શનિવાર, 24 જુલાઈ, 2021

શનિવારે કરો એક શ્ર્લોકી રામાયણ નો પાઠ તથા તેનો અથૅ ગુજરાતી લખાણ સાથે One Slok Ramayan in Gujarati with Lyrics

શનિવારે કરો એક શ્ર્લોકી રામાયણ  નો પાઠ તથા તેનો અથૅ ગુજરાતી લખાણ સાથે One Slok Ramayan in Gujarati with Lyrics

Ramayan-in-one-slok-with-gujarati-lyrics
Ramayan-in-one-slok-with-gujarati-lyrics

 

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારા આપણા ગુજરાતી ભક્તિ લેખમાં. આજે આપણે જાણીશું એક શ્ર્લોકી રામાયણ  નો પાઠ તથા તેનો અથૅ ગુજરાતી લખાણ સાથે.

એક શ્ર્લોકી રામાયણ

આદૌ રામ તપોવનાદિગમનં હત્વા મૃગંક્રાંચનં વૈદેહીહરણં જટાયું મરણં સુગ્રીવસંભાષણમ્ | 

બાલી નિદૅલનં સમુદ્રતરણં લંકાપુરી દાહનં પશ્વાત્ રાવણ - કુંભકર્ણહનને ચૈતદ્ધિ રામાયણમ્ ||



Sarv-Kasht-Nivaran-Hanumaji-Janjira-paath-Gujarati-Lyrics

અથૅ
પ્રથમ શ્રીરામનો જન્મ , પછી તપોવનમાં ગમન , ત્યાં સોના જેવા દેખાતા મૃગને માર્યો , સીતાજીનું હરણ થયું , જટાયુનું મરણ થયું , સુગ્રીવ સાથે વાતચીત થઈ , વાલીનો વધ થયો , સમુદ્ર તરીને લંકાનગરીને બાળી , ત્યાર પછી રાવણ અને કુંભકર્ણને માર્યા , એટલો રામાયણનો ટૂંકો સાર છે

 


Hanumanji Stuti Gujarati

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને  

 દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 


ram raksha stotra gujarati

 

Hanuman-Janjira-Chalisa-Gujarati-Lyrics 

ગુરુવાર, 22 જુલાઈ, 2021

શુક્રવારે કરો શ્રી મહાલક્ષ્મી અષ્ટક સ્તોત્ર નો પાઠ ગુજરાતી લખાણ સાથે અને તેના ફાયદા Mahalaxmi Ashtakam in Gujarati Lyrics Okhaharan

શુક્રવારે કરો શ્રી મહાલક્ષ્મી અષ્ટક સ્તોત્ર નો પાઠ ગુજરાતી લખાણ સાથે અને તેના ફાયદા Mahalaxmi Ashtakam in Gujarati Lyrics Okhaharan

mahalaxmi-ashtakam-in-gujarati-Lyrics
mahalaxmi-ashtakam-in-gujarati-Lyrics

 શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારા આપણા ગુજરાતી ભક્તિ લેખમાં. આજે આપણે જાણીશું શ્રી મહાલક્ષ્મી અષ્ટક સ્તોત્ર નો પાઠ ગુજરાતી લખાણ સાથે અને તેના ફાયદા.

 lakshmi-stuti-lyrics-gujarati

શ્રી મહાલક્ષ્મી અષ્ટક સ્તોત્ર

ઇંદ્ર ઉવાચ -

નમસ્તેઽસ્તુ મહામાયે શ્રીપીઠે સુરપૂજિતે ।

શંખચક્ર ગદાહસ્તે મહાલક્ષ્મી નમોસ્તુ તે ॥ 1 ॥

નમસ્તે ગરુડારૂઢે કોલાસુર ભયંકરિ ।

સર્વપાપહરે દેવિ મહાલક્ષ્મી નમોસ્તુ તે ॥ 2 ॥

સર્વજ્ઞે સર્વવરદે સર્વ દુષ્ટ ભયંકરિ ।


સર્વદુઃખ હરે દેવિ મહાલક્ષ્મી નમોસ્તુ તે ॥ 3 ॥

સિદ્ધિ બુદ્ધિ પ્રદે દેવિ ભુક્તિ મુક્તિ પ્રદાયિનિ ।

મંત્ર મૂર્તે સદા દેવિ મહાલક્ષ્મી નમોસ્તુ તે ॥ 4 ॥

આદ્યંત રહિતે દેવિ આદિશક્તિ મહેશ્વરિ ।

યોગ જ્ઞે યોગ સંભૂતે મહાલક્ષ્મી નમોસ્તુ તે ॥ 5 ॥


સ્થૂલ સૂક્ષ્મ મહારૌદ્રે મહાશક્તિ મહોદરે ।

મહા પાપ હરે દેવિ મહાલક્ષ્મી નમોસ્તુ તે ॥ 6 ॥

પદ્માસન સ્થિતે દેવિ પરબ્રહ્મ સ્વરૂપિણિ ।

પરમેશિ જગન્માતઃ મહાલક્ષ્મી નમોસ્તુ તે ॥ 7 ॥

શ્વેતાંબર ધરે દેવિ નાનાલંકાર ભૂષિતે ।

જગસ્થિતે જગન્માતઃ મહાલક્ષ્મી નમોસ્તુ તે ॥ 8 ॥


મહાલક્ષ્મષ્ટકં સ્તોત્રં યઃ પઠેદ્ ભક્તિમાન્ નરઃ ।

સર્વ સિદ્ધિ મવાપ્નોતિ રાજ્યં પ્રાપ્નોતિ સર્વદા ॥

ફાયદા

એકકાલે પઠેન્નિત્યં મહાપાપ વિનાશનં ।

દ્વિકાલં યઃ પઠેન્નિત્યં ધન ધાન્ય સમન્વિતઃ ॥

ત્રિકાલં યઃ પઠેન્નિત્યં મહાશત્રુ વિનાશનં ।

મહાલક્ષ્મી ર્ભવેન્-નિત્યં પ્રસન્ના વરદા શુભા ॥


ઇંત્યકૃત શ્રી મહાલક્ષ્મીષ્ટક સ્તોત્રં સંપૂર્ણમ્

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો

દરરોજ આવા લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 


Maha-Lakshmi-Upay-Gujarati

 

 

 

ચાતુર્માસમાં 12 રાશિના જાતકો કેવી રીતે પુજન કરવું અને શ્રી વિષ્ણું ભગવાન ના કયાં મંત્રો જાપ કરવા Mantra For chaturass GUjarati Okhaharan

ચાતુર્માસમાં 12 રાશિના જાતકો કેવી રીતે પુજન કરવું અને શ્રી વિષ્ણું ભગવાન ના કયાં મંત્રો જાપ કરવા Mantra For chaturass GUjarati Okhaharan

All-zodic-mantra-for-vishnu-in-chaturmass-gujarati
All-zodic-mantra-for-chaturmass-gujarati

 

 શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારા આપણા ગુજરાતી ભક્તિ લેખમાં. આજે આપણે જાણીશું ચાતુર્માસમાં 12 રાશિના જાતકો કેવી રીતે પુજન કરવું અને શ્રી વિષ્ણું ભગવાન ના કયાં મંત્રો જાપ કરવા તે બઘું જાણીશું. 

 

મેષઃ- અ,લ,ઈ , રાશિ સ્વામી મંગળ , શુભ રંગ : લાલ

આ રાશિના લોકોએ દરરોજ સવારે રતાંજલીના ચંદનનો ચાંદલો કરી ભગવાન વિષ્ણું ને લાલ રેશમી વસ્ત્રના વાઘા પહેરાવવા તથા લાલ રંગના ફળ અને લાલ રંગની મીઠાઇ પ્સાદમાં ધરવી. પુજન બાદ એક માળા || શ્રી વિષણવે નમઃ|| મંત્રની કરવી

Shree-Krishna-Sharnanmah-Mantra-Meaning-Gujarati

 વૃષભઃ- બ,વ,ઉ , રાશિ સ્વામી :- શુક્ર ,શુભ રંગ :- સફેદ

આ રાશિના લોકોએ દરરોજ સવારે ગોરો ચંદનનું તિલક કરી, ભગવાન વિષ્ણું ને સફેદ રેશમી વસ્ત્રના વાઘા પહેરાવવા તથા કેળાનો પ્રસાદ અને સફેદ મીઠાઇ ભોગ રૂપે ધરવી.  પુજન બાદ એક માળા  ||શ્રી અચ્યુતાય નમઃ|| મંત્રની કરવી


મિથુનઃ-  ક,છ,ધ રાશિ સ્વામી :- બુધ  શુભ રંગ : લીલો

આ રાશિના લોકોએ અબીલનું તિલક કરી, ભગવાનને લીલા રેશમી વસ્ત્રના વાઘા પહેરાવવા તથા લીલા ફળનો પ્રસાદ અને દૂધીનો હલવો ભોગ રૂપે ધરવી. પુજન બાદ એક માળા || શ્રી શ્રીધરાય નમઃ || મંત્રની કરવી

Rajabali-vaman-avatar-katha-vaman-dwadashi-gujarati-2021

 

કર્કઃ- ડ,હ રાશિ સ્વામી :- ચંદ્ર શુભ રંગ :- દુધીયો   

આ રાશિના લોકોએ સફેદ ચંદનનું તિલક કરી, ભગવાનને સફેદ રેશમી વસ્ત્રના વાઘા પહેરાવવા તથા કેળાનો પ્રસાદ અને સફેદ બરફી ભોગ રૂપે ધરવી. પુજન બાદ એક માળા || શ્રી યોગેશ્વરાય નમઃ || મંત્રની કરવી


સિંહઃ- મ, ટ રાશિ સ્વામી : સૂર્ય  શુભ રંગ : નારંગી  

આ રાશિના લોકોએ લાલ ચંદનનું તિલક કરી, ભગવાનને ગુલાબી રેશમી વસ્ત્રના વાઘા પહેરાવવા તથા રાસબરીનો નો પ્રસાદ અને મોતીચૂરના લાડુ ભોગ રૂપે ધરવા. પુજન બાદ એક માળા  || શ્રી નૃસિંહાય નમઃ || મંત્રની કરવી.

Shiv Mantra Gujarati

 

કન્યાઃ- પ,ઠ,ણ  રાશિ સ્વામી :- બુધ  શુભ રંગ : લીલો  

આ રાશિના લોકોએ અબીલનું તિલક કરી, ભગવાનને લીલા રેશમી વસ્ત્રના વાઘા પહેરાવવા તથા લીલા ફળનો પ્રસાદ અને દૂધીનો હલવો ભોગ રૂપે ધરવી. પુજન બાદ એક માળા  || શ્રી પદ્મનાભાય નમઃ || મંત્રની કરવી.


તુલાઃ- ર,ત રાશિ સ્વામી :- શુક્ર શુભ રંગ :- સફેદ  

આ રાશિના લોકોએ ગોરો ચંદનનું તિલક કરી, ભગવાનને સફેદ રેશમી વસ્ત્રના વાઘા પહેરાવવા તથા કોળાનો પ્રસાદ અને સફેદ મીઠાઇ ભોગ રૂપે ધરવી. પુજન બાદ એક માળા  || શ્રી વિશ્વકર્માય નમઃ || મંત્રની કરવી.

guruvar-ke-upay-gujarati

 

વૃશ્ચિકઃ- ન,ય રાશિ સ્વામી :- મંગળ  શુભ રંગ : લાલ

આ રાશિના લોકોએ રતાંજલીના ચંદનનો ચાંદલો કરી ભગવાનને લાલ રેશમી વસ્ત્રના વાઘા પહેરાવવા તથા લાલ ફળ અને લાલ મીઠાઇ ધરવી.. પુજન બાદ એક માળા  || શ્રી પુષ્કરાય નમઃ || મંત્રની કરવી.


ધનઃ- ભ, ધ, ફ, ઢ રાશિ સ્વામી :- ગુરુ  શુભ રંગ :- પીળો  

આ રાશિના લોકોએ કેસરયુક્ત ચંદનનો ચાંદલો કરી ભગવાનને પીળા રેશમી વસ્ત્રના વાઘા પહેરાવવા તથા પીળા ફળ અને મોહનથાળ મીઠાઇ ધરવી. પુજન બાદ એક માળા   || શ્રી મધુસુદનાય નમઃ || મંત્રની કરવી.

Krishna-chalisa-gujarati

મકરઃ-  ખ,જ રાશિ સ્વામી :- શનિ શુભ રંગ :- કાળો  

આ રાશિના લોકોએ ભષ્મ નું તિલક કરી ભગવાનને નીલા રેશમી વસ્ત્રના વાઘા પહેરાવવા તથા જાંબુ ફળ પ્રસાદ રૂપે અને કાલાજામ મીઠાઇ ભોગ સ્વરૂપે ધરવી. પુજન બાદ એક માળા   || શ્રી પુષ્કરાક્ષાય નમઃ || મંત્રની કરવી.


કુંભઃ- ગ,શ રાશિ સ્વામી :- શનિ  શુભ રંગ :- કાળો

આ રાશિના લોકોએ ભષ્મ નું તિલક કરી ભગવાનને નીલા રેશમી વસ્ત્રના વાઘા પહેરાવવા તથા જાંબુ ફળ પ્રસાદ રૂપે અને કેસર કાજુકતરી મીઠાઇ ભોગ સ્વરૂપે ધરવી. પુજન બાદ એક માળા  || શ્રી શ્રીકરાય નમઃ || મંત્રની કરવી.

ganesh 12 name gujarati

 

મીનઃ- દ, ચ,ઝ, થ  રાશિ સ્વામી :- ગુરુ શુભ રંગ :- પીળો

આ રાશિના લોકોએ કેસરયુક્ત ચંદનનો ચાંદલો કરી ભગવાનને પીળા રેશમી વસ્ત્રના વાઘા પહેરાવવા તથા પીળા ફળ અને મોહનથાળ મીઠાઇ ધરવી.. પુજન બાદ એક માળા   || શ્રી લોકાધ્યક્ષાય નમઃ || મંત્રની કરવી.


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 


 

 દરરોજ સવારે કરો શિવજીના આ 5 મંત્ર  શિવજી ની કૃપા હંમેશ માટે રેહશે 

 

 
 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

બુધવાર, 21 જુલાઈ, 2021

ગૌરી વ્રત પુજન આરતી ગુજરાતી લખાણ સાથે | Gauri Vrat Aarti in Gujarati lyrics | Okhaharan

ગૌરી વ્રત પુજન આરતી ગુજરાતી લખાણ સાથે | Gauri Vrat Aarti in Gujarati lyrics Okhaharan

Gauri-vrat-aarti-in-Gujarati-Lyrics
Gauri-vrat-aarti-in-Gujarati-Lyrics

 

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારા આપણા ગુજરાતી ભક્તિ લેખમાં. આજે આપણે જાણીશું ગૌરી વ્રત ની આરતી.

ગૌરી વ્રત ના ગીતો ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

શ્રી ગણેશાય નમઃ
ઉતારો આરતી રે ગોરમાં ધરે આવ્યાં
શંકર સહિત માંડી ગોરમાં ધરે આવ્યાં
હરખને હુલામણે ગોરમાં ધરે આવ્યાં
ઝીણા ઝીણા ચોખલીયે ને મોતીડે રે વધાવ્યાં રે.
ઉતારો આરતી ગોરમાં ધરે આવ્યાં
કંકુ ને ગુલાલે ગોરમાં ધરે આવ્યાં
ઉતારો આરતી ગોરમાં ધરે આવ્યાં



રુમઝુમ કરતા રુમઝુમ કરતા ગોરમાં ધરે આવ્યાં
ઉતારો આરતી ગોરમાં ધરે આવ્યાં
ઝીણા ઝીણા ચોખલીયે ને મોતીડે રે વધાવ્યાં રે
ઉતારો આરતી ગોરમાં ધરે આવ્યાં
કંકુ ને કેસરીયે ગોરમાં ધરે આવ્યાં
ઉતારો આરતી ગોરમાં ધરે આવ્યાં


અષાઢ સુદ 13 થી શરૂ થતા જયા પાર્વતી વ્રત માહિતી અને કથા ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  


ઝાઝમને ઝામકારે માંડી ગોરમાં ધરે આવ્યાં
ઉતારો આરતી ગોરમાં ધરે આવ્યાં
ઝીણા ઝીણા ચોખલીયે ને મોતીડે રે વધાવ્યાં રે
ઉતારો આરતી ગોરમાં ધરે આવ્યાં
શ્રી ગોર માતા કી જય
આવાહનો ,યજન વણૅન
અગ્નિહોમ , મૉપણો તુંજ 


વિસજૅન આદિ દેવી,
મેં મોહમુગ્ઘ બનતાં અપરાઘ આવો,
કીઘો ક્ષમા સરવ એ કરજો જ દેવી 

 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ તે વાંચવા અહીં ક્લિક કરો 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

મંગળવાર, 20 જુલાઈ, 2021

અષાઢ સુદ 13 થી શરૂ થતા જયા પાર્વતી વ્રત માહિતી અને કથા ગુજરાતી લખાણ સાથે | Jaya Parvati Vrat katha in Gujarati | Okhaharan

અષાઢ સુદ 13 થી શરૂ થતા જયા પાર્વતી વ્રત માહિતી અને કથા ગુજરાતી લખાણ સાથે | Jaya Parvati Vrat katha in Gujarati Okhaharan

Jaya-Parvati-Vrat-katha-Gujarati-2021
Jaya-Parvati-Vrat-katha-Gujarati-2021

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારા આપણા ગુજરાતી ભક્તિ લેખમાં. આજે આપણે જાણીશું બહેનો માટે અતિપ્રવિત્ર વ્રત એટલે જયા પાવૅતી વ્રત કથા એની માહિતી.


ગૌરી વ્રત કુંવારી કન્યાઓ કે સ્ત્રીઓ પાંચ દિવસ સુધી મોળો ખોરાક ખાઇને ભગવાન શિવજીની આરાધના કર્યા પછી વ્રતના પાંચમાં એટલે અંતિમ દિવસે યુવતિઓ રાત્રીનું જાગરણ કરે છે અને વહેલી સવાર સુધી જાગરણ કરીને સવારે ગોરમાં ને વારાવીને બ્રાહ્મણ કે સાધુના ઘરે ભોજનની વસ્‍તુ સાથેનું ‘સીધુ'' આપીને વ્રત પૂર્ણ કરે છે.

Shiv Mantra Gujarati

 તેવી જ રીતે જયા પાર્વતી વ્રત પણ સદ્ગુણી તથા સંસ્કારી પતિ મેળવવા કુંવારી યુવતીઓ કરે છે. પોતાના નું પતિનું આરોગ્ય તથા બાળકોની વૃદ્ધિ માટે સ્ત્રીઓ આ વ્રત કરે છે આ વ્રત કરનાર શંકર પાર્વતીની કૃપાથી અપાર સુખ મળવે છે. આ વ્રત અષાઢ સુદ 13 થી અષાઢ વદ 2 સુધી એટલે કે પાંચ દિવસનું હોય છે. જયા પાવૅતી વ્રત સળંગ ૨૦ વર્ષ કરવાનું હોય છે. એમાં પણ પ્રથમ પાંચ વર્ષ તે જુવાર એકલા ખાઈને, બીજાં પાંચ વર્ષ એકલા જવ ખાઈને, ત્રીજાં પાંચ વર્ષ એકલા ચોખા ખાઈને તથા છેલ્લા પાંચ વર્ષ એકલા મગ ખાઈને કરવાનું હોય છે. તેવો આપણા હિન્દું શાસ્ત્રો માં જણાવેલ છે.


નાનપણથી જ સંસ્કારનું ચિંતન થાય તે માટે વિવિધ વ્રત કરવામાં આવે છે. વ્રતના માધ્યમથી બાલિકાઓ, સ્ત્રીઓમાં સંસ્કાર આવે છે. ઉત્સવો જીવનમાં પ્રસન્નતા તથા આનંદ વ્યાપે છે.જયા પાર્વતીનું સૌ પ્રથમ વ્રત માતા પાર્વતીએ શિવજીને પતિ તરીકે પ્રાપ્ત કરવા કર્યું હતું. માતા પાર્વતીએ જે જે વ્રત માતા પાવૅતી કર્યાં તે તે વ્રત દરેક સ્ત્રીઓ તથા દરેક કન્યાઓ કરતી હોય છે. અષાઢ સુદ એકાદશીથી અષાઢ સુદ પૂનમ સુધીનું જે વ્રત નાની બાલિકાઓ કરે છે તેને ગૌરી વ્રત કે ગોરિયો તથા મોળાક્ત વ્રત કહેવાય છે, જયારે સૌભાગ્યવતી સ્ત્રીઓ તથા મોટી ઉંમરની સ્ત્રીઓ દ્વારા કરાતા આ વ્રતને જયા પાર્વતી વ્રત કહે છે.

  

 

આ વ્રત કરવાથી પતિનો કદાપિ વિયોગ થતો નથી. બાળકોની સુખાકારી વધેતથા અખંડ સુખ આપનારૂ છે.આ વ્રત જે કુંવારી છોકરી કરે છે તેને નીતિવાન તથા ઉત્તમ સંસ્કારી છોકરો પતિ તરીકે મળે છે. આ વ્રત અષાઢ સુદ તેરશથી અષાઢ સુદ બીજ પાંચ દિવસનું હોય છે. સૌભાગ્યવતી બહેનો તેરશને દિવસે વહેલાં ઊઠી, નાહી-ધોઈ શિલાલયમાં જઈ શિવ પાર્વતીની પૂજા કરે છે. આ પાંચ દિવસ બહેનોએ મીઠા વગરનું તથા ગળપણ વગરનું ભોજન લેવાનું હોય છે.સાથે સૂકો મેવો કે દૂધ તથા ફળફળાદિ લઈ શકાય છે. શાસ્ત્રાજ્ઞા મુજબ આ વ્રત ૨૦ વર્ષ કરવાનું હોય છે. વ્રત કરનારે વ્રત પૂરું થયા બાદ બ્રાહ્મણ દંપતીને જમાડવું. શકય હોય તો તે દંપતીને વસ્ત્ર તથા દક્ષિણા આપવા. સાથે સાથે સૌભાગ્યની અંખિડતતા માટે કંકુ, કાજળ પણ દાનમાં આપવા. 

 

જે ઘરમાં બાલિકાઓ તથા સ્ત્રીઓ આ વ્રત કરે છે તે ઘર આનદ તથા ઉલ્લાસથી ભરાઈ જાય છે. આ વ્રતના છેલ્લાં દિવસે બહેનો જાગરણ કરે છે.


જયા પાર્વતી વ્રત કથા

એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતો હતો. બંને સત્વાદી અને નીતીવાળા હતાં. તેના ઘરમાં કોઈ પણ પ્રકારની ખોટ ન હતી પરંતુ તેમને ત્યાં સંતાન ન હોવાથી તેઓ ખૂબ જ દુઃખી રહ્યા કરતા હતા. એક દિવસ નારદજી તેમને ત્યાં આવ્યા. તેમને નારદજીની સેવા કરી અને પોતાની સમસ્યાનું સમાધાન પૂછ્યું. ત્યારે નારદજીએ કહ્યું કે, તમારા નગરની બહાર જે વન છે તેના દક્ષિણ ભાગમાં બીલી વૃક્ષની નીચે ભગવાન શંકર માતા પાર્વતીની સાથે લિંગરૂપમાં વિરાજિત છે. તેમની પૂજા કરવાથી તમારી મનોકામના ચોક્કસપણે પૂરી થશે.

 

Budha-turns-in all-zodic-give-good-in gujarati

ત્યારે બ્રાહ્મણ દંપતીએ તે શિવલિંગને શોધીને સંપૂર્ણ વિધિ પૂર્વક પૂજા કરી. આ પ્રકારે પૂજા કરવાનો ક્રમ ચાલતો રહ્યો અને પાંચ વર્ષ વીતી ગયા. એક દિવસ તે બ્રાહ્મણ પૂજા કરવા માટે ફૂલ તોડી રહ્યો હતો ત્યારે તેને સાંપને ડંસી લીધો અને તે જંગલમાં પડી ગયો. બ્રાહ્મણ ઘણીવાર સુધી પાછો ન ફર્યો એટલે તેની પત્ની તેને શોધવા નિકળી. પતિને બેહોશ સ્થિતિમાં જોઈ તે ખૂબ જ વિલાપ કરવા લાગી અને પાર્વતીનું સ્મરણ કર્યું.


બ્રાહ્મણીની કરુણ અવાજ સાંભળી વનદેવતા અને પાર્વતી ચાલ્યા આવ્યા અને બ્રાહ્મણના મુખમાં અમૃત નાખ્યું, જેનાથી બ્રાહ્મણ બેઠો થયો. ત્યારે બ્રાહ્મણ દંપતીએ માતા પાર્વતીની પૂજા કરી. માતા પાર્વતીએ તેમને વરદાન માગવા કહ્યું. ત્યારે બંનેએ સંતાન પ્રાપ્તિ માટે માંગણી કરી. ત્યારે માતા પાર્વતીએ તેમને જયા પાર્વતી વ્રત કરવા માટે કહ્યું. બ્રાહ્મણ દંપતીએ વિધિ પૂર્વક આ વ્રત કર્યું અને તેના ફળ સ્વરૂપ તેમને ત્યાં પુત્ર રત્નનો જન્મ થયો.

હે જયા-પાવૅતી તમે જેવા બ્રાહ્મણ અને બ્રાહ્મણી ફળ્યાં એવા તમારૂ વ્રત કરનાર, કથા કરનાર, કથા સાભનાર સવૅ ને ફળજો.


 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 


એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ તે વાંચવા અહીં ક્લિક કરો 


વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇