સોમવાર, 23 સપ્ટેમ્બર, 2024

શિવજી નું સરસ મજાનું ભજન અમી ભરેલી નજરો રાખો | Ami Bhareli Najro Rako Kailash Na shivji | Shivji Bhajan | Okhaharan

શિવજી નું સરસ મજાનું ભજન અમી ભરેલી નજરો રાખો | Ami Bhareli Najro Rako Kailash Na shivji | Shivji Bhajan | Okhaharan


ami-bhareli-najro-rako-kailash-na-shivji
ami-bhareli-najro-rako-kailash-na-shivji

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું શિવજી નું સરસ મજાનું ભજન અમી ભરેલી નજરો રાખો


અમી ભરેલી નજરો
અમી ભરેલી નજરો રાખો, કૈલાસના ઓ વાસી રે 
દર્શન આપો દુખડા કાપો રામેશ્વરના દાદા રે 
અમી ભરેલી નજરો રાખો, ત્રંબકનાથ દાદા રે
 ચરણકમળમાં શીશ નમાવું, વંદન કરું શ્રી સોમનાથ દાદા રે 
દયા કરીને ભક્તિ દેજો ઉજ્જૈનના ઓ વાસી રે 
અમી ભરેલી નજરો રાખો, ઓ કૈલાસના વાસી રે


 હું દુખિયારો તારે દ્વારે, આવી ઊભો શ્રી વિશ્વનાથ દાદા રે 
આશીષ દેજો ઉરમાં લેજો, ઓમકારેશ્વર દાદા રે 
અમી ભરેલી નજરો રાખો ધુષ્ણેશ્વરના વાસી રે 
તારે ભરોસે જીવન નૈયા હાંકી રહ્યો શ્રી વૈજનાથ દાદા રે
 બની સુકાની પાર ઉતારો પશુપતિનાથ દાદા રે 
અમી ભરેલી નજરો રાખો કેદારેશ્વર દાદા રે
 ભક્તો તમારા કરે વિનંતી સાંભળજો ઓ ભીમનાથ દાદા રે
ઉર આંગણીયે વાસ તમારો મલ્લીકાર્જુન દાદા રે


અમી ભરેલી નજરો રાખો નારેશ્વરના દાદા રે
અમી ભરેલી નજરો રાખો ક્લાસના ઓ વાસી રે. 





બિલ્વપત્ર ની ઉત્પત્તિ કેવી રીતે થઈ? બિલ્વ વૃક્ષ કેટલા દેવતા નો વાસ છે?  બિલ્વપત્ર શિવજી ને અપણૅ કરવાનો મંત્ર કયો? સંપૂર્ણ માહિતી ગુજરાતી લખાણ સાથે  


શ્રી ગણેશ આ કવચ નો પાઠ કરવાથી આસુરી તત્વો થી રક્ષા કરનારું નું છે 

 

ૐ મહાકાલેશ્વર જયોર્તિલિંગ ની ઉત્પત્તિ કથા અને માહિતી ગુજરાતીમાં 


શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે 

 

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે 

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય   

 

શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

શનિવાર, 21 સપ્ટેમ્બર, 2024

આજના શુભ દિવસે પાઠ કરો સંતાન પ્રદાયક ગણપતિ સ્તોત્ર | Santan Prapti Ganpati Stotram with Meaning | OKhaharan

આજના શુભ દિવસે પાઠ કરો સંતાન  પ્રદાયક ગણપતિ સ્તોત્ર | Santan Prapti Ganpati Stotram with Meaning | OKhaharan



santan-prapti-ganpati-stotram-with-meaning
santan-prapti-ganpati-stotram-with-meaning

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું સંતાન પ્રદાયક ગણપતિ સ્તોત્ર


નમોસ્તુ ગણનાથાય સિદ્ધિબુદ્ધિયુતાય ચ । 
સર્વપ્રદાય દેવાય પુત્રવૃદ્ધિપ્રદાય ચ ||૧ ।।

સિદ્ધિ-બુદ્ધિ સહિત એ ગણનાથને નમસ્કાર છે, જે પુત્રવૃદ્ધિ પ્રદાન કરનારા તથા સર્વ પ્રકારની સિદ્ધિઓ આપનાર દેવ છે.

ગુરુદરાય ગુરવે ગોપ્ત્રે ગુહ્યાસિતાય તે ।
ગોપ્યાય ગોપિતાશેષભુવનાય ચિદાત્મને || ૨ ||
 જે (લંબોદર) ભારે પેટવાળા, ગુરુ (જ્ઞાનદાતા), ગોપ્તા (રક્ષક), ગુહ્ય (ગૂઢ સ્વરૂપ) તથા બધી બાજુથી ગૌર છે, જેમનું સ્વરૂપ અને તત્ત્વ ગોપનીય છે તથા જે સમસ્ત ભુવનોના રક્ષક છે, એ ચિદાત્મા શ્રી ગણપતિને નમસ્કાર છે.

વિશ્વમૂલાય ભવ્યાય વિશ્વસૃષ્ટિકરાય તે !
નમો નમસ્તે સત્યાય સત્યપૂર્ણાય શુણ્ડિને ।।૩।।

જે વિશ્વના મૂળ કારણ, કલ્યાણ સ્વરૂપ સંસારની સૃષ્ટિ કરનારા, સત્યરૂપ, સત્યપૂર્ણ તથા સૂંઢવાળા છે, એ ગણપતિને વારંવાર નમસ્કાર છે.

એકદન્તાય શુદ્ધાય સુમુખાય નમો નમઃ ।
પ્રપન્નજનપાલાચ પ્રણતાર્તિવિનાશિને ।।૪ ।।
જેમને એક દાંત અને સુંદર મુખ છે, જે શરણાગત ભક્તજનોના રક્ષક છે અને પ્રણામ કરનારાઓની પીડાનો નાશ કરનારા છે, એ શુદ્ધ સ્વરૂપ શ્રી ગણપતિને વારંવ નમસ્કાર છે.

શરણં ભવ દેવેશ સંતતિં સુદૃઢા કુરુ ।
ભવિષ્યન્તિ ચ યે પુત્રા મત્કુલે ગણનાયક ||પ 
તે સર્વે તવ પૂજાર્થ નિરતાઃ સ્યુર્વરો મતઃ ।

હે દેવેશ્વર ! તમે મારા માટે શરણદાતા છો. મારી સંતાન પરંપરાને સુદઢ કરો. હે ગણનાયક ! મારા કુળમાં જે પુત્રો થાય, એ બધા તમારી પૂજા-સ્તુતિ માટે સદા તત્પર રહે, એવું ઈષ્ટ વરદાન મને આપો.

પુત્રપ્રદમિદં સ્તોત્રં સર્વસિદ્ધિપ્રદાયકમ્ ૬ ।।


 આ પુત્રદાયક સ્તોત્ર, સમસ્ત સિદ્ધિઓ અને સર્વ પ્રકારની રિદ્ધિ-સિદ્ધિ આપનારું છે. ...

બોલીયે શ્રી ગજાનંદ ગણપતિ દેવ કી જય 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે 




"" શ્રી ગણેશ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે

 

સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે   

 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે  

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત 

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી 

 


 

 શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે 

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે 


શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે 

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો


 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

શુક્રવાર, 20 સપ્ટેમ્બર, 2024

શ્રાદ્ધ પક્ષમાં પિતૃ ઓની આત્મા શાંતિ માટે કયાં મંત્ર જાપ કરવા જોઈએ | Pitru Mantra Jap in gujarati lyrics | Okhaharan

શ્રાદ્ધ પક્ષમાં પિતૃ ઓની આત્મા શાંતિ માટે કયાં મંત્ર જાપ કરવા જોઈએ | Pitru Mantra Jap in gujarati lyrics | Okhaharan 


pitru-mantra-jap-in-gujarati-lyrics
pitru-mantra-jap-in-gujarati-lyrics

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું શ્રાદ્ધ પક્ષમાં પિતૃ ઓની આત્મા શાંતિ માટે કયાં મંત્ર જાપ કરવા જોઈએ


પિતૃ ઓ એટલે જે આપણા પૂવૅજો હોય જે આ પૃથ્વી પર નથી પરંતુ સ્વગૅશ મા છે તેમની શાંતિ માટે આ ભાદરવા શ્રાદ્ધ પક્ષમાં પિંડદાન અને તપણૅ વિધિ કરવામાં આવે છે. અને આ પૂજન સમયે તથા ધરમાં બેસીને એમને જાપ કરવો હોય તો જે મંત્ર જાપ કરવા એ આપણે જાણીએ

ૐ પિતૃભ્યો નમઃ

ૐ કુલદેવતાયૈ નમઃ


ૐ નાગદેવતાયૈ નમઃ


ૐ પિતૃ દેવતાયૈ નમઃ

ૐ પિતૃ ગણાય વિદ્મહે જગત ધારિણી  ધીમહિ તેનો પિતો  પ્રચોદયાત્ 

ૐ દેવતાભ્ય: પિતૃભ્યશ્વ મહાયોગિભ્ય એવ ચ નમઃ સ્વાધાયૈ નિત્યમેવ નમો નમઃ


ૐ સ્વાધાયૈ નમઃ


આ મંત્ર નિત્ય એક જાપ કરવાથી પિતૃ ઓની આત્મા ને શાંતિ મળે છે. 

શ્રાદ્ધ પક્ષ જાણો પિતુ પક્ષમાં કઈ વસ્તુઓનું દાન કરવું અને તેનું મહત્વ શું છે?


શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓ આશીવાદ મેળવાં કરીલો આ 5 માંથી કોઈ પણ એક નાનકડું કામ


શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓ આશીવાદ મેળવાં કરો એક છોડ આ નાનકડો ઉપાય




શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે 

 

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે 

 


શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય   

 

શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

ગુરુવાર, 19 સપ્ટેમ્બર, 2024

પિતૃ શ્રાદ્ધ સમયે કરવાની "" પિતૃ પ્રાર્થના ગુજરાતી અથૅ સહિત "" | Pitru Prathna Gujarati Lyrics | Okhaharan

પિતૃ શ્રાદ્ધ સમયે કરવાની "" પિતૃ પ્રાર્થના ગુજરાતી અથૅ સહિત "" | Pitru Prathna Gujarati Lyrics |  Okhaharan


Pitru-Prathna-Gujarati-Lyrics



શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા લેખ માં આજે આપણે જાણીશુંપિતૃ શ્રાદ્ધ સમયે કરવાની "" પિતૃ પ્રાર્થના ગુજરાતી અથૅ સહિત ""


ૐ પિતૃ દેવાય નમઃ 

શ્રાદ્ધથી તૃપ્ત થયેલા પિતૃઓ, શ્રાદ્ધકર્તાને દીર્ઘાયુષ્ય, સંતાન, ધન, વિદ્યા, સુખ, રાજ્ય, સ્વર્ગ તથા મોક્ષ પ્રદાન કરે છે. ભાદરવા સુદ પુનમ આ વષૅ 2025 માં 7 સપ્ટેમ્બર થી 21 સપ્ટેમ્બર સુઘી રહેશે  સુધીમાં પૂરા સોળ દિવસોને શ્રાદ્ધ પક્ષ તરીકે ઉજવવામાં આવે છે


પિતૃ કૃપા મેળવવા શ્રાદ્ધમાં શ્રી સ્વધા દેવીનો આ સ્ત્રોત નો પાઠ કરો


શ્રાદ્ધ દિને પિતૃઓને કરવાની પ્રાર્થના

દાતારો નોડભિવર્ધન્તામુ વેદાઃ સંતતિરેવ ચ |

શ્રદ્ધા ચ નો માવ્યગમદ્ બહુ દેયં ચ નોઽસ્વિતિ ॥

 અન્નં ચ નો બહુ ભવેદતિથીન્ ચ લભેસિંહ | 

યાચિતરશ્ર્ચ નઃ સન્તુ માસ્મ યાચિસ્મ કંચન | 


ગુજરાતી અથૅ થાય છે

હે પિતૃદેવ ! અમારામાં દાતાઓ વધો.

હે પિતૃદેવ ! વેદાધ્યયન વૃદ્ધિ પામો.

 હે પિતૃદેવ ! સંતતિ વિસ્તાર પામો.

હે પિતૃદેવ ! અમારામાંથી શ્રદ્ધા ન જ જાઓ.

 હે પિતૃદેવ !  સુપાત્રને આપવા માટે અમારી પાસે ધન ધાન્ય-અન્ન અખૂટ રહો.



હે પિતૃદેવ ! અમને અતિથિઓ મળો.

 હે પિતૃદેવ ! અમને યાચનારાઓ પ્રાપ્ત થતા રહો, પરંતુ અમે કોઈને ય ન જ યાચીએ ! તેવી અમારા પર કૃપા વરસાવો.


શ્રાદ્ધ પક્ષ જાણો પિતુ પક્ષમાં કઈ વસ્તુઓનું દાન કરવું અને તેનું મહત્વ શું છે?


શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓ આશીવાદ મેળવાં કરીલો આ 5 માંથી કોઈ પણ એક નાનકડું કામ


શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓ આશીવાદ મેળવાં કરો એક છોડ આ નાનકડો ઉપાય




શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે 

 

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે 

 


શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય   

 

શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

બુધવાર, 18 સપ્ટેમ્બર, 2024

પિતૃશ્રાદ્ધ કરવા ના વ્રત વિઘિ નિયમો | પૂર્વજોને પાણી કોણ અર્પણ કરી શકે છે? | શ્રાદ્ધ પિતૃપક્ષ દરમિયાન શું ના કરવું | Shradh Paksha 2025 Su na Karvu? | Okhaharan

પિતૃશ્રાદ્ધ કરવા ના વ્રત વિઘિ નિયમો | પૂર્વજોને પાણી કોણ અર્પણ કરી શકે છે? | શ્રાદ્ધ પિતૃપક્ષ દરમિયાન શું ના કરવું | Shradh Paksha 2025 Su na Karvu? | Okhaharan

shradh-paksha-2025-su-na-karvu
shradh-paksha-2025-su-na-karvu



શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું પિતૃશ્રાદ્ધ કરવા ના વ્રત વિઘિ નિયમો ખાસ શું ઘ્યાન રાખવું ? , ઘરે રહીને પિતૃપક્ષ દરમિયાન પિતૃઓનું પુજન કેવી રીતે કરવું? ,પૂર્વજોને પાણી કોણ અર્પણ કરી શકે છે? શ્રાદ્ધ પિતૃપક્ષ દરમિયાન રાખવાની સાવચેતી.


પિતૃશ્રાદ્ધ કરવા ના વ્રત વિઘિ નિયમો ખાસ શું ઘ્યાન રાખવું ? 

ભાદરવા વદ ફક્ષમાં આવતા પિતૃપક્ષના 15 દિવસોનું હિન્દુ ધર્મમાં ખૂબ જ વિશેષ મહત્વ છે. પિતૃ એટલે જે પોતાના પરિવાર જનો જે ગુજરી ગયા હોય એને પૂર્વજો કહે અને તેમને પિતૃ કહેવામાં આવે છે છે જ્યારે કોઈ પણ વ્યક્તિ મૃત્યુ પછી પુનર્જન્મ પામતો નથી, ત્યારે તે બીજી યોનીમાં જન્મ લે છે. ત્યારબાદ, પરિવારના સભ્યો પૂર્વજોના આશીર્વાદ મેળવવા પિતૃ પક્ષમાં પૂર્વજો પૂજા કરે છે.  આ પિતૃપક્ષ દરમિયાન પૂર્વજો પૃથ્વી પર આવે છે અને પોતાના પરિવાર ના સભ્યો ને આશીર્વાદ આપીને તેમની સમસ્યાઓનું સમાધાન કરે છે. 
ભાદરવા ના 15 દિવસો પિતૃ પક્ષ દરમિયાન, આપણે આપણા પૂર્વજોને યાદ કરીએ છીએ અને સ્મરણ કરીને દાન ધર્મનું પાલન કરીએ છીએ. એવું માનવામાં આવે છે કે  જો પૂર્વજો આપણી પર ગુસ્સે થઈ જાય તો ઘરની તથા જીવનની પ્રગતિમાં અવરોધો આવે છે. તે માટે શ્રાદ્ધની વિધિ આ પંદર દિવસના ખાસ સમયગાળામાં કરવામાં આવે છે અને તે આ વષૅ 2025 માં 7 સપ્ટેમ્બર થી  21 સપ્ટેમ્બર સુઘી રહેશે. શ્રાદ્ધ પક્ષને પિતૃપક્ષ તથા મહાલય તરીકે પણ ઓળખવામાં આવે છે. 

ઘરે રહીને પિતૃપક્ષ દરમિયાન પિતૃઓનું પુજન કેવી રીતે કરવું? 

શ્રાદ્ધ તિથિ ના દિવસે એક લોટમાં પાણી ભરીને બપોરે દક્ષિણ દિશા તરફ મુખ રાખીને પાણીની અંદર કાળા તલને પાણીમાં ભેળવીને કુશ (એક વનસ્પતિ) હાથમાં રાખવામાં આવે છે.અને પિતૃઓને યાદ કરીને જળ અપણૅ કરવું આ પૂર્વજના તિથિના દિવસે અન્ન અને વસ્ત્રોનું દાન અને આ દિવસે ગરીબ વ્યક્તિને ભોજન પણ કરાવવાથી પિતૃઓનું પુજન થયું માનવામાં આવે છે. આ પછી પિતૃપક્ષનું કાર્ય સમાપ્ત થાય છે



પૂર્વજોને પાણી કોણ અર્પણ કરી શકે છે? 

ઘરના સભ્ય અથવા તેની ગેરહાજરીમાં પરિવારનો કોઈપણ પુરુષ સદસ્ય તર્પણ કરી શકે છે. એમાં પૌત્રને પણ તર્પણ અને શ્રાદ્ધ કરવાનો અધિકાર છે. તેમજ હાલમાં મહિલાઓ તર્પણ અને શ્રાદ્ધ પણ કરી શકે છે. પરંતું કેટલાક નિયમો નું ઘ્યાન રાખવું અને પૂર્વજોની પુજન સાવચેતી થી કરવું.  

શ્રાદ્ધ પિતૃપક્ષ દરમિયાન રાખવાની સાવચેતીઃ 
1. આ સમયગાળા દરમિયાન બંને વેળામાં સ્નાન કરીને પૂર્વજોનો મંત્ર જાપ કરવો જોઈએ 
2. બપોરની વેળામાં પિતૃઓને તર્પણ અર્પણ કરવું અને આ વેળામાં તર્પણનું પણ વિશેષ મહત્વ છે. 
3. તર્પણમાં કુશ અને કાળા તલનું વિશેષ મહત્વ છે. કુશ અને કાળા તલ વડે તર્પણ કરવાથી પિતૃ તૃપ્ત થાય છે. 
4. જે કોઈ પિતૃ પક્ષનું પુજન અનુષ્ઠાન પાલન કરે છે તેણે આ સમયગાળા દરમિયાન સાત્વિક આહારનું સેવન કરવું જોઈએ. માંસાહાર ના લેવો જોઈએ.


5. પિતૃઓને હળવી સુગંધવાળા સફેદ ફૂલ અર્પણ કરી શકાય છે.
6. આ સિવાય દક્ષિણ દિશામાં મુખ રાખીને પિતૃઓને તર્પણ અને પિંડ દાન અર્પણ કરો. 
7. પિતૃ પક્ષ દરમિયાન દરરોજ ગીતાના અઘ્યાય પઠન કે શ્રવણ કરવું.
8. પિતૃ પક્ષ દરમિયાન પિતૃ ના કાયૅ કોઈની પાસે થી ઉછીના કે લોન લઈને અથવા કોઈના દબાણમાં આવીને શ્રાદ્ધ ન કરવું જોઈએ.

શ્રાદ્ધ પક્ષ જાણો પિતુ પક્ષમાં કઈ વસ્તુઓનું દાન કરવું અને તેનું મહત્વ શું છે?


શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓ આશીવાદ મેળવાં કરીલો આ 5 માંથી કોઈ પણ એક નાનકડું કામ


શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓ આશીવાદ મેળવાં કરો એક છોડ આ નાનકડો ઉપાય




શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે 

 

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે 

 


શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય   

 

શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇