હું નિરાંતે પ્રભુભક્તિ કરીશ.” એમ મનમાં નિશ્ચય કરી તેણે સમર્થ દ્રઢધન્વાને રાજ્યનો કારભાર સોંપી દીધો. પોતે વૈરાગ્ય પામી પુલહ ઋષિના આશ્રમમાં જતો રહ્યો અને શ્રીહરિની ભક્તિ કરતાં તે પ્રભુશરણ થયો. દ્રઢધન્વાએ પણ પોતાના પિતાને વૈષ્ણવ ધામની પ્રાપ્તિ થઈ છે એ વાત સાંભળી.


તેથી તેને હર્ષ અને શોક બંને થયા. તેણે યોગ્ય રીતે તેમનું શ્રાદ્ધકર્મ કર્યું અને બ્રાહ્મણૉને જમાડી દાન-પુણ્ય કર્યું. પોતે નીતિશાસ્ત્રમાં પ્રવીણ રાજા તરીકે પુષ્કરાવર્તક નામના પવિત્ર નગરમાં રાજ્ય કરવા લાગ્યો. સમય જતાં વિદર્ભ દેશની અતિ સુંદર રાજકુંવરી ગુણવંતી સાથે તેના વિવાહ થયા.તેણીએ ચાર પુત્રોને જન્મ આપ્યો.શુભ લક્ષણોવાળી પુત્રીને પણ તેણે જન્મ આપ્યો, જેનું નામ ચારુમતી હતું. ચાર પુત્રો પણ ચિત્રવાક, ચિત્રવાહ,મણિમાન તથા ચિત્રકુંડલ, એવા નામોથી પ્રખ્યાત હતા. બધાય વિવેકી, સુંદર તથા શુરા હતા.

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે


દ્રઢધન્વા અનેક ગુણોથી પ્રખ્યાત હતો. જાણે બીજા રામચંદ્ર હોય તેમ એક પત્નીવ્રતને તે ધારણ કરતો હતો. ઉત્તમ ધર્મપાલન કરતો હતો અને બીજા કાર્તિકવીર્ય (સહસ્ત્રાર્જુન) પેઠેઅતિશય ઉગ્ર પરાક્રમવાળો પણ હતો.
એક વખત રાત્રે દ્રઢધન્વા સૂતો હતો તે વેળા તેને વિચાર આવ્યો કે આ આશ્ચર્યકારક વૈભવ, આટલું બધું સુખ કયા મોટા પુણ્યથી મને પ્રાપ્ત થયું હશે ? ના મેં આ જન્મમાં કોઈ વ્રત કર્યું છે, ના કોઈ તપ કર્યું છે, ના જપ કર્યાછે, ના હોમ-હવન કર્યા છે, છતાં પણ મને આટલી બધી સમૃદ્ધિ ક્યા કારણે પ્રાપ્ત થઈ છે. મારા ભાગ્યનું આ રહસ્ય મારે કોને પૂછવું ? એમ વિચાર્યા કરતો હતો એટલામાં રાત્રિ સમાપ્ત થઈ.


ઉદય પામતા સૂર્યની પૂજા કરી, બ્રાહ્મણોને નમસ્કાર કરી દાન દીધાં. એ પછી તે ઘોડા પર સવાર થયો અને પોતાના રસાલા સાથે જંગલમાં શિકારે નીકળ્યો. ત્યાં તેણે ઘણા મૃગો માર્યાં. પણ એક મૃગની પાછળ દોડવા જતાં તે પોતાના સિપાહીઓથી છૂટો પડી ગયો. રાજાએ એ મૃગને શોધવા ઘણો પ્રયત્ન કર્યો, પણ મૃગ ક્યાંય જંગલમાં અદ્રશ્ય થઈ ગયું. એટલે થાકેલો રાજા એક સરોવરના કાંઠે આવીને ઊભો. ત્યાં એક મોટું ઝાડ જોયું, આથી થાકેલો રાજા એક વડવાઈએ ઘોડો બાંધીને સરોવરમાંથી પાણી પી પોતાની તરસ છીપાવી આરામ કરવા ત્યાં બેઠો.”


એટલામાં ત્યાં પોપટ આવ્યો. એ પોપટ ત્યાં બેઠેલા દ્રઢધન્વાને સંબોધી એક ઉત્તમ શ્ર્લોક બોલવા માંડ્યો.”હે રાજા ! તું પૃથ્વી ઉપર મળેલા સુખ-વૈભવમાં જ રચ્યોપચ્યો રહે છે, જીવનના સારરૂપ તત્વને તું ભીલી ગયો છે. જો તું એ તત્વનો વિચાર નહીં કરે તો તું ભવપાર કેવી રીતે થઈશ ? જીવનના સાચા સિદ્ધિરૂપ પરમાત્માને કેવી રીતે પ્રાપ્ત કરી શકીશ ?” પોપટનાં આવાં ઉપદેશાત્મક બોધવચનો સાંભળી રાજા નવાઈ પામ્યો. તેને લાગ્યું કે આ કોઈ સામાન્ય પોપટ નથી, પણ મુનિ શુકદેવજી પોતે તેને ઉપદેશ આપી રહ્યા છે. સંસારસાગરમાં ડૂબેલા મારાજેવા અજ્ઞાનીનો ઉદ્ધાર કરવા માટે ભગવાન શ્રીકૃષ્ણે જ મોકલ્યા લાગે છે. રાજા આવો વિચાર કરતો હતો એટલામાં રાજાના સિપાહીઓ પણ ત્યાં આવી પહોંચ્યા.”


પેલો પોપટ રાજાને બોધ આપી અદ્રશ્ય થઈ ગયો. વિચારોમાં ડૂબી ગયેલો રાજા સેના સાથે પોતાના રાજ્યમાં આવ્યો. રાજમહેલમાં આવ્યા પછી પણ તે પોપટના વિચારોમાં જ ડૂબેલો રહ્યો. તેને ખાવા ભાવ્યું નહીં. રાત્રે તેની ઊંઘ પણ જતી રહી. રાજાનેઆરીતે ચિંતામગ્ન જોઈ તેની રાણી એકાંતમાં પાસે આવી રાજાને પૂછવા લાગી.


 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે  


ગુણસુંદરી બોલી : “ઓ પુરુષોત્તમ શ્રેષ્ઠ ! આ ઉદાસીનતા તમને ક્યાંથી આવી ! આટલા કેમ હતાશથઈ ગયા છો ? બધી ચિંતાઓ છોડી ભોગ ભોગવો અને આનંદિત થાઓ.” પરંતુ પત્નીના પ્રમ નિવેદનથી પણ રાજાની ચિંતા ઓછી થઈ નહીં. તે ઉદાસીમાં ડૂબી ગયો.


પતિના દુ:ખથી રાણીને ઘણું દુ:ખ થયું. રાજા દ્રઢધન્વા કઈ ચિંતામાં ડૂબી ગયો હશે તે જાણવાની તેણે ઘણી કોશિશ કરી, પણ રાજાને એ સંદેહરૂપ સમુદ્રમાંથી બહાર કાઢે તેવો કોઈ ઉપાય તેના જોવામાં ન આવ્યો.
રાજાને સતત ઘેરી વળેલી ઉદાસીથી મંત્રીઓ, સેનાપતિ,દાસ-દાસીઓ, નગરજનો પણ ચિંતામાં ડૂબી ગયા.


“ શ્રી બૃહન્નારદીય પુરાણ” ના પુરૂષોત્તમ માહાત્મ્યનો
“દ્દઢધન્વાની કથા” નામનો તેરમો અધ્યાય સંપૂર્ણ.
 
હવે પતિતપાવન પુરૂષોત્તમ માસની કથાનું રસપાન કરીએ.


મૌન મહિમાની વાર્તા


અવંતિ નગરીમાં ચાર વેદમાં નિપુણ એવો જ્ઞાની બ્રાહ્મણ રહે. તપ-જપ-વ્રતમાં સૌથી આગળ રહે. મહીના મહીનાના ઉપવાસ્સ કરે. પાંચ પાંચ વર્ષના ધારણા-પારના કરે. એમ કરતા એ સિત્તેર વર્ષનો થયો. ઉગ્ર તપના કારણે એની કાયા કૃશ થઈ ગઈ. અશક્તિ એટલી આવી ગઈ કે લાકડીના ટેકે માંડ પાંચ ડગલા ચાલી શકે.


એમ કરતાં પવિત્ર પુરૂષોત્તમ માસ આવ્યો. બ્રાહ્મણે આખો મહિનો ઉપવાસ કરવાનો સંકલ્પ લીધેલો પણ આ ઉંમરે મુશ્કેલી ઊભી થઈ. ચાલીને નદી સુધી તો જવું જ પડે.શરીરમાં એટલી શક્તિ તો હતી જ નહિ. છતાયબ્રાહ્મણે હિંમત કરી. મધરાતે લાકડીના ટેકે ચાલતો થયો, તે થાક ખાતો ખાતો છેક સવારે નદીએ પહોંચ્યો. સ્નાન કરી, વાર્તા સાંભળીને પાછો ફર્યો. ઘેર આવતા બપોર ઢળી ગયા. પાણી પીવાનાય હોશ ન રહ્યા. સિધો પડ્યો પથારીમાં, થાકના કારણે આંખ મળી ગઈ. સપનામાં પુરુષોત્તમ પ્રભુના દર્શન થયા.

રવિવારે કરો સૂર્ય નારાયણ દેવનો આદિત્ય સ્તોત્ર


પ્રભુ બોલ્યા : “હે ભક્ત ! તારા દુર્બળ દેહથી શક્ય ન હોવા છતાં તે તારો સંકલ્પ તુટવા ન દીધો તેથી હું ઘણો પ્રસન્ન થયો છું, પરંતુ એક જ દિવસના ઉપવાસે તારી આ હાલત કરી નાખી છે તો તું આખો મહિનો કઈ રીતે ટકીશ ? તારુ વ્રત તુટશે, તારો સંકલ્પ તુટશે; તેથી તું દોષમાં પડીશ. હે વત્સ ! તારી દ્રઢ શ્રદ્ધા અને ધર્મ પ્રત્યે તારી પ્રીતિ જોઈને હું તારા પર અતિ પ્રસન્ન થયો છું. તારો સંકલ્પ ન તુટે એવો રસ્તો ચીંધવા આવ્યો છું. હે ભક્ત, મૌનનો મહિમા અપાર છે. પુરૂષોત્તમમાસમાં જે મૌન પાળે છે તે ભોજન લે તો પણ તેનો બાધ નથી. તું મૌન વ્રત ધારણ કર. સુર્યોદય સુધી મૌન રાખવાનું. વળી જે નદીમાં સ્નાન કરતા મૌન ધારણ કરે છે તે પુત્રવાન અને આયુષ્યવાન બને છે. તેનું મુખમંડલ અતિ તેજસ્વી બને છે.
માર્ગ દેખાડીને પ્રભુ અંતર્ધ્યાન થઈ ગયા.


બ્રાહ્મણે તત્કાળ આખો મહિનો મૌન વ્રત ધારણ કરવાનો સંકલ્પ કર્યો. વ્રત પૂર્ણ થયે પ્રભુ પ્રગટ થયા અને બ્રાહ્મણને અખૂટ સમૃદ્ધિ આપી.
આયુષ્ય પૂર્ણ થતા6 બ્રાહ્મણ સદેહે ગોલોકમાં ગયો.


આમ, એકટાણા કરવા છતાં મૌનવ્રતના પ્રતાપે બ્રાહ્મણનું જીવન સાર્થક થયું. શાસ્ત્રો કહે છે કે એ બ્રાહ્મણના એક દિવસના મૌનવ્રતના ફળથી ઈન્દ્રરાજાએ વૃત્રાસુર રાક્ષસનો વધ કર્યો હતો.


ન બોલ્યામાં નવ ગુણ, બોલ્યે બગડી જાય;
મૌન તણો મહિમા ઘણો, પુરૂષોત્તમ પ્રસન્ન થાય.


          “પૂર્ણ પુરૂષોત્તમ પ્રભુ ! તમે જેવા મૌનવતી બ્રાહ્મણને ફળ્યા એવા સૌને ફળજો.”


પુરુષોત્તમ માસ સ્પેશિયલ ભજન | આંબુડું જાંબુડું ગીત ગુજરાતીમાં 

Gujarati Bhakti Lekh on Whatsapp






પુરુષોત્તમ માસ કથા અધ્યાય બારમો | Purushottam Maas Katha Adhyay 12 in Gujarati | Adhyay 12 | | Adhik Mass 2026 | Okhaharan |

પુરુષોત્તમ માસ કથા અધ્યાય બારમો |  Purushottam Maas Katha Adhyay 12 in Gujarati  | Adhyay 12 | | Adhik Mass 2026 | Okhaharan | 


purushottam-maas-katha-adhyay-12-in-gujarati
purushottam-maas-katha-adhyay-12-in-gujarati


શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું પુરૂષોત્તમ માસની કથા અધ્યાય બારમો મેઘાવતી પુનર્જન્મમાં દ્રૌપદી થઈ અને અમૃત ધારા જે વાતૉ કહેવાય અદેખી ભાભીની વાર્તા.

પુરુષોત્તમ માસ કથા અધ્યાય અગિયારમો  


અધ્યાય બારમો : મેઘાવતી પુનર્જન્મમાં દ્રૌપદી થઈ


નારદે કહ્યું : “હે નાથ ! ભગવાન શંકર અંતરધ્યાન થઈ ગયા, તે પછી તે મુનિ કન્યાનું શું થયું તે મને વિગતે આપ કહો, કેમકે ધર્મની સિદ્ધિ માટે મને એ સાંભળવાની ઈચ્છા છે.”


શ્રી નારાયણ બોલ્યા : “આ જ પ્રમાણે પૂર્વે યુધિષ્ઠિર રાજાએ શ્રીકૃષ્ણને પૂછ્યું હતું. તે વખતે એમણે રાજા યુધિષ્ઠિરને જે કહ્યું હતું તે હું કહું છું. સાંભળો –


શ્રીકૃષ્ણેકહ્યું : “ હે રાજન ! ભગવાન શિવ વરદાન આપી અદ્રશ્ય થઈ ગયા પછી આવા વિચિત્ર વરદાનથી એ તપસ્વિની કુમારીના હૃદયમાં શોકરૂપીઅગ્નિની જ્વાળા ભભૂકી ઊઠી. તે ચિંતામાં અને નિરાશામાં ડૂબી ગઈ. ઉદાસીએ તેને ઘેરી લીધીઅને દિવસે દિવસે તે કૃશ થઈ કાળને વશ થઈ મૃત્યુ પામી.


તે સમયે પૃથ્વી પર ધર્મિષ્ઠ રાજા યજ્ઞસેને મોટી સામગ્રીઓથી ભરપુર ઉત્તમ યજ્ઞ શરૂ કર્યો હતો. ત્યારેયજ્ઞકુંડમાંથી સોના જેવી કાંતિવાળી સુંદર કુમારી જન્મી, જે દ્રુપદ રાજાની પુત્રી દ્રૌપદી નામે લોકમાં પ્રખ્યાત થઈ.


આ જ દ્રૌપદીને વિવાહ યોગ્ય થતાં દ્રુપદરાજાએ યોજેલ સ્વયંવરમાં અર્જુને, કર્ણાદી જેવા મહાપરાક્રમી રાજાઓનું માન-મર્દન કરી માછલીની આંખ વીંધી દ્રૌપદીને પ્રાપ્ત કરી. પણ માતા કુંતાનું વચન પાલન કરવા માટે તે પાંચે પાંદવોની પત્ની બની.


વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે



“હે રાજન ! એમ પૂર્વેઋષિકન્યા જે મેઘાવતી હતી તે હાલ બીજા જન્મમાં દ્રૌપદી નામે પ્રસિદ્ધ થઈ છે. તેણે પૂર્વજ્ન્મમાં પુરૂષોત્તમ માસનું અપમાન કર્યું હતું, તેના લીધે તેને દુષ્ટ દુ:શાસને વાળૅથી પકડિ તેનાં વસ્ત્રો ખેંચ્યા હતાં. દ્રૌપદી આ સાંભળી બોલી: “હે ઈન્દ્રિયોના નિયંતા ! મારે તો બધૂ6યે આપ જછો. દુ:શાસને દુ:ખી કરેલી મને શું આપ નથી જાણૅતા ? “
“પાપી દુ:શાસને દ્રૌપદીને ભરી સભામાં વસ્ત્રહીન કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણે મને કરુણ સ્વરે પોકાર કર્યો. એટલે હે રાજન ! તરત ગરુડ પર ચડી ત્યાં આવી બાજુ પર ઊભા રહી મેં જ આ દ્રૌપદીને અનેક વસ્ત્રો પૂર્યાં હતાં અને તેની લાજ રાખી હતી.


 હે રાજન! પુરૂષોત્તમ માસ સર્વ ફળ આપનારો છે. આ માસ અત્યંત  પવિત્ર અને સર્વકામનાઓ  પૂર્ણ કરનાર છે. સૂરસૂર-નાગ-મુનિ સર્વે આ માસને શ્રદ્ધા અને ભક્તિથી સેવે છે. માટે તમે હવે આવનારા પુરૂષોત્તમ માસનું આરાધન કરો. ચૌદ વર્ષ પૂરાંથતા6 તમારું સંપૂર્ણ કલ્યાણ થશે. તમારાં કષ્ટો નાશ પામશે અને તમારું ગયેલું રાજ પાછું મળશે અને તમે સર્વ પ્રકારે સુખ-સંપત્તિ પામી અંતે મોક્ષને પ્રાપ્ત કરશો.”


 “હે પાંડુપુત્ર રાજા ! દુ:શાસન, દુર્યોધન વગેરે સર્વ દુષ્ટોને હું યમલોકમાં પહોંચાડીશ.યમરાજા તેમને તેમની કરણીનું ફળ આપશે. હું તો તે દુષ્ટોને શિક્ષા કરવા માટે પણ તેની સામે જોતો નથી.”


“હે રાજા યુધિષ્ઠિર ! હવે હું દ્વારકા જઈશ. ત્યાં બધા મારા આવવાની રાહ જોતા હશે. મારાં દર્શન માટે બધા ખૂબ ઉત્સુક રહે છે.’


ભગવાન શ્રીકૃષ્ણે એમ કહ્યું ત્યારે પાંડવો ગળગળાં અવાજે માંડ બોલી શક્યા. હે પ્રભુ ! તમે જ અમારા તારણહાર છો. અમે તમારા શરણે આવેલા છીએ. તમે અમને માર્ગદર્શન આપજો અને અમારી રક્ષા કરજો.” પાંડવોને આશ્વાસન આપી ધીરજ બંધાવી શ્રીકૃષ્ણ દ્વારકા જવા નીકળ્યા.


 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે  


ભગવાન શ્રીકૃષ્ણ દ્વારકાજવા નીકળ્યા. તે પછી નાના ભાઈઓની સાથે રાજા યુધિષ્ઠિર પણ તેમના વિરહથી ઘણું દુ:ખ પામતાં તીર્થાટન કરવા લાગ્યા.હે નારદમુનિ ! એ પછી પાંદવોએ પુરૂષોત્તમ માસ આવતાં તેનું વિધિ-વિધાનથી પૂજા-જપ-તપ-દાન કર્યું. ભગવાન પુરૂશોત્તમ તેમના ઉપર પ્રસન્ન થયા. એ વ્રતની સમાપ્તિ થયા પછી ચૌદ વર્ષ પૂરાં થતાં જ તેઓએ ભગવાન શ્રીકૃષ્ણની કૃપાથી યુદ્ધમાં વિજય પ્રાપ્ત કર્યો અને નિષ્કંટક અતુલ રાજ્ય પ્રાપ્ત કર્યું.”


સુતજી બોલ્યા : “હે બ્રાહ્મણો ! મેં પુરૂષોત્તમ માસનું માહાત્મ્ય મહામુનિ શ્રી વ્યાસજીના મુખેથી જે સાંભળ્યું છે તે તમને કહ્યું છે. ગોલોકપતિ ભગવાન શ્રીકૃષ્ણે જેને પોતાનો કર્યો છે તે શ્રી પુરૂષોત્તમ માસનું માહાત્મ્ય દેવો પણ જાણી શકતા નથી તો આપણે પામર મનુષ્યો ક્યાંથી જાણી શકવાના? 


“ શ્રી બૃહન્નારદીય પુરાણ” ના પુરૂષોત્તમ માહાત્મ્યનો
“મેઘાવતી પુનર્જન્મમાં દ્રૌપદી થઈ” નામનો બારમો અધ્યાય સંપૂર્ણ.


 હવે પતિતપાવન પુરૂષોત્તમ માસની કથાનું રસપાન કરીએ.


અદેખી ભાભીની વાર્તા


ભક્તિપુર ગામમાં એક ગરીબ બ્રાહ્મણ-બ્રાહ્મણી રહે. બ્રાહ્મણીનું પિયર ગામમાં જ હતું. ભાઈ ઘણો ધનવાન પણ ભાભી ઘણી અદેખી. તેણે ધણીને એવો વશ કરેલો કે ભાઈ પોતાની બેનને કાંઈ મદદ ના કરે. બ્રાહ્મણીને સાત સાત દીકરા. પેટનો ખાડો માંડ પુરાય. ક્યારેક તો ભૂખ્યા સૂવું પડે પણ તોય બ્રાહ્મણી ઘણી ખાનદાન. ગામમાં ભાઈના વખાણ કરતી ફરે.


એવામાં પાવન પુરૂષોત્તમ માસ આવ્યો. બ્રાહ્મણીએ વ્રત લીધું.એની અદેખી ભાભીએ પણ વ્રત લીધું. એને સંપત્તિ અપાર હતી, પણ સંતતિ ન હતી. ભાભી તો સોળ શણગાર સજીને પૂજન કરવા જાય. એમ કરતાં વ્રત પૂર્ણ થયું. ઉજવણાનો દિવસ આવ્યો. ભાભીએ ગામના તમામ બ્રાહ્મણોને નોતરી દીધા. છેલ્લે નણંદના ઘેર આવી અને મોં બગાડીને કહેવાલાગી : “લોકલાજે આવવું પડે એટલે આવી છું. બધા જમી લે પછી હું બોલાવું ત્યારે આવજો, કાળમાંથી ઊઠ્યા હોય એમ ભુખાવળાની જેમ દોડી ન આવતા.”
નણંદને ભાભીના વેણ વસમાં તો બહુ લાગ્યાં પણ એ છાના ખૂણે આંસુ સારીને બેસી રહી. છોકરા તો રાજીના રેડ થઈ ગયા. વાહ ભાઈ વાહ ! મામાના ઘેર જમવા જવાનું, અને મેવા-મીઠાઈ ખાવા મળશે, મજા પડી જવાની.

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે    


બીજા દિવસે બધાય બ્રાહ્મણો જમી પરવાર્યા પણ ભાભી બોલાવવા ન આવી. છોકરા ધમપછાડા કરે છે. બ્રાહ્મણી “હમણાં આવશે, હમણાં આવશે.” એમ સમજાવીને શાંત પાડે છે. એમ કરતાં સાંજ પડી. દી’ આથમી ગયો. ખાઉં ખાઉં કરતાં બિચારા છોકરા ભૂખ્યા-તરસ્યા સૂઈ ગયા. પણ જમવાનું કહેવા ભાભી ન આવી તે ન જ આવી. દીધા નોતરે ભાણેજડા ભૂખ્યા રહ્યા. રાતે બ્રાહ્મણીએ વિચાર કર્યો કે સવારે છોકરા ઊઠીને ખાવા માંગશે ત્યારે શું આપીશ ? બચારા બાળકોને મામીના સ્વભાવની શું સમજ પડે ? અત્યારે તે માંડ માંડ ઝંપીને સૂઈ ગયા છે પણ સવારે વહેલા ઊઠીને પાછા ખાવાનું માંગશે ત્યારે મારે શું જવાબ દેવો ? છેવટે ન છૂટકે બ્રાહ્મણી તો ચૂપચાપ ગઈ ભાભીના ઘેર. ત્યાં તો રોશની ઝળહળે છે. મંગલગીત ગવાય છે. ઘરના ખૂણે એઠાં પતરાળાંનો ઢગલો પડ્યો છે. બ્રાહ્મણી તો આઠ-દસ પતરાળાં સાડલામાં છુપાવીને ઘેર આવી, એમાં જે એઠું-જૂઠું વધ્યું હતું એના લાડવા વાળીને પતરાળાં ઘરના ખૂણે ફેંકી દીધાં અને સૂઈ ગઈ. એણે વિચાર્યુંકે છોકરા સવારે ઊઠશે એટલે આ લાડવા આપીશ, તો બચારા ખુશ ખુશ થઈ જશે.


રોજની ટેવ પ્રમાણે બ્રાહ્મમુહૂર્તે ઊઠીને એણે દીવો કર્યો. ત્યાં ખૂણામાં કાંઈક ચળકતુ જોયું. જઈને જોયું તો બધાય પતરાળાં સોનાના થઈ ગયાં છે. એણે તો પતિને જગાડ્યો. પતિ-પત્ની વિચાર કરવા લાગ્યા કે આ તો ભાઈનાં પતરાળાં, ભલેને સોનાનાં રહ્યાં તોય આપણાથી ન લેવાય.


બ્રાહ્મણી તો તરત દોડતી ગઈ ને ભાઈને તેડી લાવી. સોનાનાં પતરાળાં બતાવીને બધી વાત કરી ત્યારે બહેનની ખાનદાની જોઈ ભાઈની આંખમાંથી ડબ ડબ કરતાં આંસુ સરી પડ્યાં. એણે એ પતરાળાં બહેનને કાપડામાં દઈ દીધાં. પુરૂષોત્તમ પ્રભુની દયાથી બ્રાહ્મણી પળવારમાં ધનવાન થઈ ગઈ. એણે તો આખા ગામને જમવા તેડ્યું. ભાભીને પણ નોંતરું દીધું. ભાઈ-ભાભી જમવા આવ્યા. ભાણેજ પીરસવા લાગ્યા. મામીના ભાણામાં સવા શેર સોનાનો લાડવો મૂક્યો.


મામી ભડકી ! “કેમ આમ સોનાનો લાડવો મૂકો છો ?”


“મામી!” ભાણેજડા બોલ્યા : “અમે ગરીબ હતા ત્યારે તમે અમને ધિક્કારતા હતા ને બોલાવતા નહોતા અને આજ અમે ધનવાન થયા તો તમે દોડતા આવ્યા. જે કાંઈ છે એ સોનાની કૃપા છે. તમને સોનું વહાલું છે એટલે જમવામાં પણ એ જ દીધું છે. જમો તમ તમારે નિરાંતે !”


મામીની આંખમાંથી પશ્ચાતાપના આંસુ વહેવા લાગ્યાં. એ ઊઠીને નણંદ પાસે આવી અને સાચા દિલથી માફી માંગવા લાગી. નણંદ તો દયાળુ જ હતી. તરત ભાભીને માફ કરી દીધી.


 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે  


બ્રાહ્મણીની પ્રાર્થનાથી ભાભીનો ખોળો ભરાયો અને સૌ સારા વાનાં થયાં.
 “શ્રદ્ધા થકી જે વ્રત કરે, નર હોય કે નાર;

ફળ તેને લાધશે, નિશ્ચે માનજો એ સાર.”


          હે પુરૂષોત્તમરાય ! તમે જેવા ભોળી બ્રાહ્મણીને ફળ્યા એવા સૈને ફળજો.