ગુરુવાર, 2 ડિસેમ્બર, 2021

વદ ચૌદશ સવારે આ બહુચર માંની સ્તુતિ કરી લેજો કોઈ વાળ પણ વાંકો નહીં કરે | Bahuchar Mani Stuti Lyrics Gujarati | Okhaharan

વદ ચૌદશ સવારે આ બહુચર માંની સ્તુતિ કરી લેજો કોઈ વાળ પણ વાંકો નહીં કરે | Bahuchar Mani Stuti Lyrics Gujarati | Okhaharan

karu-koti-koti-pranam-lyrics-in-gujarati
karu-koti-koti-pranam-lyrics-in-gujarati

 

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું શ્રી બહુચર માં ની સ્તુતિ જેમાં માં નો બાળ તેમની સેવા કરવાની સ્તુતિ ગાય છે.

anand-no-garbo-lyrics-gujarati

 

કરૂં કોટી કોટી પ્રણામ

કરૂં કોટી કોટી પ્રણામ માંડી તારા ચરણોમાં

મારે અડસઠ તીરથ ધામ માડી તારા ચરણોમાં

સોનલ વરણો સૂરજ ઊગ્યો ધેર પધાર્યા માત રે

bahuchar-bavni-gujarati-lyrics

પૂવૅ જન્મ માં પુણ્ય જ ફળિયા પ્રગટ્યું

પુણ્ય પ્રભાત માડી તારા ચરણોમાં ...

કરૂં કોટી કોટી પ્રણામ માંડી તારા ચરણોમાં

કુમ કુમ અક્ષત ફુલ સુગંધિત શગ મોતીનો થાળ રે. 


આજ વધાતુ માત બહુચરા થાય સફળ 

અવતાર માંડી તારા ચરણોમાં ...

કરૂં કોટી કોટી પ્રણામ માંડી તારા ચરણોમાં

અમીભરી નજરે માત નિહાળો એક જ છે મુજ આશ રે.

બાળક કર જોડીને ઊભો સેવક કર જોડીને ઊભો 

જનમ જનમનો દાસ રે. 

Bahuchar-Stuti-Gujarati-Lyrics

માડી તારા ચરણો માં રહેવું માંડી તારા ચરણોમાં ...

કરૂં કોટી કોટી પ્રણામ માંડી તારા ચરણોમાં

મારે અડસઠ તીરથ ધામ માડી તારા ચરણોમાં

બોલીયે શ્રી બહુચર માત કી જય

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો

દરરોજ આવા લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 

 

 

 


Anand No Garbo Fal Gujarati

anand no garbo meaning 61 62 63

 

બુધવાર, 1 ડિસેમ્બર, 2021

પૂજામા ચરણામૃત-પંચામૃતનુ મહત્વ શુ? લાભ શુ થાય છે ? કેમ કરીને પ્રસાદ લેવાય ? | Charanamrit Panchamrut | Okhaharan

પૂજામા ચરણામૃત-પંચામૃતનુ મહત્વ શુ?  લાભ શુ થાય છે ? કેમ કરીને પ્રસાદ લેવાય ? | Charanamrit Panchamrut | Okhaharan

Charanamrit-Panchamrut-gujarati
Charanamrit-Panchamrut-gujarati

 

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું ચરણામૃત અને પંચામૃત નો લાભ તથા મહિમા. ચરનામૃત મા તુલસી પત્રનો ઉપયોગ થાય તેને ગ્રહણ કરવાથી શુ લાભ થાઈ  છે, તથા પંચામૃત ની અંદર મા પાંચ વસ્તુ  જેમકે ઘી, દૂધ, મધ, દહીં અને મિસરી હોય છે. પંચાંમૃત થી ભગવાન ને અભિષેક પણ કરવામાં આવે છે. તથા પ્રસાદ પણ કરવામાં આવે છે. આને ગ્રહણ કરવાનો આયુર્વેદિક રીતે તથા ધાર્મિક દ્રષ્ટિ એ ઘણું મહત્વ છે તે બધુ આપણે જાણીયે.


Vishnu-Sahastra-Path-In-Gujarati-Lyrics 

આપણે પહેલાં જાણીયે પંચામૃત તથા ચરણામૃત નો મહિમા શું છે.


આપણે કોઈ પણ શુભ પંસગે અથવા પુજા મંદિરમાં અથવા ઘરમાં પૂજા કરીયે ત્યારે ચરણામૃત અથવા પંચામૃત કાતો બંને અથવા બેમાંથી એકનો ઉપયોગ તો કરીયે છે પણ શું તમે ખરેખર આનો અથૅ જાણો છો કેમ પંચામૃત તથા ચરણામૃત હોય છે. ચરણામૃત એટલે ભગવાનના ચરણોનું અમૃત અને પંચામૃત એટલે પાંચ અમૃત . જેમાં પાંચ પવિત્ર પદાર્થ બનેલો અમૃત જેની અંદર ગાય દુઘ, ગાય ધી, દહી , મધ અને સાકરનો ઉપયોગ થાય છે.


પહેલા આપણે ચરણામૃત વિશે જાણીયે.
પુરાણોમાં વિષ્ણુ પુરાણ ની અંદર ચરણામૃતને શ્રી હરિના ચરણોનું ફળ અથવા પાણી માનવામાં આવે છે તેની અંદર અમૃત સમાન બઘા ગુણો હોય છે. આને લગતો શ્ર્લોક પણ છે.  


શ્ર્લોક
અકાલમૃત્યુહરં સર્વવ્યાધિવિનાશનમ્ ।
વિષ્ણુઃ પદોદકમ્ પિત્વા પુનર્જન્મ ન વિદ્યતે.
અથૅ
જગતના પાલનહાર ભગવાન વિષ્ણુના ચરણોમાં અમૃતના રૂપમાં જળ હોય જે તમામ પ્રકારના જાણે અજાણે પાપોનો નાશ કરે છે. જે માનવી જીવનમાં ભગવાનનું ચરણામૃતનું સેવન કરે છે તેનો પુનર્જન્મ મનુષ્ય યોનિમાં થતો નથી. તે જન્મ-મરણના ચક્રમાંથી મુક્તિ મળે છે.
હવે આપણે એ જાણીયે કે ચરણામૃત કેવી રીતે બને છે?
 

ચરણામૃત બનાવવા માટે ખાસ કરીને તાંબાના વાસણનો ઉપયોગ થાય છે. તાબામાં ચરણામૃત તરીકે પાણી રાખવાનું તેની અંદર તુલસીના પાન, તલ અને અન્ય ઔષધીય પ્રદાથો ભેગા કરવામાં આવે છે. પુજન કરતા પહેલાં મંદિર કે ઘરમાં હંમેશા તાંબાના વાસણમાં તુલસી મિશ્રિત પાણી રાખો.


Ganesh-Mantra-gujarati-lyrics-ganesh-slok

ચરણામૃત પીવાના નિયમો
ચરણામૃત ગ્રહણ કયૅ પછી બધા માથા પર હાથ રાખે છે, પરંતુ શાસ્ત્રોમાં અને પુરાણો તેને નિયમોની વિરુદ્ધ માનવામાં આવે છે. આ નકારાત્મક અસર આપણા પર છોડે છે. ચરણામૃત નો પ્રસાદ હંમેશા જમણા હાથમાં લેવો. ગ્રહણ કરતા પહેલાં મનને શાંત ચિતે કરીને આદર અને ભક્તિ સાથે લેવો. 


ચરણામૃત નો પ્રસાદ લેવાથી શું ફાયદા
આયુર્વેદની રીતે જોઈએ ચરણામૃત સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે. કારણકે પહેલું તાંબાની ઘાતું અનેક રોગોનો નાશ કરવાની ક્ષમતા ઘરાવે છે. તાંબાની ઘાતું  એ પુરુષ ગુપ્ત  શક્તિ ફાયદાકારક ગણવામાં આવે છે. બીજી તુલસી હોય છે અનેક પ્રકારના રોગોને મટાડે છે અને તેનું પાણી મગજને શાંતિ અને વિચાર શક્તિ પ્રદાન કરે છે. 


હવે આપણે પંચામૃત વિશે વઘારે જાણીયે.
પંચામૃત ની સંઘિ છુટી પાડીયે એટલે પાંચ + અમૃત. પંચામૃત ની અંદર  ગાયનું દૂધ, દહીં, ઘી અને મધ , સાકર મિશ્ર કરાવામાં આવે છે. આ પંચામૃત ને ભગવાનની કે માતાજી ની મુતિ નો અભિષેક માટે વપરાય છે. પંચામૃત સ્વ-પ્રગતિ નું 5 ચિહ્ન છે.


પંચામૃતમાં રહેલા 5 તત્વોનો અર્થ જાણીયે.
ગાયનું દૂધ પંચામૃતના મિશ્રનો મોટો તથા પ્રથમ ભાગ હોય છે અને દૂઘ એ શુભતાનું પ્રતિક માનવામાં આવે છે. માટે આપણું જીવન દૂધ જેવું નિષ્કલંક હોવું જોઈએ. 


બીજો ભાગ દહીં નો હોય છે. દહીંનો ગુણ એ છે કે બીજાને પોતાના સમાન બનાવે છે. દહીં અપણૅ કરવાનો અર્થ થાય છે કે પહેલા આપણે નિષ્કલંક રહીએ અને સદગુણો ને ગ્રહણ કરીને અપનાવીએ અને બીજાને પણ આપણા જેવા સહગુણ આપીયે. દહીં એ સ્નેહનું પ્રતીક. આપણા  દરેક સાથે ઉષ્માભર્યા સંબંધો બનાવી રાખે છે. 


Shiv Mantra Gujarati

ત્રીજો ભાગ મધ હોય છે જે મધુર સાથે સાથે શક્તિશાળી પણ છે. કમજોર વ્યક્તિ જીવનમાં મઘનું ગ્રહણ કરે તો શરીર અને મનથી મજબૂત વ્યક્તિ જ સફળતા મેળવી શકે છે. 


ચોથું ઘી નો ભાગ હોય છે. ઘી જેમ બઘાની જોડે ભળી જાય તેવી રીતે તમારા મનને પણ બીજામાં રભેળવી દેછે.


પાચમો ભાગ સાકર અથવા ખાંડ છે.  ખાંડની ગુણવત્તા એ મીઠાશ છે, ખાંડ મિશ્ર કરવાનો અર્થ તમારા અને બીજાના જીવનમાં મીઠાશ ઉમેરવી. દરેક વ્યક્તિને મીઠી વાણી અને વાત કરવી ગમે છે અને તેનાથી મધુર સંબંધ થાય છે. 


પંચામૃતનો લાભ
પંચામૃતનું સેવન આવે તો શરીર મજબૂત અને રોગમુક્ત રહે છે. પંચામૃતથી સ્નાન કરવાથી શરીરનું તેજ વધે છે. પંચામૃતનો ઉપયોગ જરૂર પુરતો કરવો નહીકે અતિશય. પાંચેય પ્રકારનું મિશ્રણ કરીને તૈયાર કરેલું પંચામૃત અનેક રોગોમાં ફાયદાકારક છે અને મનને શાંતિ આપે છે.
 

નવરાત્રી એકવાર રાત્રે સૂતા પહેલાં માં અંબા ની આ સ્તુતિ કરો જગત જનની પ્રસન્ન રહેશે અહી ક્લિક કરો.  

 

નવરાત્રી એકવાર પાઠ શ્રી ભગવતી સ્રોત ગુજરાતી અથૅ સહિત અહી ક્લિક કરો.

 

વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો ના 11 થી 15 છંદ નો અથૅ ‌નો આવો થાય છે  અહી ક્લિક કરો.

 

 નવરાત્રી એકવાર સૂતા પહેલા ત્રિદેવીનો આ પાઠ જરૂર કરો અહી ક્લિક કરો.

 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

Tags

Charanamrit Mahtva,
 Panchamrit mahima labh,
 Panchamrit Snan dharmik ,
Aayurvedic mahima,
 panchamrut mahima ,
પંચામૃતના ફાયદા, 

ચારણામૃતના ફાયદા , 

ચારણામૃત અને પંચામૃત વચ્ચેનો તફાવત , 

ચારણામૃત શું છે ,

 પંચામૃત શું છે , 

ચરણામૃત અને પંચામૃત પીવાથી લાભ થાય છે,

સોમવાર, 29 નવેમ્બર, 2021

ઉત્પત્તિ એકાદશીની વ્રતકથા મહાત્મ્ય ગુજરાતીમાં | Utpatti Ekadashi Vrat Katha Gujarati | Okhaharan

 ઉત્પત્તિ એકાદશીની વ્રતકથા મહાત્મ્ય ગુજરાતીમાં | Utpatti Ekadashi Vrat Katha Gujarati | Okhaharan 

Utpatti-Ekadashi-Vrat-Kaha-gujarati
Utpatti-Ekadashi-Vrat-Kaha-gujarati
 

 

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું કારતક માસના કૃષ્ણ પક્ષની એકાદશી ઉત્પત્તિ એકાદશીની વ્રત કથા જે તમે સંપૂણૅ ક્યાંય વાચી નહી હોય. ચાલો આપણે જાણીયે કથા.

ભગવાન બોલ્યા :" હે અર્જુન ! સતયુગ માં એક મહા ભયંકર દૈત્ય હતો .જેનું નામ મુર હતું .એ દૈત્યે દેવતા સહીત ઇન્દ્ર ને પરાસ્ત કરી વિજય મેળવી તેમને તેમના સ્થાન પરથી પાડી દીધા હતા .ત્યારે દેવેન્દ્ર એ મહાદેવજી ને પ્રાર્થના કરી કે હે શિવ શંકર ! અમે બધા દેવતા મુર દૈત્ય થી દુઃખી થઇ ને મૃત્યુ લોક માં પોતાનું જીવન વ્યતીત કરીએ છે .અન્ય દેવતાઓ ની હાલત નું તો હું વર્ણન જ કરી શકતો નથી ,પણ તમે કૃપા કરીને આ મહાન દુઃખ માં થી છૂટવાનો ઉપાય બતાવો ."

Utpatti-Ekadashi-2021-gujarati

 

શંકરજી બોલ્યા :"હે દેવેન્દ્ર !તમે વિષ્ણુ ભગવાન ની પાસે જાઓ ."

ઇન્દ્ર અને અન્ય દેવતા મહાદેવજી ના વચન સાંભળી ક્ષીર સાગર માં ગયા ,જ્યાં ભગવાન વિષ્ણુ શેષશય્યા પર શયન કરતા હતા .ભગવાન ને શયન કરતા જોઈને દેવતાઓ સહીત ઇન્દ્રે સ્તુતિ કરી :"હે દેવો ના દેવ ! તમે સ્તુતિ કરવા યોગ્ય છો ,તમને વારંવાર પ્રણામ છે .હે દૈત્યો ના સંહારક ! હે મધુસુદન ! તમે અમારી રક્ષા કરો .હે જગન્નાથ !અમે સમસ્ત દેવ,દૈત્યો થી ભયભીત થઇ ને અમે તમારી શરણ માં આવ્યા છીએ .આ સમયે દૈત્યો એ અમને સ્વર્ગ માં થી કાઢી મુક્યા છે .અમે બધા દેવતા પૃથ્વી ઉપર વિચરણ કરીએ છે .હવે તમે જ અમારી રક્ષા કરો .દેવતાઓ ની આ કરુણા પૂર્ણ વાણી સાંભળી શ્રી વિષ્ણુ ભગવાન બોલ્યા :"હે દેવતાઓ ! તે કયો દૈત્ય છે ,જેને દેવતાઓ ને જીતી લીધા છે ?"

ભગવાનના અમૃતરૂપી વચનો સાંભળી ઇન્દ્ર બોલ્યા :"હે ભગવાન ! પ્રાચીન સમય માં નાડીજંગ નામ નો એક દૈત્ય હતો .આ દૈત્ય ની બ્રહ્મ વંશ થી ઉત્પત્તિ થઇ હતી .એ દૈત્ય નું નામ મુર છે .તેની રાજધાની ચંદ્રાવતી છે .એ નગરી માં તે મુર નામ નો દૈત્ય નિવાસ કરે છે .જેને પોતાના બલ થી સમસ્ત વિશ્વ ને જીતી લીધું છે .અને બધા દેવતાઓ ને દેવલોક મા થી કાઢી ને ઇન્દ્ર ,અગ્નિ, સૂર્ય, વરુણ, યમ ,ચંદ્રમાં આદિ ને લોકપાલ બનાવ્યા છે .તે સ્વયં સૂર્ય બનીને પૃથ્વી પર તપે છે અને સ્વયં મેઘ બનીને જળ ની વર્ષા કરે છે તેથી તે બળવાન ભયંક દૈત્ય નેમારી તમે દેવતાઓ ની તમે રક્ષા કરો ."ઇન્દ્ર ના આવા વચન સાંભળી શ્રી વિષ્ણુ ભગવાન બોલ્યા :" હે દેવતાઓ ! હું તમારા શત્રુ નો શીઘ્ર જ સંહાર કરીશ .હવે તમે એ ચંદ્રાવતી નગરી મા જાઓ ."


આ રીતે ભગવાન વિષ્ણુ દેવતાઓ ની સાથે ચાલ્યા .એ સમયે દૈત્યપતી

મુર અનેક દૈત્યો ની સાથે યુદ્ધ ભૂમિ માં ગરજી રહ્યો હતો .યુદ્ધ પ્રારંભ થતા અસંખ્ય દાનવ અનેક શાસ્ત્રો ને ધારણ કરી દેવતાઓ સાથે યુદ્ધ કરવા લાગ્યા .પણ દેવતા દૈત્યો ની આગળ ના ટકી શક્યા.ત્યારે ભગવાન વિષ્ણુ પણ યુદ્ધ ભૂમિ માં આવીગયા .જયારે દૈત્યો ને ભગવાન વિષ્ણુ ને યુદ્ધ ભૂમિ માં જોયા તો એમના ઉપર અસ્ત્ર શાસ્ત્ર થી પ્રહાર કરવા લાગ્યા .ભગવાન પણ ચક્ર અને ગદા થી એમના અસ્ત્ર શાસ્ત્રો ને નષ્ટ કરવા લાગ્યા .આ યુદ્ધ મા અનેક દાનવ સદા ના માટે સૂઈ ગયા . પણ દૈત્યો નો રાજા મુર ભગવાનની સાથે નીશાળ ભાવ થી યુદ્ધ કરતો રહ્યો .ભગવાન તેણે મારવા માટે જે જે શસ્ત્રો નો પ્રયોગ કરતા ,તે બધા તેમના તેજ થી નષ્ટ થઇ ને પુષ્પ ની સમાન પડવા લગતા અને અનેક અસ્ત્રો શસ્ત્રો ના પ્રયોગ કરવા છતાય ભગવાન તેણે જીતી ના શક્યા .

Vishnu-Sahastra-Path-In-Gujarati-Lyrics

ભગવાન એ દૈત્ય જોડે દેવતાઓ ના માટે સહસ્ત્ર વર્ષ સુધી યુદ્ધ કરતા રહ્યા પણ એ દૈત્ય ને ના જીતી શક્યા .અંતે શાંત થઇ ને વિષ્ણુ વિશ્રામ કરવા ની ઈચ્છા થી બદ્રીકાશ્રમ ચાલ્યા ગયા .એ સમયે આડત્રીસ કોસ લાંબી એક દ્વાર વાળી હેમવતી નામ ની ગુફા

માં શયન કરવાની ઈચ્છા થી પ્રવેશ કર્યો .

હે અર્જુન ! મેં તે ગુફા માં શયન કર્યું ત્યાં તે દૈત્ય પણ મરી પાછળ પાછળ ચાલવા લાગ્યો અને મને શયન કરતો જોઈ ને મને મારવા તૈયાર થઇ ગયો .તે દૈત્ય વિચારવા લાગ્યો કે હું આજે મારા ચિર શત્રુ ને મારી ને સદૈવ ના માટે નિષ્કંટક થઇ જઈશ ." એ સમયે મારા અંગ માં થી એક અત્યંત સુંદર કન્યા દિવ્ય વસ્ત્ર ધારણ કરી ને ઉત્પન્ન થઇ અને દૈત્ય ની સામે આવી યુદ્ધ કરવા લાગી .તે દૈત્ય વિચારવા લાગ્યો કે આવી બળવાન સુંદર કન્યા ક્યાંથી ઉત્પન્ન થઇ ? તે દૈત્ય લગાતાર એ કન્યા સાથે યુદ્ધ કરતો રહ્યો .થોડો સમય વીત્યા પછી એ કન્યા એ ક્રોધ માં આવી ને એ દૈત્ય ના અસ્ત્રો શસ્ત્રો ના ટુકડે ટુકડા કરી નાખ્યા .એ કન્યા એ એના રથ ને તોડી નાખ્યો .એ દૈત્ય તેની સાથે મલ્લા યુદ્ધ કરવા લાગ્યો .તે કન્યા એ તેને મારી ને મૂર્છિત કરી નાખ્યો .તેના ઊઠવા પર તેનું મસ્તક કાપી નાખ્યું .મસ્તક કાપતા જ તે દૈત્ય પૃથવી પર પડી ગયો અને મૃત્યુ પામ્યો .


અન્ય સમસ્ત દાનવ પણ આ જોઈને પાતાળ લોક માં ચાલ્યા ગયા .જયારે ભગવાન વિષ્ણુ ની નિંદ્રા તૂટી તો એ દૈત્ય ને મૃત્યુ પામેલ જોઈ ને તે અત્યંત આશ્ચર્ય કરવા લાગ્યા કે - આ દૈત્ય ને કોણે માર્યો ?ત્યારે તે કન્યા ભગવાન ને હાથ જોડી ને બોલી કે હે ભગવાન ! આ દૈત્ય તમને મારવા તૈયાર હતો ત્યારે મેં તમારા અંગ મા થી ઉત્પન્ન થઇ આનો વધ કર્યો છે ."

ભગવાન બોલ્યા :" હે કન્યા તેં આને માર્યો છે તેથી હું તારા પર અત્યંત પ્રસન્ન છું .તેં ત્રણે લોક ના દેવતાઓ ને સુખી કર્યા છે .તેથી તુ તારીઈચ્છા અનુસાર વરદાન માંગ."


કન્યા બોલી :" હે ભગવાન !મને એ વરદાન આપો કે જે મારું વ્રત કરે તેના સમસ્ત પાપ નષ્ટ થઇ જાય અને અંત માં સ્વર્ગ લોક માં જાય અનેમારા વ્રત નું

અડધું ફળ રાત્રી નું મળે અને અડધું ફળ એક સમય ભોજન કરનાર ને મળે .જે મનુષ્ય ભક્તિ પૂર્વક મારું વ્રત કરે તે નિશ્ચય જ વિષ્ણુલોક ને પ્રાપ્ત કરે .કૃપા કરીને મને એવું જ વરદાન આપો .જે મનુષ્ય મારા દિવસ તથા રાતે એકવાર ભોજન કરે તે ધન ધાન્ય થી ભરપુર રહે ."

 

એકાદશી કેટલાક નિમ્લિખિત કામ 

ના કરવા જોઈએ વાચવાં અહી ક્લિક કરો.   

 

ભગવાન વિષ્ણુ તે કન્યા ને કહેછે કે "હે કલ્યાણી ! એવું જ થશે .મારા અને તારા ભક્તો એક જ હશે .એને સંસાર માં પ્રસિદ્ધિ મેળવી અંત માં મારા લોક ને પ્રાપ્ત કરશે ..હે કન્યા ! તુ એકાદશી એ ઉત્પન્ન થઇ છે તેથી તારું નામ પણ "એકાદશી" થશે . જે મનુષ્ય તારા દિવસે વ્રત કરશે એના સમસ્ત પાપ જડ થી નષ્ટ થશે અને અંત માં મુક્તિ પ્રાપ્ત કરશે .તું મારા માટે હવે ત્રીજ ,આઠમ ,નોમ અને ચૌદસ થી પણ અધિક પ્રિય છે .તારા વ્રત નું ફળ બધા તીર્થો ના ફળ થી પણ મહાન હશે ."આમ કહી ને ભગવાન અંતર્ધ્યાન થઇ ગયા .એકાદશી પણ ભગવાન ના ઉત્તમ વચનો સાંભળી ને અતિ પ્રસન્ન થઇ .


ભગવાન બોલ્યા: "હે! અર્જુન બધા તીર્થો ,દાન ,વ્રતો ના ફળ થી એકાદશી ના વ્રત

નું ફળ સર્વ શ્રેષ્ઠ છે . હું એકાદશી વ્રત કરનાર મનુષ્યો ના શત્રુઓ ને નષ્ટ ક્રી દઉં છું ,અને તેમને મોક્ષ આપું છું .હે અર્જુન! આ મેં તમને એકાદશી ના વ્રત ની ઉત્પત્તિ વિષે બતાવ્યું છે .

એકાદશી વ્રત સમસ્ત પાપો ને નષ્ટ કરનાર અને સિદ્ધિ આપનાર છે .ઉત્તમ મનુષ્યો એ બન્ને પક્ષ ની એકાદશી ને સમાન સમજવું જોઈએ .એમાં ભેદ ભાવ માનવો ઉચિત નથી .જે મનુષ્ય એકાદશી ના મહાત્મ્ય નું શ્રવણ અને પઠન કરે છે તેને અશ્વ્ મેઘ યજ્ઞ નું ફળ મળે છે ." 

 

ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 

108 નામ ગુજરાતી લખાણ સાથે

 

" શ્રીકૃષ્ણ શરણં મમ " નો અથૅ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  


કૃષ્ણ ચાલીસ ગુણ નો પાઠ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

નિત્ય સવારે શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે અહી ક્લિક કરો.     

 

હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ અહી ક્લિક કરો. 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇


Disclaimer: અહી ઉપરોક્ત કોઈપણ માહિતી અથવા આ કાયૅ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં Okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી.

ઉત્પત્તિ એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ | Utpatti Ekadashi 2025 | Utapnna Ekadashi 2025 | Okhaharan

 ઉત્પત્તિ એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ. | Utpatti Ekadashi 2025 | Utapnna Ekadashi 2025 | Okhaharan

 

Utpatti-Ekadashi-2021-gujarati
Utpatti-Ekadashi-2021-gujarati

 

 શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું કારતક માસના કૃષ્ણ પક્ષની એકાદશી ઉત્પત્તિ એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ.આ એકાદશી નું મહત્વ શું કરવું અને શું ના કરવું? તમે ઉપવાસ કરો કે ના કરો આ વાતનું ધ્યાન રાખવું? તે બઘું લેખમાં જાણીશું.

Vishnu-Sahastra-Path-In-Gujarati-Lyrics


જય શ્રી કૃષ્ણ કારતક માસના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ ને ઉત્પત્તિ , ઉત્પત્તિકા, ઉત્પન્ના, પ્રાકટ્ય અને વૈતરણી એકાદશી કહેવાય છે. આ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ શરીર માંથી ઉત્પન થયેલી કન્યા એટલે એકાદશી અને આ દિવસે ઉત્પત્તિ થઈ હોવાથી ઉત્પત્તિ એકાદશી કહે છે. ચાલો આપણે જાણીયે તિથિ તારીખ સમય વિશે.


 આ વષે 2025 ની કારતક માસની વદ પક્ષની ઉત્પત્તિ એકાદશી ની શરૂઆત
 શરૂઆત 14 નવેમ્બર 2025 શુક્રવાર રાત્રે  12:49 મિનિટ
સમાપ્ત 15 નવેમ્બર 2025 શનિવાર  રાત્રે  2:36  મિનિટ
આમ એકાદશી સૂયદય તિથિ અનુસાર 15 નવેમ્બર 2025 શનિવાર દિવસ ની રહેશે
પુજન નો શુભ સમય  સવારે 8:04 થી 9:27 સુ
ધી

પારણા સમય 16 નવેમ્બર 2025 સવારે 6:16 થી 8:20 સુધી.


એકાદશીના દિવસે પુજન કેવી રીતે કરવુ વિઘિ મારા પાછલા લેખમાં આપેલ છે વાચવાં અહી ક્લિક કરો 


 ઉત્પત્તિ એકાદશી મહત્ત્વ
ઉત્પત્તિ એકાદશી નું વ્રત પૂણૅ ભક્તિભાવ ,વિધિ-વિધાન , પૂણૅ શ્રદ્ર્દા થી કરે તો જગતના પાલનહાર બધા જ તીર્થયાત્રા નું ફળ અને ભગવાન વિષ્ણુના વૈકુંઠ લોકને પામે છે.

ઉત્પત્તિ એકાદશી વ્રતના દિવસે દાન કરવાથી અનેકગણું પુષ્ણ ફળ મલે છે. જે વ્યક્તિ આખો દિવસ જળ વગર એટલે કે નિર્જળ સંકલ્પ લઈને આ એકાદશી વ્રત રાખે છે, તેમને મોક્ષ મળે સાથે સાથે  ભગવાન વિષ્ણુના વૈકુંઠ લોકને પામે છે.


એકાદશી કેટલાક નિમ્લિખિત કામ ના કરવા જોઈએ વાચવાં અહી ક્લિક કરો.   

 

 


ઉત્પત્તિ એકાદશી વ્રત રાખવાતી વ્યક્તિના સમસ્ત પાપનો નાશ થાય છે.

એકાદશી જો કોઈ બીમાર વ્યક્તિ કોઈ રોગથી પીડાતો હોય , ઉમંરલાયક વ્યક્તિ વૃદ્ધાવસ્થા, નાના બાળક અથવા વ્યસ્ત વ્યક્તિ એટલે મજુરી વઘારે શ્રમ કરતા હોય તો એક જ વેળાનું વ્રત કરવું જોઈએ તેમાં ફળો ખાવા જોઈએ. જો આ પણ શક્ય ન હોય તો આ દિવસે ચોખા અને મીઠું ન ખાવા જોઈએ. ભગવાન વિષ્ણુ અથવા તમારા ઈષ્ટદેવની પૂજા કરો. 

 

ઉત્પત્તિ એકાદશીની વ્રતકથા મહાત્મ્ય ગુજરાતીમાં અહી ક્લિક કરો. 

 

ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે 

 



શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે 

 

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

હનુમાનજી રામ નામથી શરૂ થતો સ્ત્રોત છે દરેક કામમાં રક્ષણ આપે 

 

વાંચો "" હનુમાનજી વડવાનલ સ્ત્રોત ""  

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત ""  

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ 

 

શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે  

 

 ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ.

 

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ 


 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇


Disclaimer: અહી ઉપરોક્ત કોઈપણ માહિતી અથવા આ કાયૅ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં Okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી.