સોમવાર, 6 ડિસેમ્બર, 2021

શિવ કૃપા માટે પાઠ કરો શિવ સ્તુતિ | Shiv Stuti | Shiv Stuti Gujarati Lyrics | Okhaharan

શિવ કૃપા માટે પાઠ કરો શિવ સ્તુતિ | Shiv Stuti | Shiv Stuti Gujarati Lyrics | Okhaharan

Shiv-Stuti-Gujarati-Lyrics
Shiv-Stuti-Gujarati-Lyrics

 

 શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું શિવ સ્તુતિ જય જય ભોલા શંભુ ગુજરાતી લખાણ સાથે. આ સ્તુતિ નિત્ય એકવાર , દર સોમવારે અથવા મહાદેવ ના મંદિરે અવશ્ય પાઠ કરો સવૅ ના મારા ૐ નમઃ શિવાય .

 

Shiv Mantra Gujarati

શિવ સ્તુતિ

જય જય ભોલા શંભુ

જય જય ભોળા શંભુ ચરણોમાં વંદુ જય જય ભોળા શંભુ

શિર પર વહેતી ગંગા ધારા અદભુત ત્રણ નયનોવાળા

સોહે  કંઠમાં રુદ્રની માળા ભક્તોના છો રખવાલા

જય જય ભોળા શંભુ ચરણોમાં વંદુ જય જય ભોળા શંભુ

નાગ વીટાળ્યો મસ્તક ઉપર કુંડળ કાનોમાં સારા

 ભાંગ પીનારા ભોળા શંભુ બીલીપત્રને ચાહનારા

જય જય ભોળા શંભુ ચરણોમાં વંદુ જય જય ભોળા શંભુ 


કરમાં સોહે ત્રિશૂળ ચમકતું અંગે ભભૂત લગાઈ

 ઝળહળતી જ્યોતિ જેવું સુખ પર તે છવાય

જય જય ભોળા શંભુ ચરણોમાં વંદુ જય જય ભોળા શંભુ

શિવ અદભુત મૂર્તિ તારી છે નંદિની રખવાળી

 ડમક ડમક ડમરુ ના નાદે વાતો કહે  તું મરમાળી

જય જય ભોળા શંભુ ચરણોમાં વંદુ જય જય ભોળા શંભુ 

 

સુરનર મુનિવર શંભુ તારુ ધ્યાન અહનિશ ધરતા

 ગંગા પાર્વતીજી નિશદિન જાપ તમારો કરતાં

જય જય ભોળા શંભુ ચરણોમાં વંદુ જય જય ભોળા શંભુ

અંગ ઉપર મૃગછાલ લપેટી કૈલાસ ઉપર છો વસનારા

સ્મરણ કરે જે ભાવે તેનું કષ્ટ તુરંત તો હરનારા  

 જય જય ભોળા શંભુ ચરણોમાં વંદુ જય જય ભોળા શંભુ

હે શિવ શંકર ભોલે શંકર વિનંતી એટલી કરીએ

 ભક્ત ઉપર કરજો કૃપા કે સુખ શાંતિ માં રહીએ

જય જય ભોળા શંભુ ચરણોમાં વંદુ જય જય ભોળા શંભુ 


બોલીયે શ્રી ઉમાપતિ કૈલાસપતિ મહાદેવ ની જય 

 


શિવજી નો આ સ્ત્રોત નો પાઠ કરવાથી આપણા કુટુંબ ને રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

 

મહાદેવ ની ભક્તિ માટે  મોબાઈલ એપ ફી ડાઉનલોડ જે  Make in India છે અહી ક્લિક કરો.

 

"" શિવ બાવની "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

બિલ્વપત્ર ની ઉત્પત્તિ કેવી રીતે થઈ? બિલ્વ વૃક્ષ કેટલા દેવતા નો વાસ છે?  બિલ્વપત્ર શિવજી ને અપણૅ કરવાનો મંત્ર કયો? સંપૂર્ણ માહિતી ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.


શ્રી ગણેશ આ કવચ નો પાઠ કરવાથી આસુરી તત્વો થી રક્ષા કરનારું નું છે અહી ક્લિક કરો. 

 

 "" શિવજી ના 108 નામ "" જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

ૐ મહાકાલેશ્વર જયોર્તિલિંગ ની ઉત્પત્તિ કથા અને માહિતી ગુજરાતીમાં અહી ક્લિક કરો.     

 "" શિવ અષ્ટક "" ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.   

 

શ્રી હનુમાન દાદા નો વડવાનલ સ્ત્રોત નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

 

શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

શનિવાર, 4 ડિસેમ્બર, 2021

શનિશ્ર્ચરી અમાસ રાત્રે સૂતા પહેલાં શનિદેવની આ સ્તુતિ કરી લેજો સાડાસાતી અને ક્રુર પ્રભાવ ઓછો થશે | shani dev stuti gujarati lyrics | Okhaharan

શનિશ્ર્ચરી અમાસ રાત્રે સૂતા પહેલાં શનિદેવની આ સ્તુતિ કરી લેજો સાડાસાતી અને ક્રુર પ્રભાવ ઓછો થશે | shani dev stuti gujarati lyrics | Okhaharan  

shani-dev-stuti-gujarati-lyrics
shani-dev-stuti-gujarati-lyrics

 

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું શનિવારી અમાસ  શ્રી શનિદેવ સ્તુતિ ગુજરાતી લખાણ સાથે જો નાની શનિ પનોતી હોોયતો શનિવારે પાઠ કરો અને સાડાસાતી હોય તો નિત્ય એકવાર પાઠ કરવાથી શનિદેવનો ક્રુર પ્રભાવ ઓછો થાય છે.

about-shanidev-panoti-in-gujarati

શનિદેવ સ્તુતિ
જય જય જય શ્રી શનિદેવ ભક્તન હિતકારી
સૂર્યપુત્ર પ્રભુ છાયા મહતારી જય..
જય જય જય શ્રી શનિદેવ ભક્તન હિતકારી
 શ્યામ અંગ વક્ર દૃષ્ટિ ચતુર્ભુજા ધારી
નીલામ્બર ધાર નાથ ગજકી અસવારી જય..
જય જય જય શ્રી શનિદેવ ભક્તન હિતકારી


 કીટ મુકુટ રાજિત દિપત હૈ નિવારી
મુક્તનકી માલા ગલે શોભીત બલિહારી જય..
જય જય જય શ્રી શનિદેવ ભક્તન હિતકારી
 મોદક મિષ્ઠાન પાન ચઢત હૈ સુપારી
લોહા તિલ તેલ ઉડદ મહિષી અતી પ્યારી જય..
જય જય જય શ્રી શનિદેવ ભક્તન હિતકારી


108-names-of-shani-deva-ashtottara-shatanamavali-lyrics-in-gujarati

  દેવ દનુજ ઋષિ-મુનિ સુમિરત નર નારી
વિશ્વનાથ ધરત ધ્યાન શરણ હૈ તુમ્હારી
જય..જય જય જય શ્રી શનિદેવ ભક્તન હિતકારી
બોલીયે શ્રી શનિદેવની જય


 

 શનિ જંયતિ 12 રાશિ મુજબ મંત્રો ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.

 

શનિ જંયતિ 12 રાશિ મુજબ ઉપાય ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.  

 

 "" શ્રી શનિદેવ ચાલીસા "  ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.  

 

 "" શ્રી શનિદેવ 108 નામવલી"  ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.   

શનિ પનોતી | પનોતી થી બચવા શું દાન કરવું? સંપૂર્ણ માહિતી ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.  

 "" શ્રી શનિદેવ સ્તુતિ "" ક્રુર પ્રભાવ ઓછો થાય ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

 શ્રી ગણપતિના ""સિદ્રિદાયક મંત્રો"" એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો અહી ક્લિક કરો. 

 

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ અહી ક્લિક કરો.  

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

 

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

 

Disclaimer: અહી ઉપરોક્ત કોઈપણ માહિતી અથવા આ કાયૅ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં Okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી.

શુક્રવાર, 3 ડિસેમ્બર, 2021

શ્રી રામચરિતમાનસ સુંદરકાંડ દોહા 2 ગુજરાતી લખાણ સાથે અથૅ સહિત | Sunderkand With Gujarati Meaning Doha-2 | Okhaharan

 શ્રી રામચરિતમાનસ સુંદરકાંડ દોહા 2 ગુજરાતી  લખાણ સાથે અથૅ સહિત  | Sunderkand With Gujarati Meaning Doha-2 | Okhaharan

Sunderkand-With-Gujarati-Meaning-doha-2
Sunderkand-With-Gujarati-Meaning-doha-2

 

 
Sunderkand-With-Gujarati-Meaning-doha-2
Sunderkand-With-Gujarati-Meaning-doha-1


શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું રામચરિતમાનસ સુંદરકાંડ ગુજરાતીમાં અને તેના અથૅ સહીત હું આશા રાખું તમને પંસદ આવશે.

hanuman mantra gujarati

દોહા-2

રામ કાજુ સબુ કરિહહું તુમ્હ બલ બુદ્ધિ નિધાન |

 આસિષ દેઇ ગઈ સો હરષિ ચલેઉ હનુમાન 

 

તમે શ્રીરામચન્દ્રજીનાં સર્વે કાર્ય કરશો, કેમકે તમે બળ-બુદ્ધિના ભંડાર છો. આ આશીર્વાદ આપીને તે ચાલી ગઈ; પછી હનુમાનજી હર્ષિત થઈને ચાલ્યા. ।। ૨।। 

 

નિસિચરિ એક સિંધુ મહું રહઈ।

કરિ માયા નભુ કે ખગ ગહઈ ॥

જીવ જંતુ જે ગગન ઉડાહીં।

જલ બિલોકિ તિન્હ કૈ પરિછાહીં ॥૧॥ 


સમુદ્રમાં એક રાક્ષસી રહેતી હતી. તે માયા કરીને આકાશમાંથી ઊડતાં પખીઓને પકડી લેતી હતી. આકાશમાં જે જીવ-જંતુ ઊડ્યા ર હતાં, તેમનો પડછાયો જોઈને તે, ॥૧॥

 

ગહઇ છાર્હૅ સક સો ન ઉડાઈ |

એહિ બિધિ સદા ગગનચર ખાઈ ॥।

સોઈ છલ હનૂમાન કુહઁ કીન્હા ।

તાસુ કપટુ કપિ તુરતહિં ચીન્હા ।। ૨।। 



એ પડછાયાને પકડી લેતી હતી, તેથી તે ઊડી શકતાં ન્‌ હતાં [અને જળમાં પડી જતાં હતા]. આ પમાણે તે કાયમ આકાશમાં ઊડનારા જીવોને ખાધે રાખતી હતી. તેણીએ એજ છળ હનુમાનજી સાથે પણકર્યું, હનુમાનજીએ તરત જ તેનું કપટ ઓળખી લીધું. ।। ૨ ।


 તાહિ મારિ મારુત સુત બીરા।

 બારિધિ પાર ગયઉ મતિધીરા ॥

તહોં જાઇ દેખી બન સોભા

ગુંજત ચંચરીક મધુ લોભા ।1૩॥


Hanumanji Stuti Gujarati

પવનપુત્ર ધીરબુદ્ધિ વીર હનુમાનજી તેને મારીને સમુદ્રની પાર ગયા. ત્યાં જઈને તેમણે વનની શોભા જોઈ. મધુ(પુષ્પરસ)ના લોભે ભમરા ગુંજન કરી રહ્યા હતા. ।૩]


નાના તરુ ફલ ફૂલ સુહાએ।

 ખગ મૃગ બંદ દેખિ મન ભાએ |

 સૈલ બિસાલ દેખિ એક આગેં |

તા પર ધાઇ ચઢેઉ ભય ત્યાગેં।૪॥


અનેક પ્રકારનાં વૃક્ષ ફળ-ફૂલથી શોભિત છે. પક્ષી અને પશુઓના સમૃહને જોઈને તો તેઓ મનમાં ઘણા જ પ્રસન્ન થયા. સામે એક વિશાળ પર્વતને જોઈને હનુમાનજી ભય ત્યાગીને તેના પર દોડીને જઈ ચઢ્યા. ।॥૪॥


ઉમા ન કછુ કપિ કૈ અધિકાઈ।

પ્રભુ પ્રતાપ જો કાલહિ ખાઈ ।॥

 ગિરિ પર ચઢિ લંકા તેહિ દેખી |

 કહિ ન જાઈ અતિ દુર્ગ બિસેષી ।૫।॥।


[શિવજી કહે છે -] હે ઉમા! આમાં વાનર હનુમાનની કંઈ મોટાઈ નથી. આ તો પ્રભુનો પ્રતાપ છે, જે કાળને પણ ખાઈ જાય છે. પર્વત પર ચઢીને તેમણે લંકા જોઈ. ઘણો જ મોટો કિલ્લો છે, કંઈ કહી નથી શકાતો, ॥૫।।

 

અતિ ઉતંગ જલનિધિ ચહું પાસા

કનક કોટ કર પરમ પ્રકાસા 


તે અત્યંત ઊંચો છે, તેની ચારેય કોર સમુદ્ર છે. સોનાના કોટ(વંડા)નો પરમ પ્રકાશ થઈ રહ્યો છે. ।। ૬।।


[છંદ ૧|


કંનક કોટ બિચિત્ર મનિ કૃત સુંદરાયતના ઘના |

 ચઉહટ્ટ હટ્ટ સુબટ્ટ બીથી ચારુ પુર બહું બિધિ બના ॥

 ગજ બાજિ ખચ્ચર નિકર પદચર રથ બરૂથન્હિ કો ગનૈ ।

 બહુરૂપ નિસિચર જૂથ અતિબલ સેન બરનત નહિં બને ॥૧॥


Hanuman-Janjira-Chalisa-Gujarati-Lyrics

 વિચિત્ર મણિઓથી જડેલો સોનાનો કોટ છે, તેની અંદર ઘણાં જ સુંદર-સુંદર ઘર છે. ચાર રસ્તાઓ, બજાર, સુંદર માર્ગો અને શેરીઓ છે; સુંદર નગર અનેક પ્રકારે શણગારેલું છે. હાથી, ઘોડા, ખચ્ચરોના સમૂહ તથા પગપાળા (પાયદળ) અને રથોના સમૂહોને કોણ ગણી શકે છે! અનેક પ્રકારનાં રક્ષસોનાં દળો છે, તેમની અત્યંત બળશાળી સેના વર્ણવી જ શકાતી નથી. ॥ ૧।।


[છંદ ર]


બન બાગ ઉપબન બાટિકા સર કૂપ બાપીં સોહહી |

 નર નાગ સુર ગંધર્બ કન્યા રૂપ મુનિ મન મોહહીં ॥

કર્હું માલ દેહ બિસાલ સૈલ સમાન અતિબલ ગર્જહી ।

 નાના અખારેન્હ ભિરહિં બહુબિધિ એક એકન્ડ તર્જહી ॥ ૨॥


વન, બાગ, ઉપવન, ફૂલવાડી, તળાવ, કૂવા અને વાવડીઓ સુશોભિત છે. મનુષ્ય, નાગ, દેવો અને ગંધર્વોની કન્યાઓ પોતાના સૌન્દર્યથી મુનિઓનાંય મનોને મોહી લે છે. ક્યાંક પર્વત સમાન વિશાળ શરીરવાળા ઘણા જ બળવાન મલ્લ (પહેલવાન) ગરજી શ્હ્યા છે, તેઓ અનેક અખાડાઓમાં અનેક પ્રકારે ભીડાય છે અને બેકબીજાને લલકારે છે. ॥ ૨॥


[છંદ ૩]

કરિજતન ભટ કોટિન્હ બિકટ તન નગર ચર્હુદિસિ રચ્છહીં ।

કહું મહિષ માનુષ ધેનુ ખર અજ ખલ નિસાચર ભચ્છહીં ॥

એહિ લાગિ તુલસીદાસ ઇન્હ કી કથા કછુ એક હૈ કહી |

રઘુબીર સર તીરથ સરીરન્હિ ત્યાગિ ગતિ પૈહહિં સહી ॥। ૩॥


ભયંકર શરીરવાળા કરોડો યોદ્ધા યત્ન કરીને (ઘણી ચોકસાઈથી)નગરની ચારેય દિશાઓમાં (સર્વે બાજુથી) રખેવાળી કરે છે. ક્યાંક દુષ્ટ રાક્ષસ ભેંસો, મનુષ્યો, ગાયો, ગધેડાં અને બકરાઓને ખાઈ રહ્યા છે. તુલસીદાસે આની કથા એટલા માટે કંઈક ટૂંકમાં જ કહી છે કે તે (રાક્ષસો) ચોક્કસ શ્રીરામચન્દ્રજીના બાણરૂપી તીર્થમાં શરીરોને ત્યાગીને પરમગતિને પામશે. ।॥૩॥ 


 

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને  

 દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 


ram raksha stotra gujarati

 


ગુરુવાર, 2 ડિસેમ્બર, 2021

વદ ચૌદશ સવારે આ બહુચર માંની સ્તુતિ કરી લેજો કોઈ વાળ પણ વાંકો નહીં કરે | Bahuchar Mani Stuti Lyrics Gujarati | Okhaharan

વદ ચૌદશ સવારે આ બહુચર માંની સ્તુતિ કરી લેજો કોઈ વાળ પણ વાંકો નહીં કરે | Bahuchar Mani Stuti Lyrics Gujarati | Okhaharan

karu-koti-koti-pranam-lyrics-in-gujarati
karu-koti-koti-pranam-lyrics-in-gujarati

 

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું શ્રી બહુચર માં ની સ્તુતિ જેમાં માં નો બાળ તેમની સેવા કરવાની સ્તુતિ ગાય છે.

anand-no-garbo-lyrics-gujarati

 

કરૂં કોટી કોટી પ્રણામ

કરૂં કોટી કોટી પ્રણામ માંડી તારા ચરણોમાં

મારે અડસઠ તીરથ ધામ માડી તારા ચરણોમાં

સોનલ વરણો સૂરજ ઊગ્યો ધેર પધાર્યા માત રે

bahuchar-bavni-gujarati-lyrics

પૂવૅ જન્મ માં પુણ્ય જ ફળિયા પ્રગટ્યું

પુણ્ય પ્રભાત માડી તારા ચરણોમાં ...

કરૂં કોટી કોટી પ્રણામ માંડી તારા ચરણોમાં

કુમ કુમ અક્ષત ફુલ સુગંધિત શગ મોતીનો થાળ રે. 


આજ વધાતુ માત બહુચરા થાય સફળ 

અવતાર માંડી તારા ચરણોમાં ...

કરૂં કોટી કોટી પ્રણામ માંડી તારા ચરણોમાં

અમીભરી નજરે માત નિહાળો એક જ છે મુજ આશ રે.

બાળક કર જોડીને ઊભો સેવક કર જોડીને ઊભો 

જનમ જનમનો દાસ રે. 

Bahuchar-Stuti-Gujarati-Lyrics

માડી તારા ચરણો માં રહેવું માંડી તારા ચરણોમાં ...

કરૂં કોટી કોટી પ્રણામ માંડી તારા ચરણોમાં

મારે અડસઠ તીરથ ધામ માડી તારા ચરણોમાં

બોલીયે શ્રી બહુચર માત કી જય

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો

દરરોજ આવા લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 

 

 

 


Anand No Garbo Fal Gujarati

anand no garbo meaning 61 62 63

 

બુધવાર, 1 ડિસેમ્બર, 2021

પૂજામા ચરણામૃત-પંચામૃતનુ મહત્વ શુ? લાભ શુ થાય છે ? કેમ કરીને પ્રસાદ લેવાય ? | Charanamrit Panchamrut | Okhaharan

પૂજામા ચરણામૃત-પંચામૃતનુ મહત્વ શુ?  લાભ શુ થાય છે ? કેમ કરીને પ્રસાદ લેવાય ? | Charanamrit Panchamrut | Okhaharan

Charanamrit-Panchamrut-gujarati
Charanamrit-Panchamrut-gujarati

 

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું ચરણામૃત અને પંચામૃત નો લાભ તથા મહિમા. ચરનામૃત મા તુલસી પત્રનો ઉપયોગ થાય તેને ગ્રહણ કરવાથી શુ લાભ થાઈ  છે, તથા પંચામૃત ની અંદર મા પાંચ વસ્તુ  જેમકે ઘી, દૂધ, મધ, દહીં અને મિસરી હોય છે. પંચાંમૃત થી ભગવાન ને અભિષેક પણ કરવામાં આવે છે. તથા પ્રસાદ પણ કરવામાં આવે છે. આને ગ્રહણ કરવાનો આયુર્વેદિક રીતે તથા ધાર્મિક દ્રષ્ટિ એ ઘણું મહત્વ છે તે બધુ આપણે જાણીયે.


Vishnu-Sahastra-Path-In-Gujarati-Lyrics 

આપણે પહેલાં જાણીયે પંચામૃત તથા ચરણામૃત નો મહિમા શું છે.


આપણે કોઈ પણ શુભ પંસગે અથવા પુજા મંદિરમાં અથવા ઘરમાં પૂજા કરીયે ત્યારે ચરણામૃત અથવા પંચામૃત કાતો બંને અથવા બેમાંથી એકનો ઉપયોગ તો કરીયે છે પણ શું તમે ખરેખર આનો અથૅ જાણો છો કેમ પંચામૃત તથા ચરણામૃત હોય છે. ચરણામૃત એટલે ભગવાનના ચરણોનું અમૃત અને પંચામૃત એટલે પાંચ અમૃત . જેમાં પાંચ પવિત્ર પદાર્થ બનેલો અમૃત જેની અંદર ગાય દુઘ, ગાય ધી, દહી , મધ અને સાકરનો ઉપયોગ થાય છે.


પહેલા આપણે ચરણામૃત વિશે જાણીયે.
પુરાણોમાં વિષ્ણુ પુરાણ ની અંદર ચરણામૃતને શ્રી હરિના ચરણોનું ફળ અથવા પાણી માનવામાં આવે છે તેની અંદર અમૃત સમાન બઘા ગુણો હોય છે. આને લગતો શ્ર્લોક પણ છે.  


શ્ર્લોક
અકાલમૃત્યુહરં સર્વવ્યાધિવિનાશનમ્ ।
વિષ્ણુઃ પદોદકમ્ પિત્વા પુનર્જન્મ ન વિદ્યતે.
અથૅ
જગતના પાલનહાર ભગવાન વિષ્ણુના ચરણોમાં અમૃતના રૂપમાં જળ હોય જે તમામ પ્રકારના જાણે અજાણે પાપોનો નાશ કરે છે. જે માનવી જીવનમાં ભગવાનનું ચરણામૃતનું સેવન કરે છે તેનો પુનર્જન્મ મનુષ્ય યોનિમાં થતો નથી. તે જન્મ-મરણના ચક્રમાંથી મુક્તિ મળે છે.
હવે આપણે એ જાણીયે કે ચરણામૃત કેવી રીતે બને છે?
 

ચરણામૃત બનાવવા માટે ખાસ કરીને તાંબાના વાસણનો ઉપયોગ થાય છે. તાબામાં ચરણામૃત તરીકે પાણી રાખવાનું તેની અંદર તુલસીના પાન, તલ અને અન્ય ઔષધીય પ્રદાથો ભેગા કરવામાં આવે છે. પુજન કરતા પહેલાં મંદિર કે ઘરમાં હંમેશા તાંબાના વાસણમાં તુલસી મિશ્રિત પાણી રાખો.


Ganesh-Mantra-gujarati-lyrics-ganesh-slok

ચરણામૃત પીવાના નિયમો
ચરણામૃત ગ્રહણ કયૅ પછી બધા માથા પર હાથ રાખે છે, પરંતુ શાસ્ત્રોમાં અને પુરાણો તેને નિયમોની વિરુદ્ધ માનવામાં આવે છે. આ નકારાત્મક અસર આપણા પર છોડે છે. ચરણામૃત નો પ્રસાદ હંમેશા જમણા હાથમાં લેવો. ગ્રહણ કરતા પહેલાં મનને શાંત ચિતે કરીને આદર અને ભક્તિ સાથે લેવો. 


ચરણામૃત નો પ્રસાદ લેવાથી શું ફાયદા
આયુર્વેદની રીતે જોઈએ ચરણામૃત સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે. કારણકે પહેલું તાંબાની ઘાતું અનેક રોગોનો નાશ કરવાની ક્ષમતા ઘરાવે છે. તાંબાની ઘાતું  એ પુરુષ ગુપ્ત  શક્તિ ફાયદાકારક ગણવામાં આવે છે. બીજી તુલસી હોય છે અનેક પ્રકારના રોગોને મટાડે છે અને તેનું પાણી મગજને શાંતિ અને વિચાર શક્તિ પ્રદાન કરે છે. 


હવે આપણે પંચામૃત વિશે વઘારે જાણીયે.
પંચામૃત ની સંઘિ છુટી પાડીયે એટલે પાંચ + અમૃત. પંચામૃત ની અંદર  ગાયનું દૂધ, દહીં, ઘી અને મધ , સાકર મિશ્ર કરાવામાં આવે છે. આ પંચામૃત ને ભગવાનની કે માતાજી ની મુતિ નો અભિષેક માટે વપરાય છે. પંચામૃત સ્વ-પ્રગતિ નું 5 ચિહ્ન છે.


પંચામૃતમાં રહેલા 5 તત્વોનો અર્થ જાણીયે.
ગાયનું દૂધ પંચામૃતના મિશ્રનો મોટો તથા પ્રથમ ભાગ હોય છે અને દૂઘ એ શુભતાનું પ્રતિક માનવામાં આવે છે. માટે આપણું જીવન દૂધ જેવું નિષ્કલંક હોવું જોઈએ. 


બીજો ભાગ દહીં નો હોય છે. દહીંનો ગુણ એ છે કે બીજાને પોતાના સમાન બનાવે છે. દહીં અપણૅ કરવાનો અર્થ થાય છે કે પહેલા આપણે નિષ્કલંક રહીએ અને સદગુણો ને ગ્રહણ કરીને અપનાવીએ અને બીજાને પણ આપણા જેવા સહગુણ આપીયે. દહીં એ સ્નેહનું પ્રતીક. આપણા  દરેક સાથે ઉષ્માભર્યા સંબંધો બનાવી રાખે છે. 


Shiv Mantra Gujarati

ત્રીજો ભાગ મધ હોય છે જે મધુર સાથે સાથે શક્તિશાળી પણ છે. કમજોર વ્યક્તિ જીવનમાં મઘનું ગ્રહણ કરે તો શરીર અને મનથી મજબૂત વ્યક્તિ જ સફળતા મેળવી શકે છે. 


ચોથું ઘી નો ભાગ હોય છે. ઘી જેમ બઘાની જોડે ભળી જાય તેવી રીતે તમારા મનને પણ બીજામાં રભેળવી દેછે.


પાચમો ભાગ સાકર અથવા ખાંડ છે.  ખાંડની ગુણવત્તા એ મીઠાશ છે, ખાંડ મિશ્ર કરવાનો અર્થ તમારા અને બીજાના જીવનમાં મીઠાશ ઉમેરવી. દરેક વ્યક્તિને મીઠી વાણી અને વાત કરવી ગમે છે અને તેનાથી મધુર સંબંધ થાય છે. 


પંચામૃતનો લાભ
પંચામૃતનું સેવન આવે તો શરીર મજબૂત અને રોગમુક્ત રહે છે. પંચામૃતથી સ્નાન કરવાથી શરીરનું તેજ વધે છે. પંચામૃતનો ઉપયોગ જરૂર પુરતો કરવો નહીકે અતિશય. પાંચેય પ્રકારનું મિશ્રણ કરીને તૈયાર કરેલું પંચામૃત અનેક રોગોમાં ફાયદાકારક છે અને મનને શાંતિ આપે છે.
 

નવરાત્રી એકવાર રાત્રે સૂતા પહેલાં માં અંબા ની આ સ્તુતિ કરો જગત જનની પ્રસન્ન રહેશે અહી ક્લિક કરો.  

 

નવરાત્રી એકવાર પાઠ શ્રી ભગવતી સ્રોત ગુજરાતી અથૅ સહિત અહી ક્લિક કરો.

 

વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો ના 11 થી 15 છંદ નો અથૅ ‌નો આવો થાય છે  અહી ક્લિક કરો.

 

 નવરાત્રી એકવાર સૂતા પહેલા ત્રિદેવીનો આ પાઠ જરૂર કરો અહી ક્લિક કરો.

 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

Tags

Charanamrit Mahtva,
 Panchamrit mahima labh,
 Panchamrit Snan dharmik ,
Aayurvedic mahima,
 panchamrut mahima ,
પંચામૃતના ફાયદા, 

ચારણામૃતના ફાયદા , 

ચારણામૃત અને પંચામૃત વચ્ચેનો તફાવત , 

ચારણામૃત શું છે ,

 પંચામૃત શું છે , 

ચરણામૃત અને પંચામૃત પીવાથી લાભ થાય છે,